________________
ત્રીજુ કાંડ
૪૩૯ આ મતમાં મુશ્કેલી એ છે કે આવાં બાહ્ય ચિહ્નોથી લિંગબેધ થતો હોય તો મૃત (સ્ત્રીધારી નટ) શબ્દને સ્ત્રીલિંગનો ટાર્ પ્રત્યય લાગશે, અને ઘી: (નેતરની ઢીંગલી), aful : (વાધરડો) અને વરકુટી: (હજામની દુકાન) એવા શબ્દોમાં તમારો ના ! (પા. સૂ. ૬ ૧. ૧૦૩)થી નત થશે, તેવી જ રીતે લા (ખાટલો) અને વૃક્ષ (ઝાડ) અંગે અનુક્રમે સ્ત્રીલિંગ અને પુલિંગ સમજાશે નહિ કારણ કે, તે લિંગનાં લક્ષણે આ શબ્દો દ્વારા જણાવાતાં નથી.
(૩) રવા અને વૃક્ષ: માં કયું લિંગ સમજવું એવા પ્રશ્નના જવાબમાં કહેવું જોઈએ કે આ બે શબ્દોને નપુંસકલિંગમાં સમજવા.
પરંતુ હવા અને વૃક્ષ: માં સ્ત્રીલિંગ અને પુલિંગ સમજાય છે, તે બાબતને શું અસત્ સમજવી ? આનો જવાબ હકારમાં આપી શકાશે. આ બંને શબ્દોમાં ભાસતું' સ્ત્રીલિંગ અને પુલિંગ, મૃગજળની જેમ અથવા ગધવનગરની જેમ, અથવા સૂર્યની ગતિની જેમ, અથવા વસ્ત્રમાં ઢાંકેલા પદાર્થની જેમ ઉપલબ્ધ થતું નથી, અર્થાત દેખાતું નથી, એમ માનવું જોઈએ.
ઉપરનાં ઉદાહરણો નથી. વસ્ત્રથી ઢાંકેલી વસ્તુ ઉપરથી વસ્ત્ર ખસેડી લેવામાં આવતાં તે પદાથે દેખાય છે જ, પરંતુ વરવા અને વૃક્ષ માં તેમના નાના ટુકડા કરે તે પણ લિંગ દેખાતાં નથી.
તમે સમજ્યા નહિ. વિદ્યમાન અથવા અસ્તિત્વવાળા પદાર્થની અનુપલબ્ધિનાં છ કારણે છે : (૧) પદાર્થ અત્યંત નજીક હોય તો તે દેખાતો નથી, જેમકે કાજળ નેત્રાની એકદમ નજીક હોવાથી દેખાતું નથી. (૨) અત્યંત દૂર હોવાથી પદાર્થ દેખાતો નથી, જેમકે, ખૂબ દૂર ઊડતું પક્ષી દેખાતું નથી. (૩) ભીંત વગેરે વ્યવધાન અર્થાત્ વચ્ચે આવનારા પદાર્થને કારણે વસ્તુ દેખાતી નથી. (૪) અંધકારને કારણે પદાર્થ દેખાતો નથી. (૫) નેન્દ્રિયમાં કશીક ખામી હોય તો પદાર્થ દેખાતું નથી અને () ત્રો જોતાં હોય પરંતુ મન બીજો વિચાર કરતું હોય તે પણ પદાર્થ દેખાતો નથી.
अतिसन्निकर्षादतिविप्रकर्षान्मय॑न्तरव्यवधानात् ।
तमसावृतत्वादिन्द्रियदौर्बल्यादतिप्रमादादिति ॥ વડ્યા અને વૃક્ષ: માં લિગ દેખાતું નથી તેમાં આવાં છ કારણેમાંથી એક કારણ હેવું જોઈએ,
આ અંગે એમ કહેવાય છે જેમ સૂર્ય, ચન્દ્ર વગેરે પ્રત્યક્ષ દેખાતા ન હોય તો પણ આકાશમાં પ્રકાશ જોઈને સૂર્ય, ચન્દ્ર, વગેરેનું અનુમાન થાય તેમ હવા ના ટાપૂ પ્રય ઉપરથી અને વૃક્ષામાં નટ્સ કર્યું હોવાથી તેમનાં સ્ત્રીલિંગ અને પુલિંગ સમજાશે.
પરંતુ વરવા અને વૃક્ષાના ટાપૂ પ્રત્યય અને નવ ઉપરથી તેમનાં લિંગ સમજાય અને તેમનાં લિંગનો ખ્યાલ આવતાં તેમને રાજુ અને નવ થાય એ બાબત તો ઇતરેતરાશ્રય દોષવાળી થઈ. આ ઉપરાંત તટ, તટી, તટ એવાં ત્રણ લિંગ એક જ શબ્દ અંગે પ્રાપ્ત થાય છે
આ બધા ઉપરથી એટલું તો સિદ્ધ થશે જ કે બાહ્ય ચિહ્નો ઉપરથી લિંગ સમજવાનો જે લેકવ્યવહાર છે તે વૈયાકરણ માટે ઉોગી નથી લિંગ અંગે વૈયાકરણએ પિતાને સ્વતંત્ર સિદ્ધાન્ત સ્થાપવો જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org