________________
૩૭૭
ત્રીજુ કાંઠ
स्थितः संसर्गिभिर्भावैः स्वक्रियास्वनुगृह्यते ।
नैषां सत्तामनुगृह्य वृत्तिर्जन्मवतां स्मृता ॥२३॥ (ઉત્પત્તિ પછી) સ્થિતિમાં રહેલ તે પદાર્થ તેના સહકારી પદાર્થો વડે (અથ) ક્રિયાઓમાં પ્રયોજાય છે. તે (સહકારી પદાર્થો)ના અસ્તિત્વને સ્વીકાર્યા વિના ઉત્પાઇ પદાર્થોની પ્રવૃત્તિ થતી નથી. (૨૩)
ઉત્પત્તિ પછી સ્થિતિમાં રહેલ પદાર્થનું અર્થક્રિયાકારિત્વ જ સ્વીકારવામાં આવે તે, તેવા અર્થ ક્રિયાકારિત્વ માટે કારણ પ્રાપ્ત થતું નથી. જે તેનું એકસાથે અર્થક્રિયાકારિત્વ સ્વીકારવામાં આવે તે આવું ઉત્પત્તિ અને સ્થિતિમાં એકસાથે રહેલ અથક્રિયાકારિત્વ અનુભવથી વિરુદ્ધ બને છે. વળી ઉત્પત્તિ પછી પદાર્થ તરત જ વિનષ્ટ થાય, સ્થિતિ પછી નહિ, તેથી ઉત્પન્ન થયેલ પદાર્થની સ્થિતિ જ સંભવતી નથી. આવા ક્ષણિકવવાદી બૌદ્ધ પૂર્વપક્ષને અહીં ઉત્તર આપવામાં આવ્યો છે.
जराख्या कालशक्तिर्या शक्त्यन्तरविरोधिनी ।
સા શa: પ્રતિવજ્ઞાતિ નાજો જ વિધિના: ૨૪. (પ્રતિબન્ધ, અનુજ્ઞા વગેરે) બીજી શક્તિઓની વિધિની જરા નામે કાલશક્તિ છે. તે આવી બીજી શક્તિઓના (કાર્યને) રોકે છે, અને (પછી રેકી રાખેલી શક્તિઓની) વિરેાધી (અવસ્થાઓ) ઉત્પન્ન થાય છે. (૨૪)
પ્રાણી-અપ્રાણી વગેરેમાં સમાનપણે રહેલી જરા નામે કાલશક્તિ યવન વગેરે શક્તિએની વિધિની છે. આ જરાને કારણે બુદ્ધિની મંદતા, શરીરની શુષ્કતા વગેરે દેષો આવે છે. તે દોષો આવે એટલે પ્રધ્વંસ અર્થાત વિનાશ પાસે આવ્યો છે એમ સમજાય છે.
प्रयोजकास्तु ये भावाः स्थितिभागस्य हेतवः ।
तिरोभवन्ति ते सर्वे यत आत्मा प्रहीयते ॥२५॥ (પદાર્થના) સ્થિતિરૂપ ભાગનાં પ્રાજક કારણ રૂપે જે ભાવે છે તે સર્વે અદષ્ટ બને છે, જેથી તેનું સ્વરૂપ વિનષ્ટ થાય છે. (૨૫).
અનુકૂળ આહારવિહારવડે પ્રાણીઓનાં જીવનની સ્થિતિને ટકાવી રાખનારા પ્રાજક ભાવો, જરાથી અસર પામેલ વ્યક્તિનાં ભેગપ્રદ પ્રારબ્ધ કર્મો પૂરાં થતાં અદષ્ટ બને છે. થી જરાથી ઘેરાયેલ વ્યક્તિનું સ્વરૂપ નાશ પામે છે, અર્થાત તેનું મૃત્યુ થાય છે.
यथैवाद्भुतया वृत्त्या निष्कम निर्निबन्धनम् ।
अपदं जायते सर्व तथास्यात्मा प्रहीयते ॥२६॥ જેમ કેઈક અદ્દભુત કાર્યપ્રવૃત્તિથી આ બધું કારણ વિનાનું, ક્રમ વિનાનું અને અનિર્વાચ્ય ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે તેનું સ્વરૂપ પણ વિનાશ પામે છે. (૨૬) वा-४८
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org