SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ દીપિકા(પૃ. ૩, પૂના ૧૯૬૫)માં જણાવ્યું છે કે "ઉચ્ચરિત શબ્દ ક્રમવાન છે અને અર્થ પ્રાપ્તિ કરાવનાર બુદ્ધિસ્થ શબ્દાત્મા અક્રમ છે. તે અર્થરૂપે છે. તે સ્ફટ છે અને નિત્ય અર્થાત્મા છે. ક્રમપૂર્વક ઉત્પન્ન થયેલા ધ્વનિએ વ્યક્તિરૂપે છે.” (યો વાચમુવાચેતે #Hવાન વિર: રિન્ય: ગન: શરામ યુથો વિનાતે તસ્મા પ્રતિતિ: ... एतच्चा स्वरूपम् । स्फोटोऽयमेव शब्दात्मा नित्यः । દીપિકાનાં આ વચનો અને ફેટ અંગેનાં વાક્યપદીમાં પ્રાપ્ત થતાં કથને અંગે વિવાદ પ્રાપ્ત થાય છે. કોડિલાદના “નિર્ણયના પિતાના સંપાદન (પૂના, ૧૯૬૭)ની પ્રસ્તાવનામાં પ્રેફ. એસ. ડી. જોષીએ વાકયપદયની બ્રહ્મકાંડની નવ કારિકાઓ-બીજાં કાંડમાં સ્ફોટને ઉલ્લેખ નથી-તપાસીને નિષ્ક રજુ કર્યો છે કે પતંજલિના ફેટ અંગેના ઉલ્લેખની જેમ ભતૃહરિના સ્ફોટના વિચારોમાંથી “ટ એક અને અખંડ ધ્વનિતત્વ રૂપે (sound-pattern) અને વનિસમૂહની પ્રકૃતિ રૂપે છે એવો નિશ્ચય પ્રાપ્ત થાય છે. તે અર્થવાહક તત્ત્વ નથી અને કેટ તથા પછીના વૈયાકરણો માને છે તેમ તે શબ્દબ્રહ્મ પણ નથી.” વાક્ય પદયનું શ્રી જેવીનું ફેટ અંગેનું અર્થદર્શન અપરિહાર્ય માનીએ તો, 'દીપિકા' જેમાં ફેટનો નિત્ય અર્થાત્મા” રૂપે વિચાર, એક મતાન્તર અથવા દીપિકાકારના પિતાના વિકલ્પ અથદન તરીકે રજૂ થયો છે, તે ભહરિની કૃતિ નહિ, પરંતુ અનુભર્તુહરિકાલની કઈક કૃતિ હોવી જોઈએ એમ સ્વીકારવું પડે. શૈલીની ભિન્નતાને બાદ કરતાં ભdહરિના દીપિકાના કવના વિરોધમાં કશે નિશ્ચય થતો નથી. આ ઉપરાંત કુમારિ, પ્રભાકર, ધમકીર્તિ અને મંડમિશ્રની કૃતિઓમાં ફેટને અર્થવાહક તત્વ તરીકે સમજવા તરફને અભિપ્રાય દઢ થાય છે. સંભવ છે કે કુમારિક વગેરેને ભર્તુહરિનો ફેટ, તેણે શબ્દતત્વના કરેલા ઉલેખોને કારણે અર્થવાહક, નિત્ય અને અક્ષરરૂપે સમજાયો હોય. આ સમથ દાર્શનિકોમાં આવો વિશ્વમ કેટલે અંશે યોગ્ય છે એ વિચારવું રહ્યું. પદવાદી મીમાંસકની દલીલ તરફ સતત અણગમો અને વિરોધ દર્શાવવાની તેમની પ્રવૃત્તિ છે. વાકયને તે જાતિરૂપ અખંડ વાક્ય સમજે છે. આવું અખંડત્વ પ્રતિભાના ઉન્મેષ વડે પ્રાપ્ત થાય છે. પદોના અપોસ્કૃત અર્થના પ્રહણ વખતે વિશિષ્ટ પ્રતિભારૂપ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ પ્રતિભાને વાક્યર્થ કહે છે. માનવી, પશુ અને પંખીઓના સર્વે વ્યવહારે તેને આધીન છે. શબ્દના ગૌણુમુખ્યભાવમાં, દ્રવ્યમાં, ગુણમાં, ક્રિયામાં, અને આ બધાના અર્થોમાં, તેમજ સમાસના ઉપસર્જન પદના વચનમાં અખંડાર્યતા અને અભેદૈત્વ રહેલાં છે. ઉપર સૂચવ્યું તેમ વ્યાકરણ બધા વાદે અને દર્શનભેદના સમન્વયરૂપ છે. વ્યાકરણમાં વસ્તુનો અર્થ એ અર્થ નથી પરંતુ શબ્દાર્થ એ જ અર્થ છે. આ વાત વારંવાર જણાવતાં પતંજલિ કંટાળતા નથી. તેમને પગલે ચાલીને ભર્તુહરિએ પણ વાયપદીયના વિચારોની ચર્ચામાં સર્વમતનિદર્શનને આદર્શ અપનાવ્યો છે. ભહરિના આ વલણની પુષ્ટિ કરતાં હેલારાજે જણાવ્યું છે કે “શાસ્ત્રચર્ચા અમારું ધ્યેય છે; દશનો વચ્ચે વિવેક સ્થાપિત કરવાનું કામ અમારું નથી. અમે દર્શનાતરની પ્રક્રિયાને રજૂ કરતા નથી પરંતુ પ્રમાણુ વડે જે સિદ્ધ થાય તેને દશનને યોગ્ય માનીએ છીએ.” (વાક્યપદીય, હેલારાજ ટીકા, ૩.૧.૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy