________________
૪૪૦
વાકયપતીય
(૪) વ્યાપિને જે પતંજલિના પૂર્વકાલિક માનીએ તે વ્યાડિએ આપેલી અને રાજની ટીકામાં (વા.૫. ૩.૧ ૩.૨) ગદ્ય ફકરા રૂપે પ્રાપ્ત થતી લિંગની વ્યાખ્યાને પતંજલિ એ આધાર લીધો છે અને ભતૃહરિ તેને અનુસરે છે, એમ સમજવું રહ્યું.
સંત્યાન અર્થાત અપચય અર્થાત હાસ સ્ત્રીત્વ માટે જવાબદાર છે. પ્રસવ અર્થાત ઉપચય અર્થાત્ વૃદ્ધિ પુત્વ માટે જવાબદાર છે. આમ સ્ત્રીલિગ સમજવા માટે અપચય અને પુલિંગ સમજવા માટે ઉપચય અગત્યનાં છે. તે (પુષ્ટ થવું) ધાતુને ઉશુદિ દૂર (૪,૧૬૫) પ્રત્યય લાગીને સંચાર શબ્દ બને છે, અને વા. (૨ ગણુ, રક્ષવું) ધાતુને દુહુર પ્રત્યય લાગીને, પુમા શબ્દ બન્યો છે. વાસેતુંમણુન (ઉણાદિ ૪.૧૭૭)
અહી પ્રશ્ન એ થશે કે સંત્યાન અને પ્રસવ કાનાં? આનો જવાબ સાંખ્ય સિદ્ધાન્ત મુજબ આપી શકાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગબ્ધ એવા ગુણેનાં સંસ્થાન અને પ્રસવ. જગતના બધા પદાર્થો આવા ગુણોવાળા હોય છે. જ્યાં પાંચેય ગુણો ન હોય ત્યાં શબ્દ, સ્પર્શ અને રૂ૫ એ ત્રણ ગુણો તો હેવાના જ. રસ અને ગબ્ધ એ બે ગુણો બધે હોતા નથી. વાસ્તવમાં શબ્દ, સ્પર્શ, રૂપ વગેરે ગુણોને સંબંધ સત્વ, રજસ્ અને તમસ સાથે છે. આ ગુણે સર્વત્ર એકસરખી માત્રામાં હોતા નથી. તેમના વૃદ્ધિ અને હાસ ચાયા કરે છે. પણ તે પછી સ્ત્રીલિંગ અને પુલિંગની વ્યવસ્થાનું શું ? આના જવાબમાં કહી શકાય કે વિવક્ષા ઉપરથી લિંગવ્યવસ્થા સમજવી. સંત્યાન અર્થાત્ નિવૃત્તિ, અપાય કે તિરાભાવ ની વિવેક્ષા હોય ત્યારે પુત્વ સમજવું. પુલિંગ વગેરેની અવસ્થા લોકવ્યવહાર ઉપરથી સમજવી. તેથી વાર્તિકકારે જણાવ્યું છે કે લિંગ અંગેના નિયમો કરવા નહિ, કારણ કે, લિંગ લેકવ્યવહાર ઉપર આધાર રાખે છે (
ત્રિમાિળ્યું ઢોશ્ચયવાસ્થિ 1). આ એ કારિકાઓમાં નિદેશેલા સાત મત પૈકી પહેલા બે મત લેકવ્યવહારમાં લિંગ અંગે પ્રચલિત મતો છે. ત્રીજે મત વિશેષિકાને છે. ચોથો અને પાંચમે એ બે મત ભાષ્યકારને અભિપ્રેત છે. ભાષ્યકારે આ મતાની પ્રેરણું સાંખ્ય સિદ્ધાન્તમાંથી લીધી છે.
उपादानविकल्पाश्च लिङ्गानां सप्त वर्णिताः ।।
विकल्पसन्नियोगाभ्यां ये शब्देषु व्यवस्थिताः ॥३॥ વિકપિ અને નિયમો વડે શબ્દોમાં જેમને ચક્કસપણે, સમજાવવામાં આવ્યા છે તેવા અને વિશિષ્ટ શક્તિવાળા શબ્દો વડે) ગ્રહણ કરાતા, સાત વિકલ્પ, લિંગ અંગે જણાવવામાં આવ્યા છે. (૩).
ઉપાદાન એટલે શબ્દોને પોતાનો અર્થ દર્શાવવાની વિશિષ્ટ શક્તિઓ. લિંગ એ અને એક પ્રકારને ધર્મ છે. આ અંગે સાત મતો છે. એમાં ચાર વિકલ્પ અને ત્રણ નિયમે છે :
૧ રા:, પત્નઃ જેવા કેટલાક શબ્દો પુલિંગ તેમજ નપુંસક એમ બને હોય છે. ૨ માળ, માળવેથી જેવા શબ્દો સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ બને છે. ૩ 9:, અશનિઃ વસ, વરસા જેવા શબ્દો સ્ત્રીલિંગ અને પુંલિગ બને હોય છે. ૪ તટસ, તરી, તટમ જેવા શબ્દો ત્રણેય લિંગમાં છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org