SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ લિંગસમુદ્દેશ લેકવ્યવહારમાં લિંગ અંગે સાત વિકટ જાણીતા છે, જેમકે સ્તન અને કેશ સાથે સંબંધ, સ્તન વગેરે ચિહ્નો, લિંગચિહ્નોથી વ્યક્ત થતી જાતિ, ત્રણ ગુણેની ત્રણ અવસ્થાએ, આવી અવસ્થાઓવાળા ત્રણ ગુણ, શબ્દથી ઉત્પન્ન થયેલ અર્થાત્મા અને શબ્દસંસ્કાર. વ્યાકરણશાસ્ત્રમાં પણ લિંગ અંગે સાત મતે જણાવ્યા છે, જેમકે પુલિંગ અને નપુ સકલિંગ એમ બને જાતિના શબ્દો, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ બને જાતિના શબ્દો, સ્ત્રીલિંગ અને પુંલિંગ એમ બે જાતના શબ્દો, ત્રણેય જાતિના શબ્દો, માત્ર પુલિંગ, માત્ર સ્ત્રીલિંગ, અને માત્ર નપુંસક. દરેક દ્રવ્યમાં દ્રવ્ય જાતિ અને લિંગજાતિ રહેલી છે. બુદ્ધિ વડે જ્યાં લિંગના સ્વરૂપની કલ્પના થાય છે ત્યાં પણ ત્રણ લિંગ સમજવામાં આવે છે. બધા પદાર્થોમાં આવિર્ભાવ, તિરભાવ અને સ્થિતિ એવા અવિનાશી ધર્મોને લિંગ રૂપે સમજવામાં આવ્યા છે. બધા પદાર્થોમાં રહેલા શબ્દ, સંપર્શ વગેરે દરેક ગુણમાં, સર્વ વગેરે ત્રણ ધર્મો રહેલા છે. પદાર્થોના ઉપચય અને અપચયના સાયને સ્થિતિ કહે છે. તે નપુંસકલિંગના આધાર રૂપે છે. શબ્દમાં લિંગન નિમિત રૂપે રહેલા અનેક ધર્મોમાંથી કોઈ એક ધમ તેમનાં લિંગનો વાચક બને છે. શિષ્ટ, શબ્દના અર્થોનું ચોક્કસ જ્ઞાન ધરાવીને ધર્મના જ્ઞાનરૂપે જે લિંગ પ્રાપ્ત થતું હોય તેને જ લિંગ તરીકે જાહેર કરે છે. બધા શબ્દોમાં બધાં લિંગો છે એ ની સ્થિતિમાં, કેઈક શબ્દના શુદ્ધ વપરાશમાં વિવક્ષાના નિયમ પ્રમાણે લિંગ વ્યવસ્થા નક્કી કરવામાં આવે છે. શિષ્ટપ્રયોગથી સિદ્ધ થયેલા નિશ્ચિત લિંગને કારણે શબ્દોના સાધુત્વનું જ્ઞાન થાય છે. સાદિ ગુણમાને કોઈ એક ધર્મ, શબ્દના લિંગના સાધુત્વનું નિમિત્ત અને વિવક્ષાનો વિષય બને છે. મતાન્તર રજૂ કરતાં ભર્તુહરિ જણાવે છે કે ઉત્પત્તિ, પ્રસવ છે, નાશ સંસ્થાન છે, અને સ્વાભાવિક સ્વરૂપને સ્થિતિ કહેવામાં આવે છે. જ્યાં એકત્વને નિશ્ચય હોય તેવા પાણુ, રેતી, વર્ષાઋતુ વગેરે શબ્દ બહુવચનને ભાવ ઉત્પન્ન કરતા હોવાથી મા, વિક્તા:, વર્ષા: એમ બહુવચનમાં વપરાય છે. લિંગ અંગે પણ આવી સ્થિતિ છે. લિંગ માત્ર શબ્દસંસ્કાર અર્થે છે. [ત્રિાન્ ! સૂત્ર ૪.૧.૩ ઉપરનાં વાર્તિકવચનો અને ભાગવચનને આધારે આ અશમાં હિંગ અંગે ચર્ચા કરવામાં આવી છે. ભાગ્યકારને અનુસરીને લિંગ અંગે વ્યા પ્રયોગો અને શાસ્ત્રીય સ્થિતિ દર્શાવીને, શાસ્ત્રીય લિંગ માટે સાંખ્ય મતને અનુસરીને ચર્ચા કરવામાં આવી છે. વિશેષિક મતનો ઉલ્લેખ પણ વાક્યપદીયકારે કર્યો છે.]. વૃત્તિસમુદેશ પદકાંડને તેના બીજા સમુહેશોની સરખામણીમાં સૌથી મોટો ૬૨૫ કારિકાઓવાળે વિભાગ, વૃત્તિસમુદ્દેશ છે. અત્યાર સુધીમાં અસમસ્ત અર્થાત્ એકલા પદના અર્થો જેવા કે દ્રવ્ય, કાલ, દિફ, સંખ્યા, ઉપગ્રહ, લિંગ વગેરે વિષે ચર્ચા કરવામાં આવી. હવે સમસ્ત પદ અથત વૃત્તિગત અર્થોને વિચાર કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy