________________
૪૧૯
૬૧ ૫ડશે.
ત્રીજુ કાંડ
एकत्वसमुदायो वा सापेक्षे वा पृथक् पृथक् ।
एकत्वे द्वित्वमित्येव तयोर्द्विवचनं भवेत् ॥१७॥ અથવા (દ્વિત્વ) એકત્વને સમુદાય છે, અથવા, એકબીજાથી જુદાં અને પરસ્પર સાપેક્ષ એકત્વ દ્વિત્વ છે. જે બે એકત્વ દ્વિત્વ જ હોય તો તેમને દ્વિવચન પ્રાપ્ત થવું જોઈએ. (૧૭)
બે એકવમાંથી, તેમનાથી ભિન્ન એવું ધિત્વ ઉત્પન્ન થતું નથી, પરંતુ બે એકત્વનો સમુદાય એટલે ધિત્વ સમજવાનું છે. વનરૂપી સમુદાય વૃક્ષોથી જુદો નથી. વૃક્ષ સમુદાયને આપણે જેમ વન એવું જુદું નામ આપીએ છીએ તેમ એકત્વના સમુદાયને ધિત્વ એવું જુદું નામ આપીએ છીએ. હવે જો સમુદાયમાં અવયવનું પ્રાધાન્ય સ્વીકારીએ તો બે એકત્વને માટે દિવચનને પ્રવેગ કરવો પડશે.
દ્રાવિનૈવ(પ. પૂ. ૧. ઇ. ૨૨, બે માટે દ્વિવચન અને એક માટે એક્વચન વપરાય છે ) માં ધિત્વને જે બે એકત્વ માનીએ તો તે બે એકત્વ અને સૂત્રમાંનું એકત્વ એમ ધ સમાસનાં બે પદોમાંથી ત્રણ એકત્વ પ્રાપ્ત થાય અને તેથી બહુવચન કરવું પડે. તેથી એમ માનવું જોઈએ કે બે એકત્વથી પ્રાપ્ત થતું ધિત્વ જુદુ છે.
एकोऽपि गुणभेदेन सधों भेद' प्रकल्पयेत् ।
आश्रयाश्रयिभेदो हि. तदाश्रयनिबन्धनः ॥१८॥ સમુદાય એક હેવા છતાં, તેને અવયવે રૂપી ગુણોની ભિન્નતાને કારણે, તે ભેદ દર્શાવે છે. આશ્રય અને આશ્રયી વચ્ચેનો ભેદ આશ્રયના ભેદને કારણે છે. (૧૮)
संख्येयसङ्घसंख्यानसङ्घः संख्येति कथ्यते ।
विंशत्यादिषु सान्यस्य द्रव्यसङ्घस्य भेदिका ॥१९॥ (fāાતિ વગેરેમાં) ગણતરી કરવાના પદાર્થોના સમૂહની ગણતરી કરનારી સંખ્યાના સમૂહને સંખ્યા કહેવાય છે. તે (સંખ્યા) બીજા પદાર્થોના સમૂહથી પિતાની ભિન્નતા દર્શાવે છે. (૧૯)
ગાય વગેરે ગણતરી કરવાના પદાર્થો (સંખ્યય)ના સમૂહને દ્રવ્યસંઘ કહે છે, આવા દસ દસના બે દ્રવ્યસંઘ માટે વીસ (વિશંતિ) શબ્દ વપરાય છે, અને સંખ્યાનસંઘ કહે છે. આ વિસંતિ વગેરે સંખ્યા અપેક્ષાબુદ્ધિને કારણે દસ દસનાં બે અથવા વધારે એકત્વ માંથી પ્રાપ્ત થાય છે. ચવાં વિંરાત માં ર્વિાતિઃ સંખ્યા છે અને વિંતિ: જાવઃ | માં વૈજ્ઞતિઃ સંખ્યય છે.
આ કારિકાનું વ્યાખ્યાન કરતાં હેલારાજ જણાવે છે કે પા. સુ. ૫-૧-૧૮ ઉપરનાં વાર્તિક અને ભાષ્યમાં રજૂ થયેલા વિચારોમાંના કેટલાકને આ સમુદ્દેશની કારિકા ૧ ના ટિપ્પણુથાં સંક્ષેપમાં રજૂ કરવામાં આવ્યા છે.
__ एकविंशतिसंख्यायां संस्यान्तरसरूपयोः ।
एकस्यां बुद्ध्यनावृत्त्या भागयोरिव कल्पना ॥२०॥ એક જ સંખ્યા રૂપે રહેલ વિંશત્તિમાં (ભાગ) બુદ્ધિસમજાતી ન હોવાથી બે જુદી સંખ્યા જેવા દેખાતા બે ભાગની કલપના કરવામાં આવે છે. (૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org