SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકર્ષવાચક શબ્દ, સ્ત્રીલિંગવાળા શબ્દો, ૮%, બહુવ્રીહિ અને ન સમાસ અંગે વાર્તિક અને ભાવમાં પ્રાપ્ત થનારી, વિશેષળાનાં વાકાતે: ૧.૨.૫૨ સૂત્ર ઉપરની ચચોને હવે રજૂ કરવામાં આવે છે. (૧૫૯) પ્રકર્ષવાચક શબ્દોનાં લિંગ અને વચન અંગેની ચર્ચા પ્રમાણમાં ઓછી હોવાથી તેને પહેલાં, મતિજ્ઞાને તમવિટનૌ : સૂત્ર ૫.૩.૫૫ ના સંદર્ભમાં રજુ કરવામાં આવે છે. ભર્તુહરિએ આ સૂત્ર ઉપરનાં કેટલાંક ભાષ્યવચનોને પોતાના શબ્દોમાં રજુ કર્યો છે. (૧૬ ૦-૧૬૮). ત્રિયાના સૂત્ર ૪.૧.૩ ઉપરના ભાષ્યમાં ચર્ચવામાં આવેલા મુદ્દાઓને આ ચર્ચામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પતંજલિની પહેલાં વપરાતા અને સ્ત્રીત્વનો અર્થ દર્શાવતા સંસ્થાન શબ્દને કેન્દ્રમાં રાખીને આ કારિકાસમૂહમાં ચર્ચા કરવામાં આવી છે. વિયાત્ સૂત્ર ઉપરનાં વાસ્તિકો અને ભાગ્યમાં સ્ત્રી શબ્દ કયા અર્થમાં પ્રયોજાય છે એ અંગે ત્રણ પક્ષે, પ્રત્યયાર્થવિશેષણપક્ષ, સ્ત્રીસમાનાધિકરણપક્ષ અને પ્રકૃયર્થવિશેષણપક્ષ, હેલારાજ અને કેવટે સૂચવ્યા છે. (૧૬૯-૧૯૦) ૧ (અને અવ્યય હોવાથી અને ૨ના અર્થમાં દ્વન્દ સમાસ પ્રાપ્ત થતો હોવાથી સમાસમાં લિંગ અને સંખ્યાની પ્રાપ્તિ થવી જોઈએ નહિ. છતાં પણ આવાં લિંગ અને સંખ્યા પ્રાપ્ત થાય છે તેને અંગે અહીં ચર્ચા કરવામાં આવી છે. ૨, વા વગેરે શબ્દ વિકલ્પ, સમુચ્ચય, પ્રતિષેધ વગેરે અર્થે દર્શાવે છે. આવા અર્થે સત્ત્વરૂપ દ્રવ્યને હાઈ તેમને લિંગ અને સંખ્યા સાથે સંબંધ હોઈ શકે. (૧૯૧-૨૧૦) બહુત્રી હિ સમાસમાં લિંગ અને વચનના અતિદેશ અંગે ચર્ચા કરતાં જણાવવામાં આવ્યું છે કે “આ તે છે એવા અભેદ સંબંધને કારણે વિશિષ્ટ આશ્રયનાં વાચક બહુ વીહિપદનાં લિંગ અને સંખ્યા વિશેષળાનાં વાકાતે: ' સૂત્ર ૧.૨.૫૨ ના નિયમને કારણે પ્રાપ્ત થશે. આ પ્રમાણે બત્રીહિ સમાસ લિંગ અને સંખ્યા સહિત દ્રવ્યનું અભિધાન વાં લિંગ અને સંખ્યાનું અભિધાન કરનારા પ્રત્યેનો પ્રયોગ થતો નથી. ભાષાનુસારી મત દર્શાવતાં ભર્તુહરિ જણાવે છે કે દ્રવ્યરૂપ ધર્મો સાથેના બહુત્રાહિ સમાસમાં દ્રવ્યરૂપ વિશેષ સાથે રહેલાં લિંગ અને સંખ્યાને આ સમાસ પ્રાપ્ત કરે છે. (૨૧૧-૨૪૮) [અને મચવા | સૂત્ર ૨.૨.૨૪ ઉપરનાં વાર્તિકવચનો અને ભાષ્યવચનો આ ચર્ચાને આધાર રૂપે છે. વાર્તિકભાષ્યવચનોમાંથી અન્ય પદાર્થ અને વિભકત્યર્થ એવા બે પક્ષે પ્રાપ્ત થાય છે. ભર્તુહરિને બંને પક્ષે સ્વીકારાઈ લાગ્યા છે એમ જણાય છે.] - ન- સમાસ અંગે ત્રણ પક્ષે વિચારવામાં આવ્યા છે. ત્રા: માં ઉત્તર પદને અર્થ મુખ્ય, પૂર્વ પદને અર્થ મુખ્ય અને અન્ય પદનો અર્થ મુખ્ય એમ ત્રણ પક્ષો નમ્ ૨.૨.૬ ઉપરના ભાગ્યમાં ભાષકારે રજૂ કર્યો છે. આ પક્ષે અંગે ભતૃહરિએ મુશ્કેલીઓ સૂચવી છે અને માવ: તેમજ મસા એવા સમાસ પ્રયોગોનાં ઉદાહરણ આ અંગે આપ્યાં છે. આ મુશ્કેલીઓ ભહરિ દૂર કરે છે અને ભાષ્યકારને અનુસરીને પૃ પદ અને ઉત્તર પદના અર્થના પ્રાધાન્યને સ્વીકારે છે. (૨૪૯-૩૧૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy