________________
૩૫
કારગ રૂપે તે રહે છે. કાલ સાથે સંબદ્ધ ક્રિયાવિશેપોના પરિણામને કારણે જુદાં જુદાં મૂર્ત દ્રવ્યોના વૃદ્ધિ અને હાસ સમજાય છે. કાલના સંબંધને લીધે પ્રેરણ રૂપ કર્મને કારણે, શક્તિઓમાં નિત્ય ક્રિયા વ્યક્ત થાય છે. નિત્ય ક્રિયામાં ફલવ્યક્તિ ઉત્પન્ન થાય છે. કાર્ય કારણના ભેદની બાધક સમવાય નામે શક્તિ ફલવ્યક્તિઓને એકત્વ પ્રાપ્ત કરાવે છે.
અવરોધ અને અનુમતિ વડે તેની હમેશની પ્રવૃત્તિ દ્વારા વિભક્ત બનતો કાલ પોપર્વને પામે છે. કાલના વિભાગો ભૂત, ભવિષ્યત અને વર્તમાન રૂપે સમજવામાં આવ્યા છે. પાંચ પ્રકારનો ભૂતકાળ છે, ચાર પ્રકારનો ભવિષ્યકાળ છે અને બે પ્રકારને વર્તમાન છે. અયનના વિભાગ, નક્ષત્રોની નિશ્ચિત ગતિ અને પ્રાણીઓનાં વિનાશ અને ઉત્પત્તિ કાલને આધારે છે. વિશ્વની કમરૂપતા તથા દૂર અને પાસેનું એવા નિશ્ચયની જેમ ધીમું અને ઝડપી અંગેનો નિશ્ચય કાલને આધારે છે. ભૂત અને ભવિષ્ય અંધકાર રૂપે રહેલા છે. કાલ અંગે એક મત એવો છે કે કાલ બુદ્ધયનુસંહાર અર્થાત્ બુદ્ધિસંકલન રૂપે છે. સૂર્ય, ચહે અને નક્ષત્રોની ગતિને કાલ કહે છે. વર્તમાન કાળ જેવું કશું નથી એવા મતના અનુસંધાનમાં ભર્તુહરિ જણાવે છે કે ભૂત અને ભવિષ્યને છોડીને વર્તમાન જેવું કશું હોતું નથી. ક્ષણિકવાદીઓના આવા પૂર્વ પક્ષ મહાભાષ્યમાં પણું, વર્તમાને ઃ 1 સૂત્ર ૩, ૨. ૧૨ ની ચર્ચા કરતાં, જણાવવામાં આવ્યા છે. ભર્તુહરિ તેને અહીં ઉલ્લેખ કરે છે. ભાગ્યકારને અનસરીને વતમાનવને સ્વીકારતાં તે જણાવે છે કે એક જ્ઞાનામામાં સક્રાન્ત આકારવાળું ક્રિયાક્ષણના સમૂહનું રૂપ બુદ્ધિમાં પુરેપુરુ ગ્રહણ કરવામાં આવે ત્યારે તેને વર્તમાનત્વ કહે છે.
વ્યાકરણશાસ્ત્રમાં સૂચવાતા દાર્શનિક વિચારોને વ્યવસ્થિત કરીને, સિદ્ધાંતની કક્ષાએ તેમને રજૂ કરીને સૂવાર્તિકના ગત વિધાન સાથે, તેમની એક વાકયતા કરવાનો ભર્તુહરિ પ્રયત્ન કરે છે. પુરુષસમુદેશ
અહંભાવ અને પરભાવ, કર્યા અને કર્મ નાં વિશેષ રૂપે છે. પહેલો પુરુષ અને બીજો પુરુષ તેમના વાચક બને છે. આ બે પુરુષમાંથી જ સ્વાભાવિક અને આરેાપિત ચૈતન્ય સમજાય છે. ચૈતન્ય રૂપી ભાગને ત્રીજો પુરુષ દર્શાવતો નથી. એક મત પ્રમાણે મધ્યમ પુરુષમાં બધે સંબોધનના અર્થની અપેક્ષા હોય છે. સંખ્યાસ મુદ્દેશ - બધા દ્રયરૂપ પદાર્થો સંખ્યાવાળા છે; વ્યવહારમાં ભેદ અને અભેદ એવા વિભાગે સંખ્યાને આધારે હોય છે. સંખ્યારૂપ ધર્મ ભેદને દર્શાવવાના કારણરૂપ હોઈ સંખ્યા એવા નામે ઓળખાય છે. ગુણમાં પણ ભેદ દર્શાવવા સંખ્યા વપરાય છે. ઉપગ્રહસમુદ્દેશ
લકારના આદેશરૂપ આમને પદ દ્વારા અથવા પર પદ દ્વારા પ્રાપ્ત થતા ક્રિયાના અથની ભિનતાને દર્શાવનારને ઉપગ્રહ માનવામાં આવે છે. કોઈવાર તે સાધનરૂપે હોય છે, કઈવાર તે સાધનના વિશે પણ રૂપ હોય છે. આમને પદના અને પરસ્મપદના પ્રત્યે વડે ક્રિયા અને તેની વિશિષતાને કેાઈ કવાર ઉપગ્રહ તરીકે જવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org