SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ વાય૫થીય વૈશેષિક મતમાં સંખ્યા ગુણ રૂપે છે અને દ્રવ્યમાં રહેલી છે. પદાર્થ જ્યારે એકલો હોય છે ત્યારે એકત્વ સંખ્યાવાળો હોય છે, અને બીજા પદાથે સાથે હોય ત્યારે બે, ત્રણ એવી સંખ્યાવાળા કહેવાય છે. આમ સંખ્યા દ્રવ્ય સાથે જોડાયેલી છે. હેલારાજ જણાવે છે કે આ વાત બરાબર નથી. સંખ્યા દ્રવ્યથી ભિન્ન છે કે અભિનન છે, એ બાબતમાં વૈયાકરણોને રસ નથી. વશેષિકેની પદાર્થવિચારમાં જિજ્ઞાસા હોય છે તેવી, વૈયાકરણની જિજ્ઞાસા પદાર્થમાં નહિ પરંતુ પદાર્થને વ્યક્ત કરનારા શબ્દોમાં છે (માઇ તુ ર૯प्रमाणकानां पदार्थविचारानादरादू यथायथ' पदार्थकल्पना तीथिकैः कृता । किमनेन निष्प्रयोजनेना. स्माभिर्विचारेण शब्दार्थस्येह विचारयितुं प्रक्रमात् । समवेता परिच्छेद्ये क्वचिदन्यत्र सा स्थिता । प्रकल्पयति भावानां संख्या भेदं तथात्मनः ॥३॥ જુદા સમજાતા પદાર્થમાં સમવાય સંબંધવાળી, અને કોઈ વાર બીજે (પણ) રહેલી સંખ્યા, (બીજા) પદાર્થોની તેમજ પિતાની ભિન્નતાને જાહેર કરે છે. (૩) સંખ્યાનો સંબંધ દ્રવ્ય સાથે છે. દ્રવ્યમાં તે સમવાય સંબંધથી રહેલી છે અને દ્રવ્યને એકબીજાથી વિભક્ત સમજાવે છે, જેમ કે, એક ઘડે, અથવા પચીસ ગુણે, અથવા એક સે, બસે વગેરે. ગુણ, જાતિ, સામાન્ય, અભાવ વગેરેમાં પણ સંખ્યાને આરોપ કરવામાં આવે છે. જેમ કે ચોવીશ ગુણ, પાંચ કર્મળતિઓ, બે સામાન્ય, ચાર અભાવ વગેરે. શબ્દવ્યવહાર વાસ્તવિક અને આરેપિત એમ બન્ને પ્રકારના ગુણે સાથે સંકળાયેલો છે. परत्वे चापरत्वे च भेदे तुल्या श्रुतिर्यथा । संख्याशब्दाभिधेयत्वं भेदहेतोस्तथा गुणे ॥४॥ જેમ દ્રવ્યમાં પછીનું અને પહેલાંનું એવા દેશ)ભેદ દર્શાવવા માટે તેવા જ શબ્દો (પર અને અપર) વપરાય છે, તેમ ગુણમાં પણ ભેદ (દર્શાવવા)નું નિમિત્ત સંખ્યાશબ્દ વડે વાચ્ય બને છે. (૪) દ્રવ્યની સાથે, દેશસંબંધને કારણે, પરત્વ અને અપરત્વ એવા ગુણો રહેલા છે. તે ગુણોને કારણે દ્રવ્ય માટે પછીનું અને પહેલાંનું એવા શબ્દોનો વ્યવહાર થાય છે. ગુણો અંગે પણ આવા પર અને અપર શબ્દો વડે વ્યવહાર શક્ય બને છે. એ પ્રમાણે એક, બે, વગેરે સંખ્યાને વ્યવહાર પણ દ્રવ્ય અને ગુણના સંબંધમાં સમજવાનો છે. अस्वतन्त्रे स्वतन्त्रत्वं परधर्मो यथा गुणे । अभेधे भेद्यभावोऽपि द्रव्यधर्मस्तथा गुणे ॥५॥ જેમ દ્રવ્યને સ્વતંત્રતા (રૂપી ધર્મ) અસ્વતંત્ર (એવા ગુણ)માં આપવામાં આવે છે તેમ, દ્રવ્યને ભેઘત્વરૂપી ધર્મભેદ્યત્વ વિનાના ગુણમાં આપવામાં આવે છે. (૫) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy