________________
४६
શબ્દપસંદગી, વાકયેજના, રજૂઆત અને વૃત્તરચના અંગે ભર્તુહરિની કારિકાઓને નાગાર્જુન(ઇ.સ. ૨૧૦)ની મધ્યમકવૃત્તિની, દિગ્ગાગ (૪૫૦-પર૦)ના “પ્રમાણ સમુચ્ચય'ની, કુમારિક (ઈ.સ. ૫૫૦)ના “શ્લોકવાર્તિક”ની; ધર્મકીર્તિ (ઈ.સ. ૬૦૦)ના પ્રમાણવાતિકની અને મંડન મિશ્ર (ઈ.સ. ૬૬૦)ના “સ્ફટસિદ્ધિ'ની કારિકા સાથે તેમજ વ્યાડનાં પડ્યો અને મહાભાષ્યમાં મળતાં પદ્યો સાથે સરખાવી શકાય. નાગાર્જુનની તર્કબદ્ધતા અને અપરિહાર્ય દલીલની સ્પષ્ટતા, દિગ્ગાગની કારિકાઓની સુધદતા અને સર્વગ્રાહિતા, કુમારિસના કટાક્ષ અને નર્મ, ધર્મકીર્તિની દુર્બોધતા, દલીલેનું અણઉકેલ ગુંફન અને ઉચ્ચતમ તર્ક શક્તિ અને મંડનની પ્રસન, ગંભીર અને વિશદ રજુઆતને બદલે ભતૃહરિની કારિકાઓમાં સરલતા, કવચિત દુર્બોધતા અને વિચારપૌઢી જણાય છે. તે પ્રાચીન પારિભાષિક શબ્દોથી સુમંડિત છે અસ્પષ્ટ મુદ્દાને કે દુર્બોધ તત્ત્વવિચારને પુન:કથન દ્વારા ઉદાહરણ આપીને તે સમજાવે છે. સિદ્ધાંતનિરૂપણ માટે લૌકિક અને વૈદિક પ્રયોગોની તે મદદ લે છે. એક અર્થ દર્શાવવા માટે અનેક શબ્દો તે વાપરે છે, જેમ કે સમજવામાં આવે છે' માટે પ્રતિ, વિપીરસે મમધીરે, ૩૧વર્યો, રસે, વાહિશ્યતે, ગ્રતીયતે, લતે જેવા પ્રયોગ તે કરે છે. તોમરચમિસરૂપઃ ને વારંવાર વાપરવામાં તેમને વાંધો નથી. આમ ભતૃહરિની વાણીમાં આર્ષ સરલતા, સુબદ્ધ અર્થવિચાર અને તત્ત્વદષ્ટિની સમતુલા સિદ્ધ થઈ છે. વિપુલ વનરાજ દ્વારા આચ્છન્ન એકાંત જળાશયનાં નિર્મળ સલિલ જેવી વિમલા તેમની તત્વપ્રજ્ઞા છે. ઋષિના ચિત્ત જેવું શાંત તેમનું ચિત છે. આ ચિત્તનું ઉત્તમ પ્રતિબિંબ વાકયપદીય છે. બાહ્ય પ્રકાશની પણ પ્રકાશિકા વાગરૂપતા ન હોય તે જ્ઞાનરૂપી પ્રકાશ ઝળહળતો નથી.
वापता चेदुत्क्रामेदवबोधस्य शाश्वती ।
ન કાશ: કારોત ના દિ પ્રચવમર્શની || વાકય પદીય ૧.૧૩૨ આ પ્રકાશને ઝળહળતો રાખનારા ભતૃહરિના કાર્યને પુનરુદ્ધાર થઈ રહ્યો છે તે આનંદપ્રદ અને સંતોષપ્રદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org