________________
૭ર
વાયપરાય
उत्पत्तौ च स्थितौ चैव विनाशे चापि तद्वताम् ।
निमित्त कालमेवाहुर्विभक्तनात्मना स्थितम् ॥३।। તે ઉત્પત્તિ વગેરે ક્રિયાઓવાળા (ભા)નાં ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ માટે, જુદા જુદા સ્વરૂપમાં રહેલા કાલને જ કારણરૂપ કહ્યો છે. (૩)
ક્રિયાઓ રૂપી ઉપાધિભેદને કારણે ભિન્ન રીતે સમજાતે કાલ, જન્મ વગેરે ક્રિયાઓ વાળા ભાવના ભેદ માટે જવાબદાર બને છે.
तमस्य लोकयन्त्रस्य सूत्रधार प्रचक्षते ।
प्रतिबन्धाभ्यनुज्ञाभ्यां तेन विश्व विभज्यते ॥४॥ તેને જગતરૂપી યગ્નને નિયામક કહે છે. અવરોધ અને અનુમતિ વડે તે વિશ્વનું નિયમન કરે છે. (૪)
જગતરૂપી મહાન યત્રનો સૂત્રધાર અત્ ચાલક અને નિયંતા કાલ છે. પ્રતિબંધ અર્થાત અવરોધ અને અન્યનુજ્ઞા એટલે ઉત્પત્તિ માટે અનુમતિ દ્વારા તે જગતનું નિયંત્રણ કરે છે. પ્રતિબંધ એટલે સ્થગન અર્થાત્ નાશ. અભ્યનુજ્ઞા એટલે ઉન્મજજન અથવા જન્મ એવો અર્થ હલારાજ આપે છે. આ મત ભર્તુહરિન છે.
यदि न प्रतिबध्नीयात्प्रतिबन्ध च नोत्सृजेत् ।
अवस्था व्यतिकीर्येरन्पौर्यापर्यविनाकृताः ॥५॥ - તે (કાલ) જે પ્રતિબંધ ન કરે અને પ્રતિબંધને હર ન કરે તે (કાલકૃત) પૌવપર્ય વિનાની બનેલી (ઉત્પત્તિની) અવસ્થાએ અવ્યવસ્થિત બને. (૫)
કાલકૃત પ્રતિબંધ ન હોય તો બધા પદાર્થોની ઉત્પત્તિ એક સાથે થાય અને બીજમાંથી ક્રમશઃ અંકુર, તાલ, કાંડ, વગેરે બનતાં, તેમનામાં ક્રમને નિયમ ન રહે. તેથી સઘળું સંકીર્ણ અને અસ્તવ્યસ્ત બને. આ કારિકામાં ભર્તુહરિએ કાલ અંગેને લૌકિક મત રજુ કર્યો છે.
तस्यात्मा बहुधा भिन्नो भेदैर्धर्मान्तराश्रयैः ।
न हि भिन्नमभिन्न वा वस्तु किचन विद्यते ॥६॥ જુદા જુદા ક્રિયાધના આશ્રયને કારણે તેનું સ્વરૂપ અનેક પ્રકારે ભિન્ન હોય છે. (વાસ્તવમાં) ભિન્ન કે અભિન્ન એવું કઈ તત્ત્વ નથી. (૬)
પદાર્થોમાં ભેદ હમેશાં ઉપાધિના આશ્રયને કારણે હોય છે. પદાર્થ પિતાની મેળે તો ભિન્ન કે અભિન્ન હોતો નથી. ઉપાધિ સાથે સંસ્કૃષ્ટ હોવાને કારણે જ ભાવ માટે તે ભિન્ન છે કે અભિન્ન છે એમ કહેવાય છે; સરખા
भिन्ना इति परोपाधिरभिन्ना इति वा पुनः । માયામય બપડ્યું સંતૃદેવ નાયસે છે - વા.૫. ૩.૧.૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org