SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ જાતિ અને દ્રવ્યના સંદર્ભમાં લિંગ અને વચન અંગે ચર્ચા કરતાં ભતૃહરિ જણાવે છે કે શબ્દના વાય અર્થ રૂપે જાતિને સમજવામાં આવતાં તેને માટે લિંગ અને વચન નિશ્ચિત હોય છે, અને આશ્રયનાં લિંગ અને વચન સાથે તે જોડાય છે. શબ્દોના લૌકિક લિંગને બદલે શાસ્ત્રીય લિંગ વીકારવું જોઈએ. પદનો અર્થ દ્રવ્ય સમજવામાં આવતાં લિંગવિષયક કે વિરોધ નથી, જાતિ તેમજ વ્યક્તિ પક્ષમાં શબ્દો નિયતલિંગવાળા હોય છે. તેથી લિંગ અંગે, લિંગસમુદેશમાં ક૯પેલા સાત વિકપ બનેને લાગુ પડે છે. વચન અંગે પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે વ્યવહાર કરવો જોઈએ. દ્રવ્ય અને જાતિ વચ્ચે, નામ અને આખ્ય તની જેમ, ગૌણપ્રધાનભાવને સ્વીકારી શકાય. ગૌણુ દ્રવ્યો અનેક હોવાને કારણે આકૃતિ માટે એક શબ્દ વપરાય છે. જુદાં જુદાં દ્રવ્યો સાથેના સંબંધને કારણે જુદી જુદી સંખ્યાઓ સિદ્ધ થાય છે. (૩૧૭–૩૫૮) ( [ સવાણામેશેષ વિમ! સૂત્ર ૧. ૨. ૬૪ અને નાયાક્યાયામેજમવદુવનમન્યતરચામ્ | સૂત્ર ૧. ૨ ૫૮ ઉપરનાં કેટલાંક વાર્તિકવચનો અને ભાષ્યવચનો, ઉપરની ચર્ચાને આધાર રૂપે છે ] ઔષમ્ય અંગેનો નવો વિભાગ કારિકા ૩૬૧ થી શરૂ થાય છે. માન અને ઉપમાનને સમજાવીને રાત્રીશ્યામ જેવા તત્પુરુષ સમાસનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જુદા જુદા આશ્રયમાં રહેલા ગુણે વચ્ચે ભેદ હોવા છતાં તે એક જ છે એમ સમજવામાં આવે છે. આશ્રયને કારણે ગુણેમાં ભેદ અને જાતિને કારણે ગુણેમાં અભેદ હોવાથી ઉપમાન, ઉપમેયને નક્કી કરવામાં કાર્યશીલ બને છે. પિતાના બીજા વિશિષ્ટ ગુણને કારણે જુદા વિશિષ્ટ ગુણોવાળા આશ્રયો સાથે સંબંધને પામનારને ઉપમાન કહેવાય છે. ઉપમાન અને ઉપમેયમાંથી કેઈકમાં રહેલા સાધારણ ધર્મને જણાવતે શબ્દ સામાન્યવચન તરીકે ઓળખાય છે. સામાન્ય ધમ ઉપર આધાર રાખનારું અને પદાર્થને પૂરેપૂરું નહિ માપી શકનારું નિમિત્ત ઉપમાન, સદશ્યને કારણે ઉપમેયની પાસેનું સમજવામાં આવે છે. ઉપમાન અને ઉપમેયમાં અભેદની વિવેક્ષા હોય ત્યારે ઉપમા પ્રાપ્ત થશે નહિ જ્યાં કાંઈક સામાન્ય હોય અને કેટલાક ભેદો હોય ત્યાં ઉપમાનેપમેયભાવ હેાય છે. જેમ ગુરુ, શિષ્ય, પિતા, પુત્ર, ક્રિયા, કાલ વગેરે વ્યવહાર બીજાની અપેક્ષા રાખે છે તેમ ઉપમાનેપમેયભાવ પણ બીજાની અપેક્ષા રાખે છે. (૩૫૯-૪૨૦) [ ૩૧માનારિ રામાવતૈ: | સૂત્ર ૨. ૧. ૫૫ ઉપરનાં વાર્તિક અને ભાષ્યવચન ઉપરની ચર્ચાના આધાર રૂપે છે.) ૩૫મિત કથાઘામિ: સામાચારો . સૂત્ર ૨. ૧. ૫૭ના વિચારના અનુલક્ષ્યમાં ભાષાનુસારી ચર્ચા કરતાં બતૃહરિ જણાવે છે કે પુરુષયાગ્ર: સમાસમાં વાઘ શબ્દ શૌર્યના સંદર્ભમાં પુરુષનો અર્થ દર્શાવે છે, પરંતુ જે ગુરઃ શબ્દ વાપરવામાં આવે તો સમાસ પ્રાપ્ત થતું નથી. (૪૨૮-૪૩૩) તેન તુલ્ય ક્રિયા દ્વતિઃ સૂત્ર ૫.૧.૧૧૫ના સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે સાધારણ ધર્મના ઉલેખ વિનાના દ્રવ્યમાં દઢ બનેલા સંબંધવાળા સાધારણ ધર્મરૂપી ક્રિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy