________________
૩૮૬
વાકથ૫દીય
અસ્તિત્વ અને તેનું સર્વપ્રવૃત્તિમૂલત્વ મહત્વનું છે. તે બુદ્ધિસંકલનરૂ૫ છે કે બાહ્યતત્ત્વરૂપે છે તે મહત્ત્વનું નથી. આ વિજ્ઞાનમાત્ર અથવા બાહ્યાસ્તિત્વવાળે કાલ પારમાર્થિકપણે શબ્દબ્રહ્મની શક્તિ રૂપે છે. ભર્તુહરિના આ વિચારને સ્પષ્ટ શબ્દોમાં મૂકતાં હેલારાજ જણાવે છે કે અમે તો વૈયાકરણો છીએ. અમે દાર્શનિક સિદ્ધાન્તો ચર્ચવા બેઠા નથી. શબ્દવ્યવહારમાં જે અંગભૂત હોય તેનું જ વિવેચન અમારે કરવું છે. સરખાવોઃ नास्माभिर्दर्शनविवेकः प्रारब्धः किन्तु शाब्दे ब्यवहारे यदङ्ग तत्परीक्ष्यम् ।
तिस्रो भावस्य भावस्य केषांचिद् भावशक्तयः ।
તામિ શ્વામિઃ સર્વ વારિત જ રાતિ વ ાલા * કેટલાક (આચાર્યો)ના મતમાં પદાર્થની પ્રવૃત્તિની ત્રણ કાર્યશક્તિઓ છે, પિતાની તેવી શક્તિઓ વડે બધા પદાર્થો હમેશાં અસ્તિત્વરૂપે અથવા અભાવરૂપે હોય છે. (૫૯) - સાંખ્યાચાર્ય કપિલના મતમાં પદાર્થની (માવ૨) પ્રવૃત્તિની (માવજય), ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવી ત્રણ કાર્ય શક્તિઓ (માવાયો છે. તેમને આધારે પદાર્થ સદ્ કે અસદુ કહેવાશે.
सत्त्वादव्यतिरेकेण तास्तिस्रोऽपि व्यवस्थिताः ।
क्रमस्तास्तदभेदाच्च सदसत्त्वं न भिद्यते ॥६०॥ તે ત્રણ (ક્રિયાશક્તિએ) પદાર્થથી જુદી ન હોવા છતાં, તેમને જ ક્રમ કહે છે, અને (પદાર્થ સાથેની આવી) અભિન્નતાને કારણે (પદાર્થોની) સત્તા કે તેમને) અભાવ જુદાં સમજાતાં નથી. (૧૦)
પદાર્થોથી અભિન્ન ત્રણ શક્તિ-ભૂત, વર્તમાન અને ભવિષ્યને ક્રમ કહે છે, કારણ કે આ શક્તિ એ જ પદાર્થોનાં આવિર્ભાવ અને તિરોભાવ માટે જવાબદાર છે. તે શક્તિએ આવી રીતે અભિન હોવાથી પદાર્થોનાં આવિર્ભાવ-તિરોભાવરૂપ કાર્યોનું મિશ્રણું એકસરખું થતું નથી. સરખાવે હેલારાજ : ૩થતિષવિ ૨ માતાજીનાં સયા भाववदवस्थानेऽपि वृत्तिवैचित्र्यात्संकरो न भवति ।
दर्शनादर्शनेनैक दृष्टादृष्ट तदेव तु ।
अध्वनामेकता नास्ति न च किञ्चिन्निवर्तते ॥६॥ (વર્તમાન વગેરે શક્તિઓનાં દર્શન અને અદશનરૂપી પ્રવૃત્તિની ભિન્નતાને કારણે એક જ પદાર્થ દષ્ટ અને અદષ્ટ બને છે, (વર્તમાન વગેરે શક્તિ) માર્ગોનું પરસ્પર મિશ્રણ નથી અને કોઈ પણ પદાથ તેના અસ્તિત્વમાંથી અટકો નથી. (૬૧) - વર્તમાન શક્તિ વડે અભિવ્યક્ત થવું એટલે દર્શન. અતીત અને અનાગત શક્તિઓ વડે તિરાહિત બનવું તે અદર્શન છે. આમ બંનેનાં કાર્યોમાં ભિન્નતા હોવાથી પ્રકૃતિમિશ્રણ થતું નથી. પદાર્થોને નિરવયવંસ થતું નથી પરંતુ માત્ર તેમનો તિભાવ થાય છે. તેથી સત અને અસત પારમાર્થિકપણે જુદાં નથી. તિરહિત સત્ત્વ એટલે જ અસત્ત્વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org