________________
૩૭૬
વાકય૨દીય
વ્યક્તિ અર્થાત્ હલવ્યક્તિ. પદાર્થો ઉત્પન્ન થાય છે ત્યારે તે તેમનાં કારણોથી જુદા હેવા છતાં સમવાયરૂપ શક્તિને કારણે કારણો સાથે એકરૂપ બને છે. અહીં તેનારાજે બે મને નિર્દેશ કર્યો છે. એક મત પ્રમાણે કાર્ય અને તેનું ઉપાદાન કારણ જુદાં નથી. બીજા મત પ્રમાણે અવયવો (તન્ત) અને અવયવી (વસ્ત્રો વચ્ચે ભેદ છે તેથી કારિકામાં પ્રજામિત મારાથતિ | એવા શબ્દો વાપર્યા છે.
अथास्मान्नियमादूर्ध्व जातयों याः प्रयोजिकाः ।
ताः सर्वाः व्यक्तिमायान्ती स्वच्छे छाया इवाम्भसि ॥१९॥ પછી (કારણશક્તિ વડે કાયની અભિવ્યક્તિનું આવું નિયમન થતાં, બધી પ્રયોજક જાતિઓ, સ્વચ્છ જળમાં છાયા પ્રાપ્ત થાય તેમ (કાય) વ્યક્તિમાં પ્રગટ થાય છે. (૧૯)
कारणानुविधायित्वादथ कारणपूर्वकाः ।
गुणास्तत्रोपजायन्ते स्वजातिव्यक्तिहेतवः ॥२०॥ કારણે વડે અનુસરતા હોવાથી, કારણ સાથે રહેલા ગુણે, પિતાની જાતિએની અભિવ્યક્તિના નિમિત્ત બનીને ત્યાં (દ્રવ્ય વ્યક્તિમાં) ઉત્પન્ન થાય છે. (૨૦)
પહેલાં કારણોની ઉત્પત્તિ થાય છે, પછી કાયની. તેથી એક ક્ષણ તે કાય નિર્ગુણ રહે છે. ત્યાર પછી અવયવી એવા કાર્યમાં રૂપ વગેરે ઉતપન્ન થાય છે. રૂપ વગેરે રૂપત્ર જતિને વ્યક્ત કરે છે. અદષ્ટને કારણે પરમાણુઓમાં ઉત્પન્ન થયેલી ક્રિયા પરસ્પર સંલેષને કારણે થાક વગેરે ક્રમશી પદાર્થોને ઉત્પન્ન કરે છે. આ બધામાં ક્રમ નામે કાલ શક્તિ સક્રિય રહે છે.
आश्रयाणां च नित्यत्वमाश्रितानाञ्च नित्यता ।
ता व्यक्तिरनुगृहूणाति स्थितिस्तेन प्रकल्पते ॥२१॥ (કારણરૂ૫) આશ્રયેનું નિત્યત્વ અને (ઘટપટવાદિ જાતિરૂપ) આશ્રિતોની નિત્યતા, તે (કાર્ય)વ્યક્તિને મદદરૂપ બને છે અને તેથી તેમની સ્થિતિ પ્રાપ્ત થાય છે. (૨૧)
વ્યણુક વગેરે કાર્યવ્યક્તિઓના નિત્ય આશ્રયો અર્થાત ઉપાદાના કારણો પરમાણુઓ છે. આશ્રિત એવી ઘટવ, પટવ વગેરે જાતિઓની નિયતા કાર્ય વ્યક્તિઓને મદદરૂપ બને છે.
अनित्यस्य यथोत्पादे पारतन्त्र्यं तथा स्थितौ ।
विनाशायैव तत् सृष्टमस्वाधीनस्थिति विदुः ।।२२।।
અનિત્ય પદાર્થની ઉત્પત્તિ માટે જેમ પરતંત્રતા છે તે પ્રમાણે સ્થિતિ માટે (પણ તે) છે; (આમ ન હોય તે) તે (અનિત્ય પદાર્થ) વિનાશ માટે જ સરજા છે એમ થાય. (તેથી વૈશેષિકે) તે (કાર્યભાવ)ને પરાધીન સ્થિતિવાળો સમજે છે. (૨૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org