________________
૭
વૃત્તિને કૃદન્ત, તદ્ધિતાન, સમાસ, એકશેષ અને ધાતુ એમ પાંચ પ્રકારે સમજવામાં આવે છે. આ સમુદેશમાં વિષયોનું નિરૂપણ જે પ્રકારે થયું છે તે ઉપરથી કહી શકાય કે પાંચ વૃત્તિઓમાંથી તદ્ધિતાત, સમાસ અને એકશેષ અંગે વાર્તિકકાર અને ભાગ્યકારનાં વચનોના વ્યાખ્યાન રૂપે ભર્તુહરિએ, કારિકાઓ દ્વારા, પિતાના વિચારો રજૂ કર્યો છે. તેમાં વિષયના સંદર્ભમાં એકસૂત્રતા કે ક્રમબદ્ધ રજૂઆત, વાજિંકકાર અને ભાષ્યકારની આ વિષયની ચર્ચાના અનુલક્ષ્યમાં છે. સમગ્ર વિભાગ વાર્તિક અને ભાષ્યમાંના અર્થવિચાર અંગેના મુદ્દાને ધ્યાનમાં રાખીને રજૂ થયો છે. તે તે સ્થળામાંની ચર્ચાના કેટલાક વિષયને પસંદ કરીને તેમને વિષે વિગતથી વિચાર કરવામાં આવ્યો છે.
આ સમુદેશમાં તદ્ધિત, એકશેષ અને સમાસની ચર્ચા, તથા ઓપસ્ય અંગે ચર્ચા રજૂ થઈ છે. સમાનાધિકરણ તદિતવૃત્તિ સત્તાવીસ કારિકાઓમાં, % અને એકશેષ વૃત્તિ નવ કારિકાઓમાં અને સમાસ, ૭૭ થી ૩૧૬ સુધીની કારિકાઓમાં ચર્ચવામાં આવ્યાં છે. સમાસ અંગે પણ વૃત્તિ અને વાકયને ભેદ, અભેકિત્ર સંખ્યા અને સમાસ પ્રયોગોમાં લિંગ અને વચનના અતિદેશ અંગે ચર્ચા કરવામાં આવી છે. વાસ્તવમાં સમાસ અંગેની ચર્ચાને સંદર્ભ ન” સમાસ, બહુવ્રીહિ, અને દ્વન્દ્રમાં લિંગ અને વચનના અતિદેશની ચર્ચા કરવા તરફનો છે.
વૃત્તિસમુદેશમાં બીજે મેટે વિભાગ ઉપમાન અને તેની સાથે સંકળાયેલા વિષયની ચર્ચાનો છે. તેને માટે ૩૬૧ થી ૬૨૫ સુધીની કારિકાઓ રજૂ કરવામાં આવી છે.
દ્વિતીય કાંડ ઉપરની પોતાની ટીકામાં પુરુરાજ જણાવે છે કે “ અર્થવિચારના પ્રસંગે, ઉ૫માસમુદેશમાં આ બાબત વિસ્તારપૂર્વક જણાવવામાં આવશે.” ઉપમાસમુદ્દેશ અંગેની ચર્ચાનું સ્થાન પદકાંડમાં જ અને કદાચ વૃત્તિસમુદેશમાં હોઈ શકે. અહીં એક તર્ક કરવાનું મન થાય છે કે ઓપગ્ય અંગેની સમગ્ર ચર્ચા ઉપમા સમુદેશ તરીકે પ્રસિદ્ધ હોય અને ભતૃહરિના અવસાન પછી વાક્યપદીયના વિચારો વિપ્લાવિત થતાં આ સ્વતંત્ર ઉપમા સમુદેશ વૃત્તિસમુદેશને ભાગ બની ગયો હોય. અલબત્ત આ તકને કશે આધાર નથી, કારણ કે, ઉપમાસમુદેશ હેલારાજની પહેલાં જ નષ્ટ થયો હતો. હેનારાજ આ અંગે કશું કહેતા નથી અને હસ્તપ્રતો આ અંગે ઉપયોગી નથી.
વૃત્તિસમુદેશમાં ચર્ચાની શરૂઆત સમાનાધિકરણ તદ્ધિતવૃત્તિથી થાય છે.
પરિપૂર્ણ અર્થેવાળા પદોને જ નિન્દા, પ્રશંસા અને પ્રાર્થને દર્શાવતા પ્રત્યય લાગે છે. નિન્દા માટે જ પ્રત્યય અને પ્રકા માટે તરફૂ અને તમ પ્રત્યય લાગે છે. તદ્ધિતાન શરૂપમાં સમાનાધિકરણમાં રહેલાં પ્રકૃતિ અને પ્રત્યય અંગે જણાવવામાં આવ્યું છે કે પ્રકૃતિ એવા કુરિત શબ્દને નિન્દાના અર્થ માં # પ્રત્યય લાગે છે જેમ કે યુતિ : એવી રીતે પ્રકો અર્થ દર્શાવવા માટે તર અથવા તમ પ્રત્યયો લાગે છે, જેમ કે ગુરુ તર:, સુરતમ:. સમાનાધિક ગુ પદે, સમાન અધિકરણમાં હોય કે વ્યધિકરણમાં હોય, તેઓ દ્રવ્યનો અર્થ દર્શાવે છે અને તેથી તેમની વચ્ચે સંબંધ પ્રાપ્ત થાય છે. (૧-૧)
(ઉપરની ચર્ચાના મૂળમાં તદ્ધિત પ્રત્યયો અંગેના વિભાપના, અષ્ટાધ્યાયીના સૂત્ર હિતે ! (૫.૩.૭૪) ઉપરનાં કેટલાંક ભાગવચના છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org