SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ વાકથ૫રીય आविश्येवानुसंधत्ते यथा गतिमतां गतिः । वायुस्तथैव कालात्मा विधत्ते क्रमरूपताम् ॥४२।। ગતિવાળા પદાર્થોની ગતિમાં દાખલ થઈને, જેમ, વાયુ તેમને પિતાની ગતિ સાથે જોડે છે તેમ કાલ (પણ) પદાર્થોમાં પ્રવેશીને) ક્રમને પ્રાપ્ત કરાવે છે. (૪૨) મનુષ્યના શરીરના અવયમાં રહેલો પ્રાણવાયુ જેમ, આવાગમનરૂપી ક્રિયાઓ કરે છે તેમ કાલ પણ પદાર્થોમાં પ્રવેશીને અવરોધ અને અનુમતિ દ્વારા તેમનામાં પીપય પ્રાપ્ત કરાવે છે. अयनप्रविभागश्च गतिश्च ज्योतिषां ध्रुवा । नित्तिप्रभवा-चैब भूतानां तन्निबन्धना: ॥४३॥ અયન વિભાગ, નક્ષત્રોની નિશ્ચિત ગતિ અને પ્રાણીઓનાં વિનાશ અને ઉત્પત્તિ, તે (કાલ)ને આધારે છે. (૪૩) मात्राणां परिणामा ये कालवृत्त्यनुपातिनः । नक्षत्राख्या पृथक् तेपु चिह्नमात्रं तु तारकाः ॥४४॥ કાલની ગતિને અનુસરનારાં, પંચમહાભૂતનાં વિશિષ્ટ પરિણામને નક્ષત્રોનાં જુદાં જુદાં નામ પ્રાપ્ત થાય છે. તે નક્ષત્રોના) તારાઓ માત્ર તેમનાં ચિહ્નોરૂપે છે.(૪૪) ચોક્કસ કાલ સાથેના સંબંધને કારણે પંચ મહાભૂતોનાં જે જુદાં જુદાં પરિણામો છે તેમને કૃત્તિકા, સહિણી વગેરે નક્ષત્રનામથી ઓળખવામાં આવે છે. ऋतेर्भगशकुन्तानां स्थावराणाञ्च वृत्तिभिः । छायादिपरिणामैश्च ऋतुधामा निरूप्यते ॥४५।। પશુઓ અને પંખીઓના અવાજેવડે, વૃક્ષ, વેલીઓ વગેરે સ્થાવર પદાર્થોનાં આચરણથી તેમ જ છાયા, (તડકે) વગેરે ફેરફારને કારણે, ઋતુઓના નિવાસ રૂપ કાલ નિરૂપાય છે. (૫) ઋતુઓની સાથે એકરૂપ બનેલે કાલ, તુધામા અર્થાત ઋતુઓ રૂપી નિવાસવાળે કહેવાય છે. બ્રહ્મની સ્વાતંત્ર્ય શક્તિરૂપ કાલ, વસંત, ગ્રીષ્મ, વગેરે ઋતુવિભાગ રૂપે વિભક્ત થયેલ હોય છે તેમ સમજાય છે. તુરૂપી નિશ્ચિત ભેદેવાળે કાલ તે તે ઋતુઓમાં પુસ્કેમિલનાં કુજને, નવાં નવાં કિસલયને ઉદ્દગમ, સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રની ગતિ, છાયા, તડકે વગેરેના ફેરફાર એમ અનેક રીતે નિશ્રિત બને છે. હેલારાજે અવતારેલા કેમાંથી એક લેકમાં વસન્ત, ત્રણમાં ગ્રીષ્મ, બેમાં વર્ષ, બેમાં શરદ, એકમાં હેમંત અને બેમાં શિશિર એમ અગિયાર લૈકામાં ઋતુવર્ણન રજૂ થયાં છે. निर्भासोपगमो योऽयं क्रमवानिव दृश्यते । अक्रमस्यापि विश्वस्य तत्कालस्य विचेष्टितम् ॥४६॥ ક્રમ વિનાના વિશ્વ માટે, તે ક્રમવાન છે એવા જ્ઞાનની જે પ્રતીતિ થાય છે, તે કાલનું જ કાર્ય છે. (૪૬). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy