________________
૪૧૬
વાકયપદીય
પદાર્થ પિતાના ધર્મો સાથે હંમેશાં જોડાયેલો જ હોય છે. જ્ઞાનનો સ્વભાવ બેધ આપવાને હેય છે, વિષય સાથે સંબદ્ધ હોય ત્યારે જ તે વ્યવહારોગ્ય બને છે. આમ તેનું વિષયપાતય નિશ્ચિત છે. આ પ્રમાણે રેય પણ પિતાના ધર્મો સાથે સંસ્કૃષ્ટ ન હોય અને માત્ર વસ્તુ રૂપે હોય તો ય રૂપે અને અભિધેય રૂપે પ્રાપ્ત થતું નથી આમ પદાથનો બોધ અને તેનું અભિધાન તે પદાથના ધર્મોના ઉપકાર ઉપર અવલંબે છે.
भेदेन तु समाख्यात यल्लोकोऽप्यनुवर्तते ।
आगमाच्छात्रसदृशो व्यवहारः स वर्ण्यते ॥९॥ (પદાર્થનું તેના ધમથી) ભિન્નપણે પ્રતિપાદન, જેને સામાન્ય જને પણ અનુસરે છે, તે વૈશેષિક જેવા આગમોને અનુસરીને થાય છે. આવા (જન)વ્યવહારને શાસ્ત્ર જે સમજવામાં આવે છે. (૯)
પદાર્થમાં સામાન્ય અને વિશેષ એવા ધર્મો દ્રવ્યથી સ્વતંત્રપણે સમજવામાં આવે છે. વૈશેષિક વગેરે શાસ્ત્રમાં આવી અપેઢારબુદ્ધિ પ્રાપ્ત થાય છે. સામાન્ય જનનું વલણ શાસ્ત્રને અનુસરવાનું હોઈ તેઓ પણ ગુણ, સંખ્યા, જાતિ વગેરે ધર્મોને દ્રવ્યથી સ્વતંત્ર સમજે છે.
बुद्धथा स्थितेषु तेष्वेवमध्यारोपो न दुर्लभः ।
परधर्मस्य न ह्यत्र सदसत्त्वं प्रयोजकम् ॥१०॥ બુદ્ધિ વડે જુદા સમજવામાં આવેલ તે (જાતિ વગેરે ધર્મો)માં (દ્રવ્યના). ધર્મનો આરોપ દુર્લભ નથી, કારણ કે તેમાં આપવામાં આવેલ પરધર્મનું વાસ્તવિક કે આપિત અસ્તિત્વ મહત્વનું નથી. (૧૦)
सामान्येष्वपि सामान्यं विशेषेषु विशिष्टता ।
संख्यासु संख्या लिङ्गेषु लिङ्गमेवं प्रकल्पते ॥११॥ આ પ્રમાણે સામાન્યામાં સામાન્ય, વિશેષમાં વિશેષ, સંખ્યામાં સંખ્યા અને લિંગમાં લિંગની કલ્પના શક્ય છે. (૧૧)
દ્રવ્યમાં સામાન્ય, સંખ્યા, લિંગ વગેરે વિશિષ્ટ ધર્મોને સ્વતંત્ર રીતે સમજવાની પરંપરા વિશેષિક વગેરે દર્શાનમાં જાણીતી છે. આ સામાન્ય વગેરેને દ્રવ્ય માનતાં તે સામાન્યમાં પણ તેમના સામાન્યની કલ્પના કરી શકાશે. આવી કપના બુદ્ધિમાં આરૂઢ હોય છે અને શબ્દો દ્વારા અપદધત બને છે. ગોવાદિ સામાન્યામાં પણ તેમના સામાન્યની ક૯પના કરી શકાશે. એ પ્રમાણે જુદાજુદા વિશેષમાં સમાન રૂપે રહેલ સામાન્યની અને એકબીજાથી ભિન્નતા દર્શાવતા વિશેષની કલ્પના કરી શકાશે. સંખ્યા અંગે આ વાત સ્વીકારતાં તે સંખ્યામાં શતમ્, શસે, તાનિ એવી બીજી સંખ્યાઓ કહ૫વામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org