________________
ત્રીજુ કાંડ
માવિ શ સાક્ષીત પદ સાથે જોડાય અથવા ભાત પદ મારિ સાથે જોડાય તેથી કશે કેર પડતો ન હોય તો માનીત ને ભૂતકાળ મા વિના ભવિષ્યકાળ સાથે જોડાતાં શબ્દ પ્રયોગ રૂપે કેમ લેવાતા નથી, તેના જવાબમાં આ કારિકા રજુ કરવામાં અાવી છે.
આખ્યાત શબ્દ વડે વાચ્ય બનતી ક્રિયા વાકયાથ હોઈ મુખ્ય છે. નામપદ વડે વાચ બનતું કારક ગૌણ છે. ગૌણ પદે મુખ્યને અનુસરે છે, તેથી ગૌણ કારકપદ મુખ્ય આખ્યાત પદના ક્રિયારૂપ અને એટલે કે તેના કાને અનુસરે છે.
संप्रत्ययानुकारो वा शब्दव्यापार एव ग ।
अध्यस्यते विरुद्धेऽर्थे न च तेन विरुध्यते ॥१०॥ વાક્યના અર્થના સ્વરૂપને અથવા શબ્દની પ્રવૃત્તિને (ભવિષ્યકાળ)રૂપી વિરુદ્ધ અર્થ ઉપર આરોપવામાં આવે છે, છતાં તે વિરુદ્ધ અથ વડે (તે વાયાર્થ) વિરુદ્ધ બનતું નથી. (૧૦૦)
વ્યાકરણશાસ્ત્રના નિયમને કારણે, વ્યવહારમાં શબ્દોના અર્થે બદલાતા નથી. પરિણમે કેઈક સૂત્રના વિધાનને લીધે જ અર્થની પ્રાપ્તિ થાય છે તેમ સમજવું ન જોઈએ. તેથી ઘાતુરંધે છઘયાઃ | (૩.૪.૧) સૂત્ર કેઈ વિશિષ્ટ કાર્ય સિદ્ધ કરતું નથી.
આ અને પ્રધાન અર્થ. એવા જદા જુદા અર્થો દર્શાવનારા શબ્દોની સંગતિ માટે આવાં સૂત્રો ઉપયોગી બને છે.
આ વિચારને બીજી રીતે સમજી શકાય. જે તે કાલ માટે વિહિત પ્રત્યયે, બીજા કાલવાચક પ્રવયે સાથે સંબંધમાં આવવા છતાં પોતાના કાલનું વિધાન કરે છે. એક પ્રત્યયના અર્થને બીજા પ્રત્યાયના અર્થ ઉપર આરોપ કરવાથી બનની સંગતિ થાય છે. જેમ કે, ” અગ્નિષ્ઠોમ યજ્ઞ કરનારો પુત્ર તેને ઉત્પન્ન થશે.” એવા વાક્યમાં, “અગ્નિષ્ણમ કરનારો” એવું વચન ભૂતકાળને અથ દર્શાવે છે, પરંતુ ‘ઉત્પન્ન થશે' એવા ભવિષ્યકાળનો અર્થ દર્શાવનારા વચનના સંબંધમાં આવતાં, તે ભૂતકાળનો અર્થ, “ઉત્પન્ન થશે? ઉપર આરોપવામાં આવે છે. “ઉત્પન્ન થશે” એવા અર્થવાળો શબ્દ તે ક્ષણે ભૂતકાળને અર્થ દર્શાવશે. તેથી ઉપરના વાકષમાં, “ તેને પુત્ર થશે. જે અગ્નિષ્કામ યજ્ઞ કરશે” એ અર્થ સમજાશે; અર્થાત “ તેને પુત્ર જન્મશે, જમીને મોટો થશે ત્યારે તેને
અગ્નિષ્ટમયાજી” એવું નામ પ્રાપ્ત થશે. કયારે આવું નામ પ્રાપ્ત થશે? જ્યારે તે યજ્ઞ કરશે ત્યારે.
વાક્ષાર્થજ્ઞાનના સંદર્ભમાં અથવા શબ્દોના અર્થ કાર્યના સંદર્ભમાં, જુદે કાલ દર્શાવતા શબ્દનો બીજો કાલ દર્શાવતા શબ્દના અર્થ ઉપર આરોપ કરવામાં આવે છે. આમ કરવામાં આવતું હોવા છતાં અથની દૃષ્ટિએ તે વિરોધી બનતો નથી.
વા-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org