SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ વાકયષીય अबहिःसाधनाधीना सिद्धिर्यत्र विवक्षिता । તરસાધનાત્તામાવાન સિદ્ધમરચરિતે ૨૨મી જે કાર્યની સિદ્ધિ અંતરંગ સાધનને આધારે વિવક્ષિત હોય છે, તે કાર્ય બીજા સાધનના અભાવને કારણે સિદ્ધ છે એમ કહેવાય છે (૧૧૦) કાય જે અનેક કારણોના સમુદાયથી સિદ્ધ થતું હોય તો એક જ સાધનથી કેવી રીતે સિદ્ધ થાય એવી શંકાના જવાબમાં અહીં કહેવામાં આવ્યું છે કે અંતરંગ સાધન કાર્યને સિદ્ધ કરે છે. બીજી બાહ્ય સાધનો નહિ, “દેવદત આવશે તે આ કાર્ય સિદ્ધ થશે” એવા ઉદાહરણમાં અંતરંગ સાધન નિમિત છે, તેથી તેનું મહત્વ છે. તે પ્રમાણે “દેવે વૃષ્ટિ કરી, કરશે કે કરે છે તે ડાંગર તૈયાર થઈ, થશે અથવા થાય છે” એમ લેકપ્રયાગ પ્રમાણે ત્રણ કાર્ય સિદ્ધ થશે. तस्मादवधिभेदेन सिद्धा मुख्यैव भूतता । अनागतस्वमस्तित्व हेतुधर्मव्यपेक्षणे ॥१११॥ તેથી જુદાં જુદાં કારણોને લીધે (કાર્યનું મુખ્ય ભૂતત્વ સિદ્ધ થાય છે, તે જ પ્રમાણે સાધનની પ્રવૃત્તિના ભાવિત્વ અને અસ્તિત્વ પ્રમાણે ભવિષ્યત અને વર્તમાનનું મુખ્યત્વ સિદ્ધ થાય છે. (૧૧૧) सतामिन्द्रियसंबन्धात्सैव सत्ता विशिष्यते । भेदेन व्यवहारो हि वस्त्वन्तरनिबन्धनः ॥११२॥ અસ્તિત્વવાળા પદાર્થોના ઈન્દ્રિયો સાથેના સંબંધને કારણે તે અસ્તિત્વ (વતમાન, ભૂત અને ભવિષ્યત કાલ પ્રમાણે) જહું સમજાય છે, (કાલ પ્રમાણે) જુદો વ્યવહાર, જુદી જુદી પ્રવૃત્તિઓને આધારે થાય છે. (૧૨) વા. . રૂ.૩.૧ ૩૩ ઉપરના વાર્તિક ૫ માં પૂવપક્ષ તરીકે જણાવવામાં આવ્યું છે કે અસ્તિત્વનો અર્થ દર્શાવનાર ક્રિયારૂપમાં વર્તમાનકાળના અર્થમાં બધા કાળના પ્રત્યનું વિધાન કરવું જોઈએ, કારણ કે કર્તાનું અસ્તિત્વ હમેશાં હેય છે (મહત્વનાં મનત્ય સર્વા વિમwયઃ વિમાનવાન્ ! ), “કૂવો હતો ? એવા ઉદાહરણ ઉપરાંત “ક છે, કુવો હશે” વગેરે પ્રયોગ કરતી વખતે કુવારૂપી કર્તાનું અસ્તિત્વ સર્વકાળમાં પ્રાપ્ત થાય છે, આ વાત બરાબર નથી, કારણ કે જુદા જુદા કાળના પ્રત્યેનું તે તે કાળમાં, ઉચ્ચારણ પ્રમાણે વિધાન કરવામાં આવે છે. (સિä તુ યથાવકારું સમુઘારાત ! ) આ બાબતને સમજાવત વાસ્તિકકાર જણાવે છે કે ઉપર જણાવ્યા તેવા વિક૯પગનું તે તે કાળ સિવાય બીજા કાળમાં સાધુત્વ માન્ય કરવામાં આવતું નથી. એટલું જ નહિ પણ, પ્રગપ્રાપ્ત કાળથી જુદા કાળને પ્રગ અસિદ્ધ મનાયો છે, કુવો હતો એમ કહેવું હોય તે કઈ એમ કહેતું નથી કે “કુવો હશે” અથવા “કુવો છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy