________________
વાકષ૫દીય
सदसद्रूपमेकं स्यात्सर्वस्यैकत्वकल्पने ।
निर्वृत्तिरूप निर्वृत्तेः सामान्यमथवा भवेत् ॥८८॥ બધી ક્રિયા ક્ષણે (એક ક્રિયારૂપે છે એમ) કલ્પના કરતાં (ક્રિયારૂપ) પદાર્થનું સત્ અને અસત્ સ્વરૂપવાળું એક અથવા નિપન્ન થનારી ક્રિયાનું નિષ્પત્તિને
સામાન્ય પ્રાપ્ત થશે. (૮૮).
ભૂત અને ભવિષ્યની ભાવાત્મક અને અભાવાત્મક એમ બધી ક્ષણેથી ક્રિયા સિદ્ધ થાય છે એમ જ માનવામાં આવે તો દરેક ક્રિયારૂપ પદાર્થ ભાવાત્મક અને અભાવાત્મક એમ પરસ્પર વિરુદ્ધ સ્વભાવોથી બનતા એકત્વવાળે થશે. પરંતુ આવી સ્થિતિ બરાબર નથી.
તે પછી અનેક ભિન્ન ક્ષમાં એકત્વ પ્રાપ્ત કરાવનાર કોઈ એક સંબંધીની કલ્પના કરવી પડશે. નિષ્પન્ન થતા કાર્યમાં રહેલી ક્રિયાક્ષણમાં પ્રાપ્ત થતું ક્રિયા સામાન્ય આવું સબંધી તત્વ છે. પરંતુ આ સબધી અર્થાત અન્વયી અને જાતિરૂ૫ ક્રિયાત્મ સ્વીકારવાથી ક્રિયા વ્યક્તિઓનો અભાવ થશે અને વર્તમાનતા સિદ્ધ થશે.
कार्योत्पत्तौ समर्थ वा स्वेन धर्मेण तत्तथा ।
आत्मतत्त्वेन गृह्येत सा चास्मिन्वर्तमानता ॥८९।। કાર્યની ઉત્પત્તિ માટે સમર્થ એવું, વ્યાપકસમૂહાત્મક તે (ક્રિયારૂપ) જે પોતાના ક્રમરૂપ સ્વભાવ વડે તેમજ તેના બુદ્ધિગેચર સ્વરૂપ વડે સમજાય છે તેને વતમાનત્વ કહે છે. (૮૯)
ક્રિયાક્ષણોના સમૂહ રૂપે રહેલ કાર્યમાં એકવની કલ્પના કરવામાં આવી છે. ક્રિયાની સમાપ્તિરૂપે ફળ માટે પ્રવર્તતી અને પૌવંપર્યાવાળી ક્ષણેને સમૂહ એટલે ક્રિયા.
આરમત ગ્રાસે એવા કારિકા શબ્દોને સમજાવતાં હેલારાજ જણાવે છે કે વિદ્યમાનતા અર્થાત અસ્તિત્વ એટલે વતમાનતા નહીં, પરંતુ કાર્યોત્પત્તિ માટે તૈયાર થયેલી ક્રિયાક્ષણની લિપ્રાપ્તિ સુધીની પ્રવૃત્તિને વર્તમાનતા કહેવી જોઈએ (જે દિ સર વર્તમાનતાગ્રંક્ષળે શિસ્તુ प्रारब्धापरिसमाप्तत्त्वम् ।)
ક્રિયાક્ષણમાં આદિથી અંત સુધી રહેવાની સ્થિતિને જે વર્તમાનત્વ કહેવાતું હોય તો આવું વર્તમાનત્વ પહેલાં માનસિક વ્યાપાર રૂપે હોય છે, કાર્યસાતત્યથી અને ફલપ્રાપ્તિ વડે તેનું અનુમાન થાય છે. આ બધામાં કેમિક પ્રવૃત્તિ હોય છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. “જાણે છે, “ઈચ્છે છે, પ્રયત્ન કરે છે અને કાર્ય કરે છે, એવી ક્રિયાક્ષણો, મને વ્યાપારથી માંડીને ફલપ્રાપ્તિ સુધીની ક્રિયાણે દર્શાવે છે. મહાભાષ્ય (૧૩. રૂ.૨.૧૨૩)માં પણ કહ્યું છે કે
क्रियाप्रवृत्तौ यो हेतुस्तदर्थ यद् विचेष्टितम् ।
तदवेक्ष्य प्रयुजीत गच्छतीत्यविचारयन् ।।
(રય ચલાવવાના) કાયની પ્રવૃત્તિ અર્થે (વેડાના ઉપયોગ રૂપી) ઉદ્દેશ માટે જોડવા રૂપી કાયને ધ્યાનમાં રાખીને જાય છે' (તિ) એવા (વર્તમાનકાળના ક્રિયારૂપ)ને પ્રયોગ કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.iainelibrarvorg