SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ વાષ૫દીય મુસાફરે જેમ રસ્તા ઉપર આવજા કરે છે, તેમ પદાર્થો ત્રણેય કાળમાં આવજા કરે છે. તેથી તેમને માર્ગો (ગવાન) કહ્યા છે. યોગસૂત્ર (રૂ.૧૧) જણાવે છે કે “બાહ્ય ધર્મો ત્રણ માર્ગોવાળા છે.” ભૂત અને ભવિષ્યકાળ અંધકાર જેવા છે અને વર્તમાન પ્રકાશ જેવો છે. પદાર્થો સાથે તે પોર્વાપર્યા સંબંધને પ્રાપ્ત કરે છે. સત્વ, રજસ્ અને તમસ એવા નિત્ય ગુણ એક સ્થળે રહ્યા હોવા છતાં ગુણપ્રધાન ભાવ પ્રાપ્ત કરે છે તેમ વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાલરૂપો ત્રણ. કાલ શક્તિઓ પોપય પ્રાપ્ત કરે છે. द्वौ तु तत्र तमोरूपावेकस्यालोकवस्थितिः । अतीतमपि केषांचित्पुनर्विपरिवर्तते ॥५३॥ તે ત્રણે કાળની કલ્પનામાં) બે કાળ (ભૂતકાળ અને ભવિષ્યકાળ) અંધકાર રૂપે રહેલ છે. કેટલાકને મતે ભૂતકાળ ફરીવાર (વર્તમાનરૂપે) ફેરફાર પામે છે. (૫૩) પદાર્થોનાં આવરણ માટે ભૂત અને ભવિષ્ય કારણરૂપ છે, તેથી તે બે કાળ તરૂપ છે. આવરણ તમસૂનો સ્વભાવ છે. વર્તમાનકાળ પ્રકાશ સમો અર્થાત સત્વ ગુણ રૂપે છે (કાંહળદારિદા ૧૩). જન્મ સામાન્ય પ્રવૃત્તિરૂપે છે, તેથી તે કાલનું સામાન્ય અને બધે સંબંધવાળું રૂપ છે. તે પ્રતિબંધ અને અનુજ્ઞા દ્વારા પ્રવૃત્તિ કરાવે છે. અભિવ્યક્તિ પહેલાં પદાર્થ સૂક્ષ્મરૂપે અસ્તિત્વમાં હોય છે. આ સાંખ્યમતના સમર્થનમાં પાંચ કારણો આપ્યાં છે. (૧) અસત્ પદાર્થની ઉત્પત્તિ થઈ શકે નહિ. (૨) કાર્યની ઉત્પત્તિ માટે કારણરૂપ ઉપાદાન આવશ્યક છે. (૩) દરેકમાંથી દરેકની ઉત્પત્તિ સંભવતી નથી, (૪) સમર્થ કારણુ ઉત્પત્તિ કરી શકાય તેવા કાર્ય (પદાર્થ)ની ઉત્પત્તિ કરી શકે છે. (૫) કારણના અસ્તિત્વથી કાર્ય અસ્તિત્વમાં હોય છે. असदकरणादुपादानग्रहणात्सर्वसंभवाभावात् । सक्तस्य शक्यकरणात्कारणभावाच्च सत्कार्यम् । (सांख्यकारिका ९) આ મત પ્રમાણે અતીત કાલમાં રહેલા પદાર્થો ફરીવાર ઉત્પન્ન થાય છે. પ્રકૃતિમાં અંતર્ગત રહેલા પદાર્થો સમયે ઉત્પન્ન થાય છે અને પ્રલય કાળે તેમાં જ અદષ્ટ બને છે. આમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એવા ત્રણ માર્ગો પદાર્થોના સંચાર માટે સમજવામાં આવ્યા છે. આવો મત યોગ્ય છે. युगपद् वर्तमानत्वं तद्धर्मा प्रतिपद्यते । केषांचिद् वर्तमानत्वाच्चति तद्वदतीतताम ॥५४॥ કેટલાક પદાર્થો વર્તમાન ધર્મવાળા હોવાથી (ભૂત, વર્તમાન અને ભવિષ્યરૂપ ધર્મોવાળે તે (પદાર્થ) એકસાથે વર્તમાન સ્થિતિને પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે (તેવા ધર્મોવાળો તે પદાર્થ) ભૂતકાળની સ્થિતિને પ્રાપ્ત કરે. (૫૪) આ કારિકાનો અન્વય આ પ્રમાણે સમજીને અનુવાદ કરવામાં આવ્યું છે: તમ (पदार्थः) केषाञ्चित् (पदार्थानां) वर्तमानत्वाद् युगपद् वर्तमानत्वं प्रतिपद्यते तद्वच्च (असौ તઢમાં ધર્મી) અતીતતાં પ્રતિ ! હેલારાજ અને તેને અનુસરતી માત્રથી કાંઈક અંશે જુદી રીતે અહીં અનુવાદ આપવામાં આવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy