SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ ત્રીજુ કાંડ भूतः पञ्चविधस्तत्र भविष्यंश्च चतुर्विधः । वर्तमानो द्विधाख्यात इत्येकादशकल्पनाः ॥३८॥ પાંચ પ્રકારને ભૂતકાળ, ચાર પ્રકારને ભવિષ્યકાળ અને બે પ્રકારનો વર્તમાન કાળ એમ અગિયાર કાળની કલ્પના કરવામાં આવી) છે. (૩૮) સામાન્ય ભૂત (પા.પુ. રૂ.૨.૧૧૦), અદ્યતનભૂત (1 ટૂ રૂ.૨.૧૦૧), અનઘતનભૂત (પા.૬ રૂ.૨.૧૧૧), અદ્યતન અને અનદ્યતનનો સમુદાય એ ભૂત, અધ્યાપિત ભૂતભાવ એવો ભૂત એમ પાંચ ભૂતકાળ થયા. સામાન્ય ભવિય (પા.હું. રૂ.રૂ.૧૨), અદ્યતન ભવિષ્ય (વા.. રૂ.૩.૧ ૬૪) અનદ્યતન ભવિષ્ય (વા ર્ ૩.૩ ૧૬) અને અદ્યતન અનદ્યતન ભવિષ્ય એમ ભવિષ્યના ચાર પ્રકાર થયા. | મુખ્ય વર્તમાન અને અતિદિષ્ટ વર્તમાન (૧.. ૩.૨ ૧૩) એમ બે વર્તમાનકાળ થયા. આવા બધા કાલભેદો શાસ્ત્રકાર્ય માટે પ્રયોજાય છે. काले निधाय स्वं रूपं प्रज्ञया यन्निगृह्यते । भावास्ततो निवर्तन्ते तत्र संक्रान्तशक्तयः ॥३९॥ બુદ્ધિવડે જેનું બરાબર ગ્રહણ થાય છે તેવા પોતાના રૂપને કાલમાં સ્થાપીને પદાર્થો, તેમાં પોતાની શક્તિઓને સકાત કરીને, તે (કાલ)થી અદષ્ટ બને છે. (૩૯) ક્રિયા જેમાં સમાપ્ત થાય છે તે પદાર્થોને નાશ પામેલા સ્વરૂપવાળા કહે છે. તે પદાર્થો, ત્યારે અસ્તિત્વમાં હોય છે ત્યારે, બુદ્ધિવડે સ્વીકારેલા તેમના સ્વરૂપને કાલમાં સ્થાપીને. નાશ પામે છે. તેથી તે પદાર્થો સ્મરણની સ્થિતિમાં રહે છે, અને ત્યાર બાદ “ઘડો હતો” એવા રૂપે સમજાય છે. આવા પ્રયોગો કાલનું અસ્તિત્વ સાબિત કરે છે; સરખાવો હેલારાજ; भावोपाधितया कालतत्वं प्रख्यायते। भावाश्चानुभूताः स्मर्यमाणावस्थास्तस्य भुतव्यपदेशमेव स्वोपाधितया कल्पयन्ति । तथा चाभूद् घट इत्यादिव्यवहारः। अत चौतदेव कालसभावादेकं लिङ्गम् । असत्यर्थे तव्यवहारानुपपत्ते: भाविनां चैव यद्रूपं तस्य च प्रतिबिम्बकम् । सुनिर्मूष्ट इवाद” काल एवोपपद्यते ॥४०॥ અત્યંત સ્વચ્છ દર્પણમાં (પદાર્થનું પ્રતિબિંબ પડે તેમ, ઉત્પન્ન થનારા પદાર્થોનું રૂપ અને તેનું પ્રતિબિંબ, કાલમાં જ પ્રાપ્ત થાય છે. (૪૦) ઉત્પન્ન થનાર પદાર્થનું સૂક્ષ્મ રૂ૫ ઉત્પત્તિ વખતે અદષ્ટ રહે છે. પરંતુ સુયોગ્ય કારણ પ્રાપ્ત થાય ત્યારે ઉત્પન્ન થઈને બુદ્ધિવડે ગૃહીત બની, સ્વચછ દર્પણમાં જેમ સુંદર પ્રતિબિંબ પડે તેમ કાલમાં પ્રતિબિંબિત થાય છે. तृणपर्णलतादीनि यथा स्रोतोऽनुकर्षति । प्रवर्तयति कालोऽपि मात्रा मात्रावतां तथा ॥४१॥ ઘાસ, પાંદડાં, વેલા વગેરેને જેમ (જલ)પ્રવાહ ખેંચી જાય છે તેમ કાલ પણું અવયવાળા પદાર્થોના અવયવ (રૂપધ)ને (ફેરફાર) માટે પ્રવૃત્ત કરે છે. (૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy