________________
पुरुषसमुद्देशः ।
પુરુષસમુશ
प्रत्यक्ता परभावश्चाप्युपाधी कर्तृकर्मणोः ।
तयोः शृतिविशेषेण वाचको मध्यमोत्तमौ ॥१॥ કર્તા અને કર્મનાં વિશેષ રૂપે અહંભાવ અને પરભાવ છે. વિશિષ્ટ શબ્દ વડે, પહેલે અને બીજો પુરુષ, તેમના વાચક બને છે. (૧)
ધાતુને લાગનારા પ્રત્યયો વડે વ્યક્ત થનારી વિશેષતાઓ કાલ, પુરુષ, સંખ્યા અને ઉપગ્રહ વડે દર્શાવાય છે. નવમા સમુદેશમાં કાલની ચર્ચા કરવામાં આવી. હવે ક્રમે ક્રમે અકેક સમુદેશમાં પુરુષ, સંખ્યા અને ઉપગ્રહની ચર્ચા કરવામાં આવશે.
ઉત્તમ, મધ્યમ અને પ્રથમ અર્થાત્ પહેલે, બીજે અને ત્રીજે એવા ત્રણ પુરુષ, વ્યાકરણ શાસ્ત્રમાં જાણીતા છે. પ્રત્યક્તા એટલે અન્તર્યામી જીવાત્મા. દરેક વ્યક્તિમાં તે સક્રિય છે. અથવા પ્રત્યક્તા એટલે ચોક્કસપણે સક્રિય બનનાર. અહપ્રત્યય અથવા અહભાવ માટે આ શબ્દ વપરાય છે. આ અહંભાવના વાચક ઉત્તમ પુરુષ અર્થાત્ પહેલા પુરુષના પ્રત્ય છે. પૂવે, વવામિ જેવા પ્રયોગોમાં કર્તાની ઉપાધિ એટલે વિશેષણ રૂપે પહેલો પુરુષ રહેલો છે.
પરભાવ બીજા પુરુષના પ્રત્યય વડે વાચ્ય બને છે. વિવિ, વવરે જેવા પ્રયોગોમાં તે કર્તાના વિશેષણ રૂપે છે. કર્તા અને કર્મના વિશેષણ રૂપે જે રહેલ છે તેને પુરુષ કહે છે. (યઃ જર્નાશિફળમૂતઃ સ પુરુષ: I) આવો પૂર્વાચાર્યોને મત છે.
सदसद्वापि चैतन्यमेताभ्यामेव गम्यते ।
चैतम्यभागे प्रथमः पुरुषो न तु वर्तते ॥२॥ આ બે (પુરૂષ)માંથી જ સ્વાભાવિક અથવા આરેપિત ચૈતન્ય સમજાય છે. ચૈતન્ય રૂપી ભાગને ત્રીજો પુરુષ દર્શાવતો નથી. (૨)
પહેલા અને બીજા પુરુષ વડે સ્વ અને પરમાં અધિષ્ઠાન પામેલા ચૈતન્યને બંધ કરાવવામાં આવે છે. પહેલા બે પુરુષો હમેશાં ચેતન પદાર્થોને બંધ કરાવે છે. આવું રૌતન્ય સદ્ એટલે સ્વાભાવિક અર્થાત વસ્તુગત હોય છે, અથવા અસદુ એટલે તે પદાર્થ ઉપર આપવામાં આવેલું હોય છે. જેના ઉપર ચિતન્યને આરોપ કરવામાં આવે તે પદાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org