SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ વાયતીય * तदन्तरालदृष्टा वा सर्वैवावयवक्रिया । सादृश्यात्सति भेदे तु तदङ्गत्वेन गृह्यते ॥८४॥* અથવા તે (ભજનકાર્યની વચ્ચે દેખાતી અને તેના ભાગરૂપે રહેલી હાસ્ય વગેરે (ગૌણ) ક્રિયાઓ, (જલપાન જેવી ક્રિયાઓના) જેવી હોવાથી, તે મુખ્ય ક્રિયા)થી જુદી હોવા છતાં તેના ભાગરૂપે સ્વીકારાય છે. (૮૪). ભજનક્રિયાની વચ્ચે પ્રાપ્ત થતી હાસ્ય, વાતચીત વગેરે ગૌણ ક્રિયાઓ મુખ્ય ક્રિયા અર્થાત્ ભજનક્રિયાના અવયવો રૂપે છે, કારણ કે જલપાન વગેરેની જેમ તે પણ ભેજનની સમાપ્તિ માટે ઉપકારક છે. સરખે સરખા મિત્રે વાર્તાલાપ, હાસ્ય વગેરે દ્વારા ભજન ક્રિયાને પૂરી કરે છે. એટલે જલપાનની જેમ તે પણ ભોજનનું જ અંગ છે એમ સમજવું. બે મજૂરે ભાર લઈ જતા હોય અને ત્રીજે એમને મદદ કરવા એકાએક આવી જાય તે તે પણ ઉપાડવાના કાર્યમાં અંગભૂત ગણાય છે. આ પ્રમાણે દરેક ગૌણ ક્રિયા દ્વારા મુખ્ય ક્રિયાની સમાપ્તિ થવાથી ગારિ નિ નિકા (. ટૂ ૩,૨.૧૦૨) ઉપરનું વાર્તિક (ગારિ ળિ વાગ્યા સવાઘાવતુ ! “નિષ્ઠા પ્રત્યય કૃતનું વિધાન ચોગ્ય છે, કારણ કે કાર્યની શરૂઆત કર્યા પછી તેનો અંત આવે જ છે.”) યોગ્ય છે. આ પ્રમાણે ફલપ્રાપ્તિ સુધી ક્રિયા સમૂહનું અસ્તિત્વ સમજતું હોવાથી વર્તમાન સાબિત થાય છે. सदसद्वापि वस्तु स्यात् त्रितयं नास्ति किं च न । तेन भूतभविष्यन्तौ मुक्त्वा मध्य' न विद्यते ॥८५।। પદાર્થ (કાં તો) સત હોય કે અસત્ હોય; કાંઈ ત્રીજું હોતું નથી, તેથી ભૂત અને ભવિષ્યને છોડીને વચલું (અર્થાત વર્તમાનત્વ) નથી. (૮૫) કારિકા ૮૫થી ૮૮ સુધીમાં વર્તમાનકાળનું અસ્તિત્વ નથી એમ માનનારા ક્ષણિક વાદીઓને પૂર્વપક્ષ રજૂ થયો છે. પદાર્થની સિદ્ધ થવાની અવસ્થાને ક્રિયા કહે છે. ચાલી ગયેલી ક્ષણ ક્રિયા કહેવાય છે. જે ક્ષણ હજુ સિદ્ધ થવાની છે તેને ભવિષ્યકાલીન ક્ષણ કહે છે, ત્યાં ક્રિયાને ભવિષ્યત ક્રિયા કહે છે. આ સિવાયની ત્રીજી કોઈ ક્ષણ નથી, જેમાં સદ્ અને અસ એવાં બંને રૂપ હેય, કારણ કે વિરુદ્ધ સ્વભાવવાળી ક્ષણે એક સાથે રહી શકતી નથી. તેથી યિાને વર્તમાન હેતું નથી. આવા ક્ષણિકવાદી બૌદ્ધ પૂર્વપક્ષને રજૂ કરતાં પતંજલિ કેટલાક લૈકા રજૂ કરે છે : (१) न वर्तते चक्रमिषुन पात्यते न स्यन्दन्ते सरितः सागराय । कूटस्थोऽयं लोको न विचेष्टितास्ति यो धेयं पश्यति सोऽप्यनन्धः ।। સંસારચક્ર ફરતું નથી. બાણું ક્યાંય ફેંકવામાં આવતું નથી. નદીઓ સમુદ્ર તરફ વહેતી નથી. આ લેક સ્થિર છે. તેને ગતિ કરાવનાર નથી; આવું સમજનારા જ્ઞાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy