________________
સામાનાધિકરણયને ધ્યાનમાં રાખીને જણાવવામાં આવ્યું છે કે દ્રવ્યને કઈક વિશિષ્ટ ગુણ સાથેના સંસગને લીધે જુદુ સમજવામાં આવે છે, જેમ કે cળતા: પ્રગ. જુદાં જુદાં નિમિત્તાને કારણે દ્રવ્યનું એકવ સમજવામાં આવે છે. આવું એક સ્વરૂપ જ્ઞાન કે તેથી વિરુદ્ધનું અનેકવરૂપ જ્ઞાન વિશિષ્ટ બુદ્ધિને કારણે સમજવામાં આવે છે. શબ્દ તેમજ અર્થ, એમ બન્નેના સંદર્ભમાં સામાનાધિકરણયને સમજવામાં આવે છે. (૧૨-૭)
[ઉપરની ચર્ચાના મૂળમાં વિશેષનનાં વાઝાતેઃ I ૧.૨.૫૨ સૂત્ર ઉપરનાં કેટલાંક ભાગ વચનો છે].
ઇન્દ્ર અને એકશેષ અંગે નિર્દેશ કરતાં જણાવવામાં આવ્યું છે કે અવયવો વડે યાત એવા સમુદાયનું જ્ઞાન જ્યારે ઉતપન્ન થાય છે ત્યારે તેને દઅને એકશેષમાં પ્રાપ્ત થનારી સહવિવા કહે છે. ઇતરેતરોગમાં સમુદાય દરેક અવયવમાં રહેલો છે. 6% સમાસમાં એક અર્થ દર્શાવનાર શબ્દો, બીજો અર્થ પણ દર્શાવે છે. જે બે શબ્દો વડે એક પદ અનેક અર્થો દર્શાવે છે, તે બે પદો વડે બીજું પદ અનેક અર્થો દર્શાવે છે. આને યુગપવાચિતા કહે છે. ભાગ્યમાં તેને દુઃખા અને દુરુપપદા કહી છે. પરંતુ દ્વન્દના વ્યવહાર માટે તેનો આશ્રય કરવામાં આવ્યો છે. (૨૮-૩૬)
[વાર્થે દુ; ' સૂત્ર (૨.૨.૨૯) ઉપરના ભાષ્યમાં વિસ્તારથી ચર્ચવામાં આવેલા યુગપદધિકરણવચનતાના સિદ્ધાંતને ઉલ્લેખ ભતૃહરિએ સંક્ષેપમાં કર્યો છે.].
કેટલાક અર્થભેદો વાક્યમાં, કેટલાક વૃત્તિમાં અને કેટલાક બનેમાં નિયત હેાય છે. સામર્થના સંદર્ભમાં તેમને જણાવવામાં આવે છે. સામર્થ્યને સમાસમાં એકાથી ભાવ રૂપે અને વાક્યમાં વ્યાપેક્ષા રૂપે સમજવામાં આવે છે. સાપેક્ષ એવો સંબંધી શબ્દ, સમુદાય સાથે સંબંધવાળા શબ્દો, શોર, ઘા, પટારા: નઠોરૂમ્, સાત વર્ષ:, કુરૂક્ષનટશન, મદા અિત:, મદારગાસે, ઋતપૂર્વ વગેરેમાં વ્યવહાર પ્રાપ્ત અર્થશક્તિનાં વિવિધ પાસાં નજરે ચડે છે. વિભક્તિ ના લોપનું વિધાન અને સર ની વ્યવસ્થા શાસ્ત્ર દ્વારા થાય છે; પરંતુ નોરથ જેવા પ્રયોગોમાં, વ્યવહાર દ્વારા જ, વાકયમ કે સમાસમાં યુ શબ્દના વપરાશને અભાવ સમજવામાં આવે છે (૩૭–૪૮)
વૃત્તિ અને વાક્યની ચર્ચા અંગે કેટલીક સૂમ બાબતો રજૂ કરતી વખતે ભતૃહરિ, શાસ્ત્રનિયમોના ઉપકારકત્વ અંગે કેટલીક સ્પષ્ટ બાબતો તરફ આપણું ધ્યાન દોરે છે?
(1) શબ્દોના જદા જુદા અવયની કપરાએ ધારા થતા વિભાગે અંગે શાસ્ત્રમાં અન્વાખ્યાન કરવામાં આવે છે. વ્યવહા૨પ્રાગ અને શાસ્ત્રનયમે એકબીજાથી દર છે.
(૨) વ્યવહારમાં અર્થની હંમેશની પ્રાપ્તિને વિચારીને જ વાક્યમાં પદની, પદમાં ધાતુની, અને ધાતુમાં અવયવોની કલ્પના કરવામાં આવી છે. વ્યાકરણગત વ્યુત્પત્તિ અનિશ્ચિત હોઈ, શાસ્ત્રકારોએ યોજેલા ઉપ સાચા માનવા જોઈએ નહિ.
(૩) શિષ્ટ માટે શાસ્ત્ર નથી. શિષ્યોએ કરેલા વિભાગોને શાસ્ત્ર અનુમતી આપે છે.
(૪) શાસ્ત્રના જ્ઞાન અંગે અનિશ્ચિતતા હોય ત્યારે શાસ્ત્રને નિર્ણાયક માનવું જોઈએ નહિ. શિષ્ટ પ્રયોગોને ન સમજનાર માટે શાસ્ત્ર તેત્ર સમાન છે.
[ઉપરની ચર્ચાના મૂળમાં સમર્થઃ વિધિ સુત્ર ૨.૧.૧ ઉપરનાં કેટલાંક ભાષ્યવચને છે]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org