SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સમાસમાં એકાથી ભાવની કલ્પના હોય તે વિશેષણવિશેષ્યભાવ તેમાં કેવી રીતે હાઈ શકે એવા સ્વાભાવિક પ્રશ્નના ઉત્તર રૂપે જણાવવામાં આવ્યું છે કે વિશેષણના બધા પછી, તેના અર્થના વિશેષ્યના અર્થ સાથે સમુચ થાય છે. ત્યાર પછી વિશેષણના અથની | નિવૃત્તિ થાય છે. આવી નિવૃત્તિ થતાં એકાથભાવરૂપ વૃત્તિ પ્રાપ્ત થાય છે. આ અંગે મુશ્કેલી એ છે કે નિમિત્ત અર્થાત વિશેષણ અને નિમિત્તી અર્થાત્ વિશેષ્ય એક સાથે રહેતાં નથી. તેથી તેમની વચ્ચે સંબંધ થતો નથી. આ ઉપરાંત પૂર્વ સંસ્કાર સાથેના ઉત્તર જ્ઞાનથી ઉત્પન્ન થયેલી સ્મૃતિ દ્વારા તેમનું સંયોજન પણ થતું નથી. તેથી વિશેષણવિશેષ્યભાવ સિદ્ધ થતો નથી. ભર્તુહરિનો ઉત્તર એવો છે કે વિશેષણ અને વિશેષ પરસ્પર સંયુક્ત હેવાથી તેમને અંગેનું જ્ઞાન પણ જાણે સંસૃષ્ટ હોય એમ ઉત્પન્ન થાય છે. માત્ર પ્રક્રિયાને અથે તેમને વિભક્તપણે સમજવામાં આવે છે. વાસ્તવમાં તેમનું જ્ઞાન અભિન્ન છે. સમાસમાં જુદાં જુદાં પતી ક૯પના, સમાસને સમજવામાં માત્ર ઉપાય રૂપે જ છે (૮૯-૯૯) [સમર્થ: વવિધિ: ( સૂત્ર ૨.૧.૧ ઉપરનાં કેટલાંક ભાળ્યવચનો ઉપરની ચર્ચાના આધાર રૂપે છે.] સમાસમાં ગૌણ પદના અર્થમાં એક સંખ્યાથી વિલક્ષણ એવી અભેદૈત્વ સંખ્યા પ્રાપ્ત થાય છે. તે બધી સંખ્યાના સમુચ્ચય રૂપે અભિનપણે રહેલી છે. જેમ મધમાં અનેક પુના રસો રહેલા છે તેમ અનેક સંખ્યાઓ આ સંખ્યામાં સમાયેલી છે. ઉપસર્જન પદને અર્થ સંખ્યા સામાન્ય રૂપે સમજવામાં આવે છે. સ્થા: વતિ , ગોઢ ગ્રામ અને દ્રિપુત્ર વગેરે પ્રયોગો આનાં ઉદાહરણો છે. અભેદૈવ સંખ્યાને સ્વીકારતાં ચૌદમા, તાવ, નાર્થ, ચંચળ વગેરે શબ્દરૂપે સિદ્ધ થશે નહિ. આવો વિપક્ષ બરાબર નથી. ઉપસર્જન પદમાં એકત્ર સંખ્યા માનતાં તે સ ખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ થશે. અભેદૈવ સંખ્યાને ચોક્કસ સંખ્યાવાળી એકત્વ સંખ્યા અને સંખ્યાઓ રૂપી ભેદ વિનાની અભેદૈવ સંખ્યા એમ બે રીતે સમજવી જોઈએ. આ વિચાર અંગે ભર્તુહરિને અભિગમ બન્ને પક્ષે છે. વૃત્તિમાં અભેદકત્વ સંખ્યા અને વાકયમાં ચોક્કસ સંખ્યા પ્રાપ્ત થતી હોવા છતાં બધે આવો વિશિષ્ટ સંખ્યાબેદ હોતો નથી. (૧૦૦-૧૩૪). [મારવ | સૂત્ર ૬.૩.૧ ઉપરના વાર્તિક-ભાષ્યમાં મળી આવતાં કેટલાંક વિધાનો આ ચર્ચાના આધાર રૂપે છે.]. સમાસમાં જેમ ઉપસર્જનપદમાં સંખ્યા વિશેષ કોઈવાર જણાતો નથી તેમ લિંગવિશેષનો પણ પરિચય થતું નથી. લિંગની અને સંખ્યાની વિશિષ્ટતાને જણાવવા માટે વિશેષળાનાં વાગાલે. સુત્ર ૧.૨.પરને રજૂ કરવામાં આવ્યું છે. આ સત્રનું પ્રત્યાખ્યાન ભાષ્યમાં જણાવવામાં આવ્યું છે. આ સૂત્રવચન દ્વારા કરવામાં આવેલી શાસ્ત્રવ્યવસ્થાને લીધે આવનાં લિંગ અને વચન પ્રમાણે આશ્રિતનાં લિંગ અને વચનને પણ જણાવવામાં આવે છે. ( ૩૫-૧૫૮). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy