________________
૩૪
કર્તા અથવા કમર ની મપ દ્વારા ક્રિયાને રોક્ષ રીતે ધારણ કરીને તે ક્રિયા ની સિદ્ધિમાં મદદરૂપ થનારને વ્યાકરણશાસ્ત્રમાં અધિકરણ કહ્યું છે.
ક્રિયાનો ઉલ્લેખ થયો હોય કે થયો હોય તો પણ કર્મ વગેરે છ કારકેથી જે જુદા સમજાય છે તેને શેવ કહે છે.
આ શેષ સંબંધ, બે સંબંધીઓમાં રહ્યો હોવા છતાં ગૌણ પદાર્થના વાચક શબ્દોમાં વિશેષતા દર્શાવનાર બને છે. કર્મ વગેરે કાર કો વડે ઓળખાતા અને ક્રિયાને ઉલેખવાળા શેષરૂપ સંબંધ અંગે દરેક પદમાં ઘી વિભક્તિનું વિધાન સભાસની નિવૃત્તિ માટે છે.
સિદ્ધ થયેલા સાધનવાળા પદાર્થને પિતાની સંમુખ બનાવવું તેને સંબોધન કહેવાય છે. સંમુખતા પ્રાપ્ત કરનારો કર્તા ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. સંબોધન વાકયના અર્થના ભાગરૂપે નથી.
- પાણિનિનાં કારક વિભાગનાં સૂત્ર ઉપરનાં ભાષ્યવચનો ભતૃહરિએ રજૂ કરેલી ચર્ચાના મૂળમાં છે. ક્રિયાસમુદેશ
સાધન અર્થાત કારકને સાધ્ય અર્થાત ક્રિયાની અપેક્ષા હોવાથી હવે ક્રિયાની ચર્ચા કરવામાં આવે છે.
જ્યારે સિદ્ધ અથવા અસિદ્ધને સાધ્ય તરીકે જણાવવામાં આવે છે ત્યારે (તેણે) ક્રમનું રૂ૫ પ્રાપ્ત કર્યું હોવાથી તેને ક્રિયા કહે છે. ગૌણભાવને પામેલા અવયવો વડે સમજાત, બુદ્ધિ વડે અભિન્નપણે જર્ણવાયેલો અને ક્રમપૂર્વક ઉત્પન્ન થનારા વ્યાપારને સમૂહ ક્રિયા કહેવાય છે. આવો સમૂહ દરેક અવયવમાં આપવામાં આવે છે. ક્રિયાનું કાલ સાથે સંબંધવાળું જે રૂ૫ છે તે “છે” (અસ્તિ) વડે સમજાય છે. જે ક્રિયાની પછી તરત જ ફળની કપના કરવામાં આવે છે તેને મુખ્ય ક્રિયા કહે છે, ક્રિયા પૌર્વાપર્યા વિનાની અને ક્રમ વિનાની હાઈ તેને માટે અસ્તિત્વવાળા પૂર્વ અને પર ક્રિયાશાને તે અનુસરે છે. ક્રિયાને
વ્યક્તિ નહિ પરંતુ જાતિ સમજવામાં આવે છે; અથવા પોતાના વ્યાપારથી વિશેષતા પામેલ કર્તા અને કર્મ સાથે સંબંધ ધરાવતી સતા એટલે ક્રિયા. ધાતુને અર્થ ભાવ દે અવૈદિક પરંપરામાં, બુદ્ધિમાં પ્રાપ્ત થતી અને પદાર્થો ઉપર આપવામાં આવતી સત્તાને, ક્રિયા કહેવામાં આવે છે. ક્રિયા બધા સાધનોની પ્રકૃતિ છે. તે આદ્ય કારક છે. આખ્યાતાર્થમાં કેટલાક અર્થો ગોણું હોય છે અને એક અર્થ પ્રધાન હોય છે. ક્રિયાથ સાથે સંબંધવાળા કર્તા, કરણ વગેરે અર્થો સાધન તરીકે પ્રસિદ્ધ હોવાથી ક્રિયાને સાધન ઉપર આરોપ થાય છે. કાલસમુદેશ
કાલ અંગે વૈશેષિક મતને દર્શાવ્યા પછી ભતૃહરિ જણાવે છે કે કાલ, ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણ રૂપે છે. તેને આ વિશ્વપત્નને મૂત્રધાર કહે છે, પ્રતિબધ અને અશ્વનુજ્ઞા અર્થાત્ અવરોધ અને અનુમતિ વડે તે વિશ્વનું નિયમન કહે છે. કાલ વિના ઉત્પત્તિની અવસ્થાઓમાં પીપય પ્રાપ્ત થતું નથી. પિતાની શક્તિ એના યોગ્ય વ્યાપારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org