________________
ત્રીજું કાંડ
ગુણ, દ્રવ્યને આશ્રયે રહેલ હોવાથી તે નિત્ય પરતંત્ર છે. દ્રવ્યનો સ્વાભાવિક ધર્મ સ્વાતં ય છે. આવા સ્વાતંત્ર્યનો આરોપ ગુણ ઉપર કરવામાં આવે છે, જેમ કે, વટહ્ય હાકુ ! (વસ્ત્રનુ' રૂ૫). એ પ્રમાણે સંખ્યાનો આશ્રય ગુણમાં ન હોવાથી ગુણ સંખ્યા વડે ભેદ્ય અર્થાત વ્યવહેદ્ય બનતો નથી, પરંતુ દ્રવ્યને ભેદ્યત્વરૂપી ધર્મ ગુણમાં આરોપવામાં આવે છે. ગુજઃ પર: એવા ઉદાહરણમાં શુકુલ ગુણ દ્રવ્યના ઉપસર્જન રૂપે અર્થાત્ ગૌણ રૂપે છે. આ ઉદાહરણમાં સુલત્વ ગુણ દ્રવ્ય સાથે સમાન અધિકરણમાં હેવાથી દ્રવ્યના ધર્મ સાથે સમન્વિત બને છે. પરંતુ વટહ્ય વટનું કે વટહ્ય પમ્ ! એવાં ઉદાહરણોમાં શુક્લત્વ, ગુણને ધર્મ છે અને રૂ૫ત્વ સંખ્યાનો ધર્મ છે. વાસ્તવમાં શુકલત્વ કે રૂ૫ત્વ દ્રવ્યના ધર્મો છે, છતાં શબ્દશક્તિના સંદર્ભમાં આવા વ્યવહાર પ્રયોગ શકય બને છે.
स्वबुद्ध्या तमपोद्धृत्य लोकोऽप्यागममाश्रितः ।
स्वधर्मादन्यधर्मेण व्याचष्टे प्रतिपत्तये ॥६॥ (વૈશેષિક) આગમને અનુસરીને સામાન્ય જન પણ પિતાની બુદ્ધિ વડે તે (ગુણ)ને (દ્રવ્યથી) જુદે સમજીને (બીજાના) બેધ માટે, (ગુણના) પિતાના ધર્મથી જુદા ધર્મવાળે સમજાવે છે. (૬)
વૈશેષિકોને અનુસરીને સામાન્ય જન પણ ગુણને દ્રવ્યથી જુદો સ્વતંત્ર ધર્મ સમજે છે અને ગુણને સંખ્યાથી જોડે છે જેમ કે, વરચ ા વિન્ન દામ્ માં રૂપને એક એવી સંખ્યા સાથે જોડ્યો છે. આ લધુ વ્યવહાર શબ્દશક્તિના પ્રભાવથી થાય છે.
परोपकारतत्त्वानां स्वातन्त्र्येणाभिधायकः ।
शब्दः सर्वपदार्थानां स्वधर्माद् विप्रकृष्यते ॥७॥ પિતાનાથી જુદા ધર્મ વડે કરેલા ઉપકારરૂપી સ્વરૂપવાળા બધા પદાર્થોનું સ્વતંત્રપણે અભિધાન કરનાર શબ્દ, પોતાના (વાચકરૂપી) ધર્મથી દૂર થાય છે. (૭)
કેઈપણ પદાર્થ તેના ધર્મો વિનાનો કપી શકાતો નથી. પદાર્થના સંસર્ગી ધર્મના સંબંધ વિનાનું શુદ્ધ રૂ૫ હેતું નથી. જેમ ગુજરા: વટ: I માં વટ તેના સુવા એવા ધર્મ સાથે સંબંધ વિનાને ક૯પી શકાતો નથી તેમ વરહ્ય હામ | માં ગુણ એવું રૂપ પણ તેની સાથે રહેલ સંખ્યાના સંસર્ગ વિના અભિધાન પામતું નથી. અભિધેય પદાર્થોને તેમના ધર્મોના સંસર્ગ વિના જાહેર કરવાની શબ્દોની શક્તિ મર્યાદિત છે.
यथैवाविषयं ज्ञानं न किञ्चिदवभासते ।
तथा भावोऽप्यसंसृष्टो न कश्चिदुपलभ्यते ।।८।। જેમ જ્ઞાન કોઈ વિષયના સંબંધ વિનાનું હોતું નથી તેમ, પિતાના ધર્મો સાથેના) સંબંધ વિનાનો કઈ પદાર્થ હોતો નથી. (૮).
Jain Education International
'For Private & Personal Use Only
www.jainelibrary.org