SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજું કાંડ ૪૦૭ વાર્તિક અને ભાષ્યમાં પ્રાપ્ત થતી આ ચર્ચાને પોતાની રીતે સમજાવતાં ભર્તહરિ જણાવે છે કે ઈન્દ્રિયાર્થસંનિક જેવી પ્રવૃત્તિ પદાર્થગ્રહણ માટે જવાબદાર હોય છે, કો નેત્રવડે જોવામાં ન આવતાં તે ભૂતકાળની બાબત બને છે, અને જોવામાં આવતાં તે વર્તમાનકાળની બાબત બને છે. આ પ્રમાણે જે તે કાળ સાથે સંબંધમાં આવતા પદાર્થો તે તે કાળના વિષય બને છે. अस्तित्व वस्तुमात्रस्य बुद्ध्या तु परिगृह्यते । यः समासादनाद्भेदः स तत्र न विवक्षितः ॥११३।। વસ્તુમાત્રના અસ્તિત્વનું બુદ્ધિ વડે ગ્રહણ કરવામાં આવે છે. (ઈન્દ્રિય અને પદાર્થના) સંબંધને કારણે, અસ્તિત્વની જે ભિન્નતા સમજાય છે, તે આ બાબતમાં વિવક્ષિત નથી. (૧૧૩) ઈન્દ્રિય અને પદાર્થને સંબંધ વર્તમાનમાં હોય તો અસ્તિત્વ વર્તમાનમાં જ ગણાય એમ જે માનવામાં આવે તો ભૂત અને ભવિષ્યના સંબંધમાં “કુવો છે' એવો પ્રયોગ થશે નહિ. આવી શંકાના જવાબમાં જર્ણવવામાં આવે છે કે જ્યાં માત્ર વસ્તુની સત્તા બુદ્ધિ વડે ગ્રહણ કરવામાં આવતી હોય અને ઇન્દ્રિયસંબંધની સત્તાનું ગ્રહણ કરવાનું ન હોય ત્યાં સત્તાના પરસ્પર વિરોધી મેદો પ્રાપ્ત થતા નથી. योगाद् वा स्त्रीत्वपुंस्त्वाभ्यां न किञ्चिदवतिष्ठते । स्वस्मिन्नात्मनि तत्रान्यद् भूतं भावि च कथ्यते ॥११४॥ અથવા સ્ત્રીત્વ (અર્થાત્ ક્ષય) અને પુત્વ (અર્થાત વૃદ્ધિ) સાથેના સંબંધને કારણે કોઈપણ વસ્તુ (પરિણામ પામ્યા વિના) પોતાનામાં રહી શકતી નથી, (તેથી) ભૂત અને ભવિષ્યને જુદાં ણાવવામાં આવે છે. (૧૧૪) આ જગતમાં કઈ પણ પદાર્થ ક્ષણવાર પણ પિતાનામાં સ્થિર રહી શકતો નથી. ત્યાં સુધી વધવાન હોય ત્યાં સુધી વૃદ્ધિ પામે છે અને જ્યારે તેનો ક્ષય થવાને હોય ત્યારે क्षय पाछे (न हि कश्चित्स्वस्मिन्नात्मनि मुहुर्तमप्यवतिष्ठते, वते यावदनेन विर्धितष्यम् અપાન વા યુક્યતે | ( મ. મા. પા. પૂ. ૪. ૧. ૨ હિત્રયામૂ ) સ્ત્રી એટલે ક્ષય અથવા નાશ અથવા સંરત્યાન અથવા અપચય. પુત્વ એટલે ઉત્પત્તિ અથવા પ્રસવ. પદાર્થોના આવા ધર્મોને કારણે તે તે પદાર્થ જુદા જુદા કાળમાં જુદું જુદું અસ્તિત્વ ધારણ કરે છે. બુદ્ધિ વડે, પદાર્થના સામાન્યરૂપને અભિનપણે બંધ થતાં, હંમેશાં વર્તમાનવ સિદ્ધ થાય છે. (અમેન તુ કુવંશી સમીક્ષ્ય હવામાયમeતીતિ વર્તમાન રચવા વિમ્ –હેલારાજ) છે શુત્તિ વાઢવમુરાઃ | આ પ્રમાણે કાલસમુદેશ પૂરે થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy