SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ વાપપરીય વાક્યપદીય ૩.૩ ૭૪-૭૯માં ઉત્પત્તિ અંગે સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદની ચર્ચા કરી હતી અને બંને પક્ષમાં કારણુવ્યાપારનું ખંડન કર્યું હતું. વાસ્તવમાં આ જગત કારણ વિનાનું, ક્રમહીન અને સત્ કે અસત્ એવા વ્યવહારથી જાણી ન શકાય તેવું છે. વિનાશ અંગે પણ આવી જ સ્થિતિ છે. આમ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ, કાલ અને તેની પ્રતિબંધ અને અભ્યનુજ્ઞા રૂપી શક્તિથી સમજાય છે. કાલની પ્રવૃત્તિ સર્વત્ર છે. સરખા હેલારાજ : તહેવં સ્થિતિઝભ્ભાનાં વતપ્રતિવશ્વાસ્યનુજ્ઞાવરોન સંમત તિ विश्वात्मन: कालस्य व्यापारोऽत्र सर्वत्रेति निर्णीतम् । क्रिययोरपवर्गिण्यो नार्थसमवेतयोः । संबन्धिना विनैकेन परिच्छेदः कथं भवेत् ॥२७॥ વંસવાળી (અને તેથી જુદા જુદા પદાર્થો સાથે સમવાયવાળી ક્રિયાઓની વિશિષ્ટતાઓને નિશ્ચય, એક યાજક એવા (કાલ) વિના કેવી રીતે થઈ શકે? (૨) અનેક ક્ષણમાં પ્રવર્તમાન ક્રિયાસમૂહમાં કાલ શક્તિને કારણે ક્રમ પ્રાપ્ત થાય છે, કારણ કે ક્રમ એ કાલને ધર્મ છે. ઉત્પત્તિથી વંસ સુધી, બે ક્રિયાઓ એકસરખી પ્રવૃત્તિવાળી હોવા છતાં એક ઝડપી અને બીજી ધીમી, એ નિશ્ચય, તે પ્રવૃત્તિઓને જોડનારા કાલને લીધે જ હોય છે. यथा तुलायां हस्ते वा नानाद्रव्यव्यवस्थितम् । गुरुत्वं परिमीयेत कालादेवं क्रियागतिः ॥२८॥ જેમ ત્રાજવામાં કે હાથમાં, જુદા જુદા પદાર્થોમાંનું વજન માપવામાં આવે તેમ, ક્રિયાઓની પ્રવૃત્તિ કાલને કારણે જ (માપવામાં આવે છે). (૨૮) जहाति समवृत्ताश्च क्रियाः स समवस्थिताः । व्रीहियथोदकं तेन हायनाख्यां प्रपद्यते ॥२९।। જેમ ડાંગર, તેની સાથે રહેલા પાણીને ત્યાગ કરે છે, તેમ, તે (કાલ) તેની સાથે રહેનારી અને સાથે કાર્ય કરનારી ક્રિયાઓને ત્યાગ કરે છે. તે કારણે તેને સંવત્સર કહે છે. (૨૯) વીહિ અને સંવત્સરને “હાયન' (ત્યાગ કરનાર) કહે છે. કારણ કે, વીહિ તેની સાથે રહેલ પાણીને ત્યાગ કરે છે. અને સંવત્સર, તેની બધી ક્રિયાઓને ત્યજે છે. હાયન શબ્દને સમજાવવા માટે દુધ ગ્રીવિકાઢયો: ! એવું સૂત્ર (ા.હું. રૂ.૧.૧૪ ૮) આપવામાં આવ્યું છે. હાયનની આવી ચુક્ષત્તિ ઉપમાગર્ભ છે. સરખાવો હેલા રાજ : યથા ગઢઃ ત્રીદિ: - वस्थितरुपक्रियते तथा कालोऽपि क्रियाभिः सहकारिणीभिः भावानुपकरोति इति औपाधिकोऽस्य भेदो मुख्यस्त्वभेदः । प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां वृत्तिर्या तस्य शाश्वती । तया विभज्यमानोऽसौ भजते क्रमरूपताम् ॥३०॥ અવરોધ અને અનુમતિ વડે તેની જે હમેશની પ્રવૃત્તિ છે તેના વડે વિભક્ત બનતે તે પર્વાપર્યને પામે છે. (૩૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy