SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ વાકયપકીય ચોક્કસ સમય દર્શાવે છે અને (વાકયમાં) તે વિશેષ રૂપે હોય ત્યારે પણ તે જ હોય છે. તેને માટે નક્કી થયેલ સમય તેના પ્રયોગને) આશ્રય હોવાથી અને તેની સાથે સંબંધ અંતરંગ હોવાથી, તે શુદ્ધ શબ્દ તરીકે સમજાશે. (૯૬), માવિ એવો શબ્દ, બીજા શબ્દ સાથે જોડાય તે પહેલાં, ચોક્કસ સમય માટે તેનો પ્રયોગ થયો હોવાથી, શુદ્ધ શબ્દ તરીકે જ સમજાય છે. બીજા શબ્દ સાથે વિશેષણ તરીકે સંબંધમાં આવે ત્યારે પણ તેને ચોક્કસ સમય નિયત હોય છે. માત્ર ને ભવિષ્યકાળ સાથેનો સંબંધ અંતરંગ છે, કારણ કે મારી સાથે જોડાયા પહેલાં તે પ્રાપ્ત થયેલ છે. અગ્નિષ્ટોમ યજ્ઞ જેણે કર્યો છે તેવો પુત્ર તેને ઉપન્ન થશે એવા વાકયમાં, ભૂતકાળમાં બનેલ બાબતનું ભવિષ્યત્વ વાકષાર્થમાંથી સમજાય છે. હવે જે ધાસુસંવષે પ્રત્યયા: | સૂત્ર રજુ કરવામાં આવે તે માત્ર ભવિષ્યકાળનો અર્થ, “ ઉત્પન્ન થશે '. એ પ્રાપ્ત થશે. આમ આ સત્રની જરૂર નથી. आमिश्र एव प्रक्रान्तः स पदार्थस्तथाविधः । केवलस्य विमिश्रत्वं नित्येऽथे नोपपद्यते ॥९७।। (વાક્યાથના સંદર્ભમાં) પદનો અર્થ પહેલેથી જ બીજા પદોના અર્થ સાથે મિશ્ર થયેલે એ હોય છે. અર્થ નિત્ય છે એમ માનતાં બીજાં પદો સાથે નહિ જોડાયેલા એકલા પદાર્થનું અન્ય પદાર્થો સાથે મિશ્રણ પ્રાપ્ત થતું નથી. (૯૭) શબ્દો હમેશાં લેકવ્યવહારમાંથી પ્રાપ્ત થાય છે. વ્યાકરણશાસ્ત્ર આવા શબદનું અન્યાખ્યાન કરે છે. લોકવ્યવહારમાં વાકય જ પ્રયોજાય છે, એકલા શબ્દો નહિ. શબ્દને અર્થ હંમેશાં વાકયના અર્થના સંદર્ભમાં, બીજા શબ્દના અર્થો સાથે મિશ્ર થયેલે સમજાય છે, એકલે નહિ. જે આવો પદાર્થાન્તર સાથે મિશ્રણ પામેલો શબ્દાર્થ કલ્પનામાં આવે તો શબ્દાર્થ સંબંધનિત્યને સિદ્ધાંત નકામે બનશે. शुद्ध च काले व्याख्यातमामिश्रे न प्रसिध्यति । साधुत्वमयथाकालं तत्सूत्रेगोपदिश्यते ॥९८॥ માષિ એવા પ્રયોગમાં, (ભૂતના સંસર્ગ વિનાના) શુદ્ધ (ભવિગઈકાલ અંગે જે (જિનિ પ્રત્યયનું સાધુત્વ) સમજાવવામાં આવ્યું છે તે (કાલીન એવા ભૂતકાલીન પ્રગના) મિશ્રણવાળા (ભવિષ્ય)કાલમાં સિદ્ધ થતું નથી. પોતાના કાલથી જુદા કાલ માટેના પ્રયત્નનું તે સાધુત્વ (આ) સૂત્ર વડે ઉપદેશવામાં આવ્યું છે. (૯૮) आख्यातपदवाच्येऽर्थे निर्वय॑त्वात्प्रधानता । विशेषणं तदाक्षेपात्तत्काले व्यवतिष्ठते ।।९९।। આખ્યાત શબ્દ વડે વાચ્ય બનતો અર્થ સિદ્ધ થનારી ફિયા હોઇ, મુખ્ય છે. તેનાથી આકૃષ્ટ બનેલું ગૌણ (નામ) પદ તે (આખ્યાત)ના કાળમાં દઢ બને છે. (૯૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy