SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ संख्यासमुद्देशः ૧૧ સંખ્યામુદ્દેશ संख्यावान् सत्वभूतोऽर्थः सर्व एवाभिधीयते । भेदाभेदविभागो हि लोके संख्यानिवन्धनः ॥१॥ બધા દ્રવ્યરૂપ પદાર્થો સંખ્યાવાળા છે, એમ જણાવવામાં આવે છે. વ્યવહારમાં ભેદ અને અભેદ એવા વિભાગો સંખ્યાને આધારે હોય છે. (૧) સંખ્યા એવો પારિભાષિક શબ્દ પાણિનિના સમય પહેલાંથી જાણીતું હતું. કેને સંખ્યા કહેવી એની વ્યવસ્થા કરતાં પાણિનિએ જણાવ્યું છે કે વદુ અને જળ શબ્દોને અને જેને અંતે વત્ અને ૩૬ પ્રત્યયો આવે તેવા શબ્દોને સંખ્યા એવું નામ આપવું (વસુાળવતુતિ સંડ્યા | ૧. ૧, ૨૨ ). કેટલાક સંખ્યાશોને જુદું નામ આપવું એવું તેમણે કરાયું છે. જેમકે, દળાતા પર્ ! અર્થાત ષકારાન્ત અને નકારાન્ત સંખ્યાશબ્દોને સંતા કહેવી. વાર્તિકકાર જણાવે છે કે એક, બે વગેરે લૌકિક સંખ્યા શબ્દોને વ્યાકરણશાસ્ત્રમાં પણ સંખ્યા સંજ્ઞા કહેવી. સંખ્યા શબ્દથી એક, બે, સે વગેરેનું ગ્રહણ થાય છે. વચન અને સંખ્યા પૂર્વાચાર્યોની સંજ્ઞા છે. દ્વિવચન શબ્દ નિરૂક્તમાં મળે છે ( વા મેઘશ્વ પરહ્યા સાવ વિનં . ચાર (૬. ૧૬. ૭) પતંજલિ જણાવે છે કે વ્યાકરણશાસ્ત્રમાં લાઘવનું ધ્યેય રાખીને જ સંજ્ઞાઓ કરવામાં આવે છે. સંખ્યાબ્દ ને લવી સંજ્ઞા કહેવાય નહિ. આવી મહતી સંશા કરવાનું કારણ સંખ્યા શબ્દને અન્વર્થ સમજવા માટે છે. જેના વડે ગણતરી કરવામાં આવે છે ત્યારે મનયા ) તે સંખ્યા. વ્યવહારમાં એક, બે, એવા સંખ્યા શબ્દો વડે પણ ગણતરી કરવામાં આવે છે. તેથી વ્યાકરણશાસ્ત્રમાં તેમને પણ સંખ્યાશબ્દો સમજવા. વ્યવહારમાં વપરાતા કેટલાક સંખ્યા શબ્દોને પાણિનિએ નોંધ્યા છે, જેમ કે વિંશત્તિ, ત્રિરાત , વવારશત, ૧ળ્યાશત્ , ષષ્ટિ, સતત, અતિ, નવતિ, શતમ્ (વા. . ૬. ૧. પs). કાત્યાયન અને પતંજલિ આ શબ્દની વ્યુત્પત્તિની અર્થાત્ તેમનાં પ્રકૃતિ અને પ્રત્યેની ચર્ચા કરે છે. પતંજલિ જણાવે છે કે વિજ્ઞતિ વગેરે શબ્દ અવ્યુત્પન્ન પ્રાતિપાદિકે છે. ઉર્વશરત વગેરે શબ્દોનો અર્થ સંઘ, સમૂહ અથવા સમુદાય છે અને તે શબ્દો એક પ્રકારના ધર્મ અથવા લક્ષણનો બંધ કરાવે છે. ધર્મવાચક શબ્દ ગુણવાચક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy