SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૧૩૩ qવતિ | વિશ્વતિ | વયતે | વત્તે વગેરે ક્રિયારૂપિમાં ક્રિયાનું એકત્વ પ્રાપ્ત થાય છે. આવું એક ક્રિયા સાથે જોડાયેલાં કર્તા, કમ વગેરે કારની સંખ્યાને લીધે ભિન્નપણે સમજાય છે. પરંતુ તે ક્રિયા સાથે રહેલાં કારકમાંના સ્ત્રિલિંગ, પુલિંગ, નંપુસક વગેરે લિંગભેદને સમજો શકય નથી. ક્રિયારૂપ દ્વારા જણાવાતી ક્રિયા એક હોય છે. તેમાં સંખ્યા હોતી નથી, પરંતુ ક્રિયા સાથે જોડાયેલાં કર્તા, કર્મ વગેરે કારમાં સંખ્યા પ્રાપ્ત થાય છે, જેમ કે સૂરા: વવરિત . અથવા મોઢાઃ પ્રવૃન્ત . સાધન અથવા કારકને દ્રશ્ય સમજવામાં આવતાં તેમાં સંખ્યા સમજી શકાય, પરંતુ, આખ્યાતમાંથી લિંગવિશેષને બંધ થતો નથી, કારણ કે શબ્દોમાંથી થતો અર્થબોધ સ્વાભાવિક છે. કેઈ નિયમ કે યુક્તિને તે અધીન નથી. આખ્યાનમાંથી તેની સાથે જોડાયેલાં કારકેને કારણે સંખ્યાનો બોધ થાય તે પછી આખાતમાંથી લિંગને બંધ કેમ ન થાય એવો પ્રશ્ન પૂછી શકાય નહિ. तस्मादवस्थितेऽप्यर्थे कस्यचित् प्रतिबध्यते । शब्दस्य शक्तिः स त्वेष शास्त्रेऽन्वाख्यायते विधिः ॥१७॥ તેથી અર્થની હાજરી હોય છતાં, શબ્દની તેનો અર્થ દર્શાવવાની શક્તિ (કેઈક વાર) અટકી જાય છે. (શક્તિ દ્વારા થતા) આવા નિયમનને વ્યાકરણશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે. (૧૭) સામાન્ય રીતે બધા ધાતુઓને સંવિધાન એવો અર્થ, જાણીતો હોવા છતાં કમ્ જેવા ધાતુ ઉપરથી પ્રાપ્ત થતા ક્રિયારૂપની સંવિધાનનો અર્થ દર્શાવવાની શક્તિ અટકી જાય છે. આવા નિયમનને રિત1િ: મિઝારે જિયારે (પા.સ.૧.૩.૭૨) જેવા શાસ્ત્રીય વચન દ્વારા સમજાવવામાં આવે છે. यस्यार्थस्य प्रसिद्धयर्थमारभन्ते पचादयः । तत्प्रधानं फलं तेषां न यागादिः प्रयोजनम् ॥१८॥ રાઈ કરવી, (યજ્ઞ કરવો) વગેરે (ક્રયાઓ)ને આરંભ જે પ્રજનની સિદ્ધિ માટે કરવામાં આવે છે તે તેમનું મુખ્ય ફળ છે, (દક્ષિણ વગેરે) લાભ રૂપી પ્રયોજન નહિ. (૧૮) ક્રિયાના મુખ્ય ફળ અને ગૌણ ફળ વચ્ચેનો તફાવત અહીં દર્શાવવામાં આવ્યો છે. મૂત્રનિયમ શ્વરિતતિઃ ૦૫ (૧.૩.૭૨) પ્રમાણે ક્રિયાનું કર્તાને પ્રાપ્ત થનારું ફળ મુખ્ય ફળ છે, જેમકે થર્ ધાતુનું મુખ્ય ફળ સ્વર્ગપ્રાપ્તિ છે, યજ્ઞમાં પુરોહિતોને મળતો દક્ષિણરૂપી લાભ નથી. દક્ષિણરૂપી લાભ ગૌણ ફળ છે. વા. ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy