________________
ત્રીજુ કાંઇ
૩૭૯ - જ્યારે સાધનશક્તિઓનું કાર્ય અટકે છે ત્યારે ક્રિયાનો અવરોધ થાય છે. તેનાથી વિરુદ્ધ સ્થિતિની પ્રાપ્તિ એટલે ક્રિયા અંગે અનુમતિ. આવાં અવરોધ અને અનુમતિને કારણે સવપદાર્થોમાં કાલની પ્રવૃત્તિ સમજાય છે. ક્રમને કાલ ઉપર અધ્યારેપ કરવામાં આવે છે. તે કાલથી ઉત્પન્ન થતો નથી. ક્રિયાનો તે મુખ્ય ધર્મ છે. ક્રમની જેમ યૌગપણ પણ કાલમાં આપવામાં આવે છે. તે તેને આત્મીય ધર્મ નથી.
क भेदात्तदर्थेषु प्रचयापचयौ गतः ।
समत्वं विषमत्वं वा स एकः प्रतिपद्यते ॥३१॥ જુદા જુદા કર્તાઓને કારણે તેમનાં કાર્યોમાં વૃદ્ધિ અને હાસને પ્રાપ્ત કરનાર તે એકલે (કાલ) સમ અથવા વિષમ બને છે. (૩૧)
કૃતિ, સ્મૃતિ વગેરેના નિયમોને અનુસરીને જુદા જુદા મનુષ્યો જ્યારે સદાચાર આચરે છે, ત્યારે આચારને પ્રકર્ષ અર્થાત્ ઉત્તમતાને કારણે તેને કૃતયુગ કહે છે. સદાચાર આચરનાર મનુષ્યો અસંખ્ય હેય અને જુદે જુદે સ્થળે અને સમયે આ સદાચાર આચરવામાં આવતો હોય તો પણ તેને એકસરખી ઉત્તમતાવાળા અર્થાત્ સમકાલ કહે છે જયારે ઉછુંખલ કર્તાએ અધમ આચાર અર્થાત્ આચારના અપકર્ષને આચરે છે, ત્યારે તે વિષમકાલ અર્થાત્ કલિયુગ કહેવાય છે.
क्रियाभेदाद्यथैकस्मिंस्तक्षाद्याख्या प्रवर्तते ।
क्रियाभेदात्तथैकस्मिन्नृत्वाद्याख्योपजायते ॥३२॥ જેમ એક જ વ્યક્તિમાં, તેના કાર્યની ભિન્નતા પ્રમાણે સુથાર, લુહાર) વગેરે નામ પ્રાપ્ત થાય છે તેમ, ક્રિયાની ભિન્નતાને કારણે એક (જ કાલમાં વસંત, ગ્રીષ્મ વગેરે) ઋતુનામ પ્રાપ્ત થાય છે. (૩૨)
आरम्भश्च क्रिया चैव निष्ठा चेत्यभिधीयते ।
धर्मान्तराणामध्यासभेदात्सदसदात्मनः ॥३३॥ ભાવાત્મક અને અભાવાત્મક (પદાર્થો)માં જુદી જુદી ક્રિયાઓના જુદા જુદા આરેપને કારણે (એક જ કાલને) આરંભ(કાલ), ક્રિયા (કાલ) અને સમાપ્તિકાલ કહેવાય છે (૩૩)
સરખા : હેલારાજ-૩ મિસંથાય વાહ ચોપરાધનપાનમારમwi: I ૩૧जितसाधनस्य करणं क्रियाकालः । कर्तव्यस्य समाप्तिनिष्ठाकालः । तदेवं यथाकालं धर्मभेदकल्पनयारम्भादिकालप्रविभागः ।
यावांश्चद्वथणुकादीनां तवान् हिमवतोऽप्यसौ।।
न ह्यात्मा कस्यचिद् भेत्तुं प्रचितुवापि शक्यते ॥३४॥ આ (આરંભકાલ વગેરે કાલ) દ્વયાગુક વગેરેમાં જેટલો છે તેટલો હિમાલયમાં પણ છે; કારણ કે કઈ પણ (પદાર્થ)ના સ્વરૂપને ઘટાડી શકાતું નથી કે વધારી શકાતું નથી. (૩૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org