SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ ૪૩ એટલે ઉર્વશતિ વગેરેનો પ્રયોગ કરવામાં પણ વાંધો ન હોવો જોઈએ. તેથી વિંશતિ વગેરે લિંગ અને સંખ્યા સાથે જોડાશે. જેમ બીજા ગુણવાચક શબ્દ, જે દ્રવ્યનો તેઓ આશ્રય કરે છે, તેમનાં લિંગ અને વચનને અનુસરે છે તેમ, વિંશતિ વગેરે પણ તેમના આશ્રયોનાં લિંગ અને સંખ્યાને અનુસરવા જોઈએ. પણ આમ બનતું નથી. ધનમ્ વગેરે શબ્દની જેમ વિશfસ વગેરે પણ તેમના આશ્રયનાં લિંગ અને વચનને અનુસરતા નથી. જેમ કે જાવઃ ઘનમ્ ! પુત્રા: પ્રવચમ્ | રૂદ્રાના સેવતા 1 આનો ઉત્તર એ છે કે કંઈક ચક્કસ ગણની પ્રધાનપણે વિવેક્ષા હોય છે. જેમ કે અa: પુત્રF , સિમિ: યુન્ , એવાં ઉદાહરણોમાં અશ્વો અને તલવારરૂપી ગુગો અર્થાત સાધનાવાળા સૈનિકે લડવા. તે પ્રમાણે વિત ઃ જાવ: | માં વીસ સંખ્યા એ ગુણ મુખ્યપણે વિવક્ષિત છે, અને આ ગુણ એક હોવાથી ઉર્વશતિ: તે એકવચન પ્રાપ્ત થયું છે. મારિપુછવંચાવરિમાળારૂઢમ્ | (વી. ૩. ક. ૧. ૧૬ આ સૂત્રથી તદ્વતિ | સુત્ર ૫.૧.૬૩ સુધી, જેમને માટે ચક્કસ પ્રત્યયનું વિધાન થયું નથી, તેમને કહ્યું પ્રત્યય લાગે છે. પરંતુ તે શબ્દોમાંના , પુછે, પંડ્યા અને રિમાળ એ શબ્દોને ય ને બદલે 8 પ્રત્યય લાગે છે) ઉપરના ભાગ્યમાં સંખ્યા અને પરિમાણ અંગે કેટલાક વિચાર મળે છે. સામાન્ય રીતે સંખ્યા પણ એક પ્રકારનું પરિમાણ જ છે. તેમ છતાં આ સૂત્રમાં સંખ્યા અને પરિમાણ એવા બે શબ્દો નેધવામાં આવ્યા છે. તેના ઉપરથી સિદ્ધ થાય છે કે બન્નેને અથ જુદો છે. આ બાબત યુક્તિસિદ્ધ છે, એને માટે જ્ઞાપકે રજુ કરવાની જરૂર નથી. સંખ્યા ભેદ દર્શાવે છે. પરિમાણને વ્યુત્પતિજન્ય અર્થ છે, ચારે તરફથી માપ. આટલી બાજરી એમ ધાન્યની ઈયત્તા દર્શાવવા માટે તેનું પરિમાણ કહેવામાં આવે છે. પરંતુ આવા પરિમાણમાં પણ અર્થે શેર, એક શેર વગેરે વિશેષતાઓ જણાવવા માટે સંખ્યાની મદદ લેવામાં આવે છે. આ સંખ્યાવિશેષ પરિમાણુ, ઉન્માન કે પ્રમાણ વડે દર્શાવાતા નથી. ઉન્માન એટલે વજન. જેમ કે તોલો, અધેળ વગેરે. કોસ વગેરે લંબાઈ (આયામ)ના માપને પ્રમાણુ કહે છે. સંખ્યા આ ત્રણથી જુદી છે. ચાર તોલા, ચાર કેસ એવા પ્રયોગોમાં ચાર એવા સંખ્યાશબ્દથી ઇયત્તાનો બોધ થતો નથી, પરંતુ તોલા, કોસ વગેરેથી ઈયત્તાનો બંધ થાય છે. આમ સંખ્યા પ્રમાણ કરતાં જુદી હોવાથી ઉપરના સૂત્રમાં સંખ્યાથી સંખ્યા અને પરિમાણને જુદો ઉલ્લેખ પાણિનિએ કર્યો છે. સરખાવો મહાભાષ્ય (વા. . . ૧, ૧૨). ऊर्ध्वमान किलोन्मान परिमाण तु सर्वतः । आयामस्तु प्रमाण स्यात् सख्या बाया तु सर्वतः ।। स धर्मा व्यतिरिक्तो वा तेषामात्मैव वा तथा । भेदहेतुत्वमाश्रित्य संख्येति व्यपदिश्यते ॥२॥ - તે ( ખારૂપ) ધર્મ (દ્રવ્યરૂપ આશ્રયથી ) જુદો હોય અથવા તેમનાથી અભિન્ન હોય (પરંતુ), ભેદને દર્શાવવાના કારણરૂપ હોઈ તે સંખ્યા એવા નામે ઓળખાય છે. (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy