SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજુ કાંડ rev આ વિચારની પુષ્ટિ માટે ભાષ્યકાર મતાન્તર રૂપે જણાવે છે કે વર્તમાનકાલ છે; સૂર્યની ગતિ જેમ પ્રત્યક્ષ દેખાતી નથી તેમ વર્તમાનકાલ દેખાતા નથી. बिस्य बाला इव दह्यमाना न लक्ष्यते विकृतिः सन्निपाते । अस्तीति तां वेदयन्ते त्रिभावा: सूक्ष्मो हि भावोऽनुमितेन गम्यः ॥ ક્રિયાસમૂહનું ગ્રહણ થતાં, અકેક ક્ષણના ફેરફાર જેમ સમજાતે નથી તેમ કમળને દાાડે બળતેા હાય ત્યારે તેની અ ંદરના તંતુએ દેખાતા નથી. ત્રણ કાળને જાણનારા (યાગીએ) તેને, ‘તે છે', એવા રૂપે સમજે છે. સમભાવ (આપણા જેવાને) અનુમાન વર્ડ જ સમજાય છે. क्रियाप्रबन्धरूपं यदध्यात्मं विनिगृह्यते । सङ्क्रान्तरूपमेकत्र तामाहुर्वर्तमानताम् ॥९०॥ એક જ્ઞાનાત્મામાં સ`ક્રાન્ત આકારવાળુ' ક્રિયાક્ષણ્ણાના સમૂહનું રૂપ બુદ્ધિમાં પૂરેપૂરું ગ્રહણ કરવામાં આવે ત્યારે તેને વમાનત્વ કહે છે, (૯૦) જુદી જુદી ક્રિયાક્ષાના સમુદાયરૂપ ક્રિયા, બુદ્ધિમાં સંક્રાન્ત બનીને જ્યારે એકજ્ઞાન રૂપ બને છે ત્યારે તે એક જ વર્તમાનક્રિયા હોય એમ લાગે છે અને ક્રમપૂર્વક અનુભવાયેલી ક્રિયાક્ષાતુ એક સળંગ સંકલન થાય છે. આવુ` સંકલિત જ્ઞાન ન થતું હાય તેા ક્રિયાક્ષગ્રાના સમુદ્દાયમાંથી સમુદ્યરૂપ જ્ઞાન થાય નહિ. ક્રિયાક્ષાના સમુદાયમાંથી પ્રાપ્ત થતું સ્મરણુ અનુભવ પૂર્વક હાવાથી સંકલિત ક્રિયાક્ષણાના બાહ્ય રૂપ જેવુ વર્તમાનવ સાબિત થાય છે. વમાનત્વ સાબિત થતાં ભૂત અને ભવિષ્ય પણ સાબિત થતાં માનવાં જોઈએ. આ પ્રમાણે ક્ષણભંગવાદી બૌદ્ધના પૂર્વ પક્ષને નિરાસ કરીને કાલત્રયની સ્થાપના કરવામાં આવી. क्रियातिपत्तिरत्यन्तं क्रियानुत्पत्तिलक्षणा । न च भूतमनुत्पन्नं न भविष्यत्तथाविधम् ॥ ९१ ॥ ક્રિયાની અસમાપ્તિ તેની સ’પૂર્ણ અનુત્પત્તિ જેવી છે, અને આવુ અનુત્પન્ન (ક્રિયાસ્વરૂપ) ભૂત કે ભવિષ્ય હાઈ શકે નહિ. (૯૧) ફિ-નિમિરો જીરૂ, ક્રિયાતિવનૌ । (વ.સ્. રૂ.રૂ.૧રૂ5)માં અસમાપ્તિ માટે ફ્િતે બલે ૐ”નું વિધાન કરવામાં આવ્યું છે. આવા વિધાનમાં ભૂત અને ભવિષ્યને નિમિત્ત સમજવામાં આવ્યાં છે, પરંતુ આ ભૂત અને ભવિષ્યત્ તું અસ્તિત્વ જ નથી એમ આ કારિકા દ્વારા પૂર્વ પક્ષીના મત તરીકે જણાવવામાં આવ્યુ છે. +1 જો ગાડાવાળા કમલકને ખેલાવ્યા હાત તા ગાડું ઊંધું વળત નહિ '', એવા પ્રયેળમાં ખેલાવવાનું અને ઊંધું વાળવાનુ એમ એ ક્રિયાએ અનિષ્પન્ન છે અર્થાત્ ઉત્પન્ન થઈ જ નથી, કારણ કે તેના નિમિત્તના અભાવ છે. ઉત્પન્ન ન થઈ હોય તેવી ક્રિયાને ભૂત કે ભવિષ્ય કહી શકાય નહિ. ક્રિયાની ઉત્પત્તિ માટે સાધનનેા અભાવ હાવાથી સંભવ પણ ઉત્પન્ન થતે નથી. તેથી જ ક્રારિકામાં અયન્તમ્ શબ્દ વાપર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy