________________
વાકયપરીય
કાલના સ્વભાવ વિષે મહાભારત અને પુરાણોમાં પ્રાપ્ત થતા મતે, વશેષિક અને સાંખ્ય મતો અને બૌદ્ધ મતોના ઉલે બો રજૂ કરી તેમનું યથાસ્થાન ખંડન કરીને ભર્તહરિએ કાલ અંગેનો વયાકરણ સિદ્ધાન્ત રજુ કર્યો. હવે પાણિનિનાં કેટલાંક સોની મહાભાષ્યમાં મળતી ચર્ચાને રજૂ કરવામાં આવી છે. કારિકા ૮૦થી ૮૪ સુધીમાં વર્તમાને છે (૧. સ્. ૩.૨.૧૨૨) ઉપરના ભાષ્યના વિચાર સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
ઉપર ઉલેખેલ સુત્ર ઉપરના વાર્તિક “નિયત્ર ૨ ક્રાઈવમાત માં જણાવવામાં આવ્યું છે કે નિત્ય પદાર્થોમાં કાલવિભાગ ન હોવાથી, વર્તમાન કાળના પ્રત્યય સ્ત્રનું વિધાન કરવું જોઈએ.
આના વિરોધમાં કઈ કહેશે કે હમણાંનું તેવો ભાવ દર્શાવતું વર્તમાનત્વ, ભૂત અને ભવિષ્યનું વિરોધી છે. નિત્ય પદાર્થોમાં ભૂત અને ભવિષ્યને હમેશાં અભાવ હોવાથી વર્તમાનત્વ પ્રસ્તુત છે જ.
આવા પૂર્વ પક્ષના જવાબમાં જણાવી શકાય કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એવાં જે જુદાં જુદાં નામ મળે છે તે પદાર્થોના કાલ સાથેના સંબંધને કારણે જ મળે છે. આવા શકાયયુક્ત પદાર્થો જન્મવાળા હોય છે. જન્મને કારણે ચક્કસ અવધિને સ્વીકારતાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવાં નામ પ્રાપ્ત થાય છે; જેમકે, સાધનની હાજરીમાં જન્મ માટે અભિમુખ થનારા ભાવોને ભવિષ્ય, સાધનથી જન્મ પ્રાપ્ત કરીને રહેનારાને વર્તમાન અને વિનષ્ટ સ્વરૂપવાળાને ભૂતકાળ કહેવાય છે, આમ વતમાન એવું નામ ભૂત અને ભવિષ્યની વચ્ચેની અવધિ દર્શાવે છે, અર્થાત જ્યાં ભૂત અને ભવિષ્ય સભવે નહિ ત્યાં વર્તમાન પણ સંભવે નહિ. મામાએ માં પણ આ જ વાત જણાવવામાં આવી છે (મતવિકતવ્રતિદ્રશ્નો વર્તમાન: I વા.સુ. ૩.૨.૧૨૨).
નિત્ય પદાર્થોમાં ભૂત અને ભવિષ્યને અભાવ હોવાથી વર્તમાનને પણ અભાવ થશે. પરંતુ વ્યાકરણકાર્ય વર્તમાન અને ભૂત તેમજ ભવિષ્યનું જોઈએ અને તે પ્રમાણે નિય પદાર્થો માટે પણ ત્રણેય કાળના પ્રત્યયોનું વિધાન થવું જોઈએ. નિત્ય પદાર્થોમાં જે કાલાભાવ કહ્યો છે તેથી કાલ ઉપર આરોપવામાં આવતી કેઈપણ પ્રવૃત્તિ તેના વડે જણાવી શકાય નહિ, કારણ કે આવી પ્રવૃત્તિ ક્રમ અને પૌર્વાપર્યાવાળી હોય છે. આવા ક્રમ અને પૌર્વાપર્યને દર્શાવવા માટે કાલવિભાગના જુદા જુદા પ્રત્યનું વિધાન કરવું જોઈએ, તેથી ભાષ્યમાં લેકવ્યવહારમાં પ્રાપ્ત થતા પ્રાગેને અનુસરીને “પર્વતે રહેશે, પવત છે, અને પર્વતો હતા', એવા ઉદાહરણ આપીને “કાલવિભાગો છે” (સતિ વ ાવિમા . વા.સ્. રૂ.૨.૧ ૧૨ ઉપરનું ભાષ્ય) એમ કહ્યું છે.
શું આવા શબ્દપ્રયોગોને કારણે કાલવિભાગો સમજવામાં આવ્યા છે? ખરેખર આવા શબ્દપ્રયોગ કરી શકાય ? પતંજલિ જણાવે છે કે આવા શબ્દ પ્રયોગોને કારણે જ કાલવિભાગે સમજવા જોઈએ એમ નથી (નાવશ્ય વિમા ). પૂર્વ અને પર ભાવોને દર્શાવનાર ક્રિયાપદ છે, અને શબ્દને પ્રમાણ માનનારાઓ, શબ્દપ્રયોગમાંથી અર્થ સમજતા હોવાથી, કાલવિભાગની બાબતમાં શબ્દપ્રયોગને પ્રમાણભૂત માની શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org