________________
૧૮
વાકયપદીય પૃથ્વી વગેરે પાંચ મહાભૂતમાં તેમની હમેશની ધ્યેયલક્ષી પ્રવૃત્તિ જેમ પ્રત્યેકમાં જુદી જુદી હોય છે, અને સત્વ, રજસ્, તમસૂ એવા ત્રણ ગુણેની બધા પદાર્થોમાં પ્રવૃત્તિ પણ બિન ભિન્ન હોય છે તેમ, દ્રવ્ય, ગુણ, કર્મ વગેરેમાં પણ પરપપર સાહચર્ય હોવા છતાં તેમની પ્રવૃત્તિ ભિન્ન હોય છે.
द्वित्वादियोनिरेकत्वं भेदास्तत्पूर्वका यतः ।
विना तेन न संख्यानामन्यासामस्ति संभवः ॥१५॥ દ્વિત્વ વગેરેનું કારણ એકત્વ છે, કારણ કે, બધા ભેદ તેમાંથી પ્રાપ્ત થાય છે. તે (એકત્વ) વિના બીજી સંખ્યાઓની ઉત્પત્તિ શક્ય નથી. (૧૫) - એકત્વ અથવા એક એવી સંખ્યા બીજી બે થી માંડીને પરાધ સુધીની સંખ્યાઓ નું જન્મસ્થાન છે.
एकवे बुद्धिसहिते निमित्त द्वित्वजन्मनि ।
एकत्वाभ्यां समुत्पम्नमेव वा तत् प्रतीयते ॥१६॥ અપેક્ષા બુદ્ધિવાળાં બે એકત્વ દ્વિત્વની ઉત્પત્તિમાં કારણરૂપ બને છે. અથવા (આવી બુદ્ધિ વિના), તે દ્ધિત્વ, બે એકમાંથી ઉત્પન્ન થયેલું હોય તેવું પ્રાપ્ત થાય છે. (૧૬)
ઈન્દ્રિય સાથે સંયુક્ત એવા બે પદાર્થોમાં સમવાય સંબંધથી રહેલાં બે એકત્વમાં એકત્વરૂપી સામાન્ય, સંયુક્ત સમવેતસમવાયથી સમજાય છે. એક્રવરૂપી ગુણની અપેક્ષાવાળાં તે એકત્વ દિવને ઉત્પન્ન કરે છે. બે દ્રવ્યો દિવનું સમવાધિકારણ છે અને એકત્વગુણ તેનું અસામાયિકારણ છે. અપેક્ષાબુદ્ધિ નિમિત્ત કારણ છે.
બીજા મત મુજબ અપેક્ષા બુદ્ધિ વિનાનાં બે એક વો દિને ઉત્પન્ન કરે છે.
હેલારાજ જણાવે છે કે એકત્વમાંથી દિવની ઉત્પત્તિની પ્રક્રિયા ગૌરવભયથી તેમણે રજૂ કરી નથી, પરંતુ, બ્રહ્મકાંડમાં અથર્ બ્રહ્મકાંડ ઉપરની તેમની ટીકામાં તે રજુ કરવામાં આવી છે. હેલારાજની બ્રહ્મકાંડ ઉપરની આ ટીકાનું નામ શબ્દપ્રભા હતું. પરંતુ અત્યારે તે ઉપલબ્ધ નથી. સંખ્યા અંગેની પ્રક્રિયાના આ વિસ્તારનું સ્થળ બ્રહ્મકાંડ કારિકા ૯૦ (યશાયાહળે.... ) હેવું જોઈએ.
પ્રશસ્તપાદ ભાષ્યમાં આ પ્રક્રિયાની વિગત આપવામાં આવી છે. બે પદાર્થોને ને ન્દ્રિય સાથે સંનિકર્થ થાય છે તેથી એકત્વસામાન્ય ઉત્પન્ન થાય છે. આ એકત્વસામાન્યમાંથી બે એકત્વ અંગેની અપેક્ષાબુદ્ધિ (enumerative cognition) ઉત્પન્ન થાય છે. આવી રીતે દિવધિમાંથી ધિત્વસામાન્ય ઉત્પન્ન થાય છે, તેમાંથી દિત્વગુણનું જ્ઞાને થાય છે. આવા દૈત્વગુણુવિશિષ્ટ બે દ્રવ્યો સમજાય છે. તેમનો સિદ્ધાન્ત છે નાતવિરોળા દિ વિરોષે શુદ્ધિ : દિવ બુદ્ધિના નાશ અંગેના વિચારમાં વૈશેષિકો જણાવે છે કે દ્ધિત્વ અંગેની અપેક્ષાબુદ્ધિ બંધ થતાં દિવગુણુ અને ત્યાર બાદ દિવસામાન્યની બુદ્ધિ પણ અટકી જાય છે, અને બે પદાર્થો એવી બુદ્ધિ પ્રાપ્ત થાય છે. અંતે પદાર્થો અંગેની દ્વિત્વબુદ્ધિનો નાશ થતાં પદાર્થબુદ્ધિનો પણ નાશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org