________________
બીજુ કાંઠ આંતર ક્રિયાક્ષણેનું સંકલન પણ ત્યાં જ થાય છે એમ તે જાણે છે. આમ બાહ્ય ક્રિયા ન હોય ત્યારે પણ આવી આંતર ક્રિયા કાલ કહેવાય છે.
અન્તર્મુખ વ્યક્તિ, ઓરડામાં બેઠાં બેઠાં અને સૂર્યની ગતિ કે જલાલિકામાંના પાણીના સવણને વિચાર કર્યા વિના કાલવિભાગને કેવી રીતે સમજી શકે એવો કોઈ પ્રશ્ન કરે તો તેના જવાબમાં આ કારિકા રજૂ કરવામાં આવી છે.
આંતર ક્રિયાક્ષણે વધારે થઈ હોય ત્યારે લાંબો કાલ વીત્યો છે તેમ કહેવાય છે. આવી ક્ષણે થોડી થઈ હોય ત્યારે ઓછો સમય વીત્યો છે એમ કહેવાય છે. ગએ પ્રાણવાયુના સંચારથી પદાર્થોની પ્રવૃત્તિને જાણી શકે છે. અન્ય જનો પણ પ્રાણવાયુની સંચારક્ષણેની ગણતરી કરીને સમયના વિભાગે સમજી શકે છે; જેમકે પ્રાણવાયુનો ૩૬૦ વખત સંચાર એક નાડિક અર્થાત ૨૪ મીનીટ બરાબર છે અને આવા એકવીસ હજાર છસો સંચાર એક દિવસ અને એક રાત્રિ બરાબર છે. (સરખા : તપથબ્રાહળ
૧૨. રૂ.૨ ૭-૮)
भूतो घट इतीयञ्च सत्ताया एव भूतता ।
भूता सत्तेति सत्ताया सत्ता भूताभिधीयते ॥७९॥ ઘડે હતે એવા પ્રયોગમાં હતું એ ઉલ્લેખ (ઘડાના) અસ્તિત્વ અંગે જ છે. તે પ્રમાણે અસ્તિત્વ હતું એમાં અસ્તિત્વનું અસ્તિત્વ હતું એમ કહેવાય છે. (%)
ક્રિયાથી જ કાલ નથી એમ જ માનવામાં આવે તે અસ્તિત્વ રૂપ ક્રિયાને બીજી ક્રિયારૂપ અસ્તિત્વ સાથે સંબંધ ન હોવાથી “અસ્તિત્વ હતું” એમ કેવી રીતે કહી શકાય, તેવા પ્રશ્નના જવાબમાં આ કારિકા રજુ કરવામાં આવી છે.
ધડે હતો” એવા પ્રયોગમાં “હ” કોને લાગુ પડે છે ? ઘડે દ્રવ્ય હોવાથી અને દ્રવ્યને કાલ સાથે સંબંધ ન હોવાથી તે ઘડાને લાગૂ પડશે નહિ સાધ્યરૂપ ક્રિયાઓને કરણરૂપ કાલ સાથે સંબંધ છે. ધાતુવડે વાચ્ય સત્તા અર્થાત અસ્તિત્વ રૂપ ક્રિયા નિષ્ઠા પ્રત્યય “ત” વડે જણાવાય છે. તે સત્તા ઘટ સાથે સમાયિની હોવાથી ઘટ સાથે કાલને સાક્ષાત્ સંબંધ નથી. ક્રિયા કાલથી જુદી છે, એવા મતમાં ક્રિયા દ્વારા જ દ્રવ્યનો કાલની સાથે સંબંધ થાય છે.
परतो भिद्यते सर्वमात्मा तु न विकल्प्यते ।
पर्वतादिस्थितिस्तस्मात्पररूपेण भिद्यते ।।८०॥ બધા પ્રદાર્થો બાહ્ય પ્રવૃત્તિઓને કારણે બદલાય છે, પરંતુ આ (કાલતત્વનું સ્વરૂપ બદલાતું નથી. તેથી પર્વત વગેરેની સ્થિતિ બાહ્ય પ્રવૃત્તિ વડે ફેરફારને પામે છે. (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org