________________
બીજુ કાંટ
इच्छा चिकीर्षतीत्यत्र स्वकालमनुरुध्यते ।
भविष्यति प्रकृत्यर्थे तत्कालं नानुरुध्यते ॥१०४॥ ‘કરવા ઈચ્છે છે” (એવા પ્રગ)માં, ઇચ્છા, પિતાના (વર્તમાન)કાલને અનુસરે છે. (ઋતુ એવી પ્રકૃતિનો અર્થ ભવિષ્યકાળ હોવાથી (ઈચ્છા) તે (પ્રકૃતિના કાળને અનુસરતી નથી. (૧૦૪)
વિષયના ધર્મથી કાલને ઉલ્લેખ થતો હોય તે, “તે કરવાને ઇચ્છે છે (વિક્રીતિ) એવા સન્નત પ્રયોગમાં ઇછિત બાબત અર્થાત્ કાર્ય, ભવિષ્યનું હોવાને કારણે ઈચ્છા પણ ભવિષ્યકાલીન થશે. તેથી વિક્રીતિમાં ભવિષ્યના અર્થને રજૂ કરવા માટે વર્તમાનના પ્રત્યયને અતિદેશ કરવો પડશે એવી શંકા કરીને આ કારિકા રજૂ કરવામાં આવી છે.
| વિક્ટોતિ માં સન્નત ધાતુ વડે જણાવાતી ઈચ્છા, પ્રત્યયાર્થ હોવાથી મુખ્ય છે. $ (કરવું) ધાતુ વડે વાચ્ય બનતી ક્રિયા, ગૌણ છે અને તે ઈચ્છાને વિષય બને છે. પ્રકૃતિ અને પ્રત્યય બંને મળીને પ્રત્યયને અથ દર્શાવે છે અને તેમાં પ્રત્યયનો અર્થ મુખ્ય હોય છે એવા નિયમને કારણે, વર્તમાનકાલીન ઇચછામાં, ભવિષ્યકાલીન ક્રિયા હોવાથી વર્તમાનકાલને પ્રત્યય યોગ્ય છે.
आशास्यमानतन्त्रत्वादाशंसायां विपर्यय ।
प्रयोक्तृधर्मः शब्दार्थे शब्दैरेवानुषज्यते ॥१०५॥ સંભાવના સંભાવ્યમાનને અધીન હોવાથી, તેમાં (ઈચ્છાના મુખ્યત્વથી) વિરુદ્ધ ગણત્વ) પ્રાપ્ત થાય છે. (સંભાવનાથી પ્રયોજાતા) શબ્દ વડે, વક્તાના સ્વભાવને, તેના પોતાના) અર્થમાં, આરોપવામાં આવે છે. (૧૫)
આશંસામાં તેના પિતાના કાળને શા માટે અનુસરવામાં આવતા નથી તેવી શંકાના જવાબમાં, આ કારિક રજુ કરવામાં કરવામાં આવી છે. ઇછા એવો અથ પ્રત્યયાથ હેવાથી મુખ્ય છે, પરંતુ આશંસાને અર્થ પ્રત્યય વડે દર્શાવાતો નથી. (યથેચ્છા પ્રચવાઝવાન નૈવમાસા !). તે આશંસાને વિષય બને છે. આશા વક્તાની મનઃસ્થિતિ છે, શબ્દાથ નથી. ગુરુજી આવશે ત્યારે વ્યાકરણનું અધ્યયન થશે. (૩વાગાયકવેરાત થાઇરામણીતમ ) એવા પ્રયોગમાં જેની આશંસા છે તે ગુર્વાગમન અને વ્યાકરણનું અધ્યયન મુખ્ય છે, કારણ કે તે પ્રત્યય વડે વાચ્ય છે, તેથી તેના કાળનું અનુસરણ ચોગ્ય છે.
આશા વક્તાને મનોધર્મ હોઈને, શબ્દસંસ્કારનું કારણ કેવી રીતે બની શકે? શબ્દનો અર્થ જ શબ્દના ચોક્કસ પ્રયોગ માટે કારણભૂત હોય છે. આવી શંકાના જવાબમાં આ કારિકાની બીજી પંક્તિ રજૂ થઈ છે, વક્તાની મનઃસ્થિતિ શબ્દો વડે જ શબ્દમાં આપવામાં આવે છે (અધ્યા તે ગયોહધર્મઃ ઘયો ચહ્ય રહ્યામિચે શનૈયT)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org