SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ કંટ૮ વાકયપદય ચિર, ક્ષિપ્ર વગેરેમાં તેમજ સ્વ, દીધ, લુત વગેરેમાં પ્રાપ્ત થતો કાલભેદ કહિપત છે. વિષયમાં પ્રાપ્ત થતાં વૃદ્ધિ અને ક્ષય પ્રમાણે કાલભેદ સમજાય છે. આમ કાલભેદ માત્ર વિષયભેદને અધીન હાઈ કાલ્પનિક સમજવામાં આવે તો ઉપર જણાવેલી મુશ્કેલી આવશે. નાલિકાને કંઠનાડી સમજવામાં આવે તો શબ્દોચ્ચારણ વખતે તેમાંથી રસ ઝરે છે એવું માનવું જોઈએ. હસ્ય, દીર્ધ અને લુતના દરેક ઉચ્ચારણ વખતે ત્રીજા ભાગ જેટલું વધારે ક્ષરણ થાય છે. આવી સ્ત્રવણવૃદ્ધિ સમયના વધારાના અનુસંધાનમાં થાય છે. अभिव्यक्तिनिमित्तत्य प्रचयेन प्रचीयते । अभिन्नमपि शब्दस्य तत्त्वमप्रचयात्मकम् ॥६५॥ (કાલકૃત) ભેદ વિનાનું અને વૃદ્ધિહીન સ્વભાવવાળું શબ્દતત્ત્વ અભિવ્યક્તિનાં કારણેની વૃદ્ધિને લીધે વધે છે. (૧૫) શબ્દતત્વ નિત્ય અને વાસ્તવમાં હસ્વાદિ ભેદ વિનાનું છે. તેમ છતાં વ્યંજક વનિઓનાં વૃદ્ધિ અને અપચય પ્રમાણે તેમાં કાલભેદ સમજાય છે. શબ્દની અભિવ્યક્તિ કરનારા જુદા જુદા વનિએ શબ્દસ્વરૂપમાં ભેદનો આરોપ કરે છે. અહીં અભિવ્યંજક ધ્વનિ અને અભિવ્યંગ્ય શબ્દ વચ્ચે સ્પષ્ટ ભેદ સમજાતું ન હોવાથી નિઓની ભિન્નતાને આરપ શબ્દ ઉપર થાય છે. તે તાઢય ! (વા. ૬. ૧. ૧. ૭૦) માં પણ વનિત કાલમેદને શબ્દમાં આરોપ સમજવામાં આવ્યો છે. एवं मात्रातुरीयस्य भेदो दाशतयस्य वा । परिमाणविकल्पेन शब्दात्मनि न विद्यते ॥६६॥ આમ નિત્ય) શબ્દાત્મા તરીકે માત્રાના ચોથા ભાગ અને દસ વિભાગવાળા વેદની વચ્ચે, કાલના પરિમાણભેદની દષ્ટિએ (કશો) ભેદ નથી. (૬) માત્રાને ચે ભાગ અને દસ મંડલોના સમૂહરૂપ વિદ, એ બંને નિત્ય શબ્દ હેઈ સરખાં હોવાથી કાલકત ભેદ વિનાનાં છે. પ્રચયાત્મક વનિઓને કારણે તેમાં સમજાય છે. આમ સ્કેટરૂપ શબ્દામા અભિવ્યંજક ધ્વનિઓના ભેદને કારણે ભેદવાન ભાસે છે. अनुनिष्पादिकल्पेन येऽन्तराल इव स्थिताः । शब्दास्ते प्रतिपत्तॄणामुपायाः प्रतिपत्तये ॥६७॥ અનુરણનરૂપે, કાનની અંદર રહેલા જે વિકૃત અવનિએ છે, તે શ્રોતાઓના શ્રવણ માટે ઉપાયરૂપ બને છે. (૭) પ્રાકૃત ધ્વનિઓ વડે શબ્દની અભિવ્યક્તિ થતાં અનુરણનરૂપે પાછળથી પ્રાપ્ત થનારા અને કાનની અંદર રહેલા ધ્વનિઓ, કુત, વિલબિત વગેરે વૃત્તિ માટે જવાબદાર બને છે. આ વૈકૃત ધ્વનિઓને કારણે સ્ફોટના સ્વરૂપમાં કશે ફેરફાર થતો નથી. સરખા : शब्दस्योर्ध्वमभिव्यक्तेवृत्तिभेदे तु वेकृताः । ध्वनयः समुपोहन्ते स्फोटात्मा तैन भिद्यते ॥ वा.प. १.७९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy