SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ઉત્પત્તિ, વિક્રિયા, આભાસ વગેરે ક્રિયાઓમાં પહેલાં સ્વતંત્રતા અનુભવીને બીજા કર્તાઓના કાર્યના સંદર્ભમાં, કારકે, કર્મ તરીકે પ્રવૃત્ત બને છે. કર્તાને વ્યાપારથી મુક્ત બનેલું કર્મ પોતાના કાર્યને કર્તા રૂપે પ્રાપ્ત થાય છે. કનિષ્ઠ પ્રયોજક વ્યાપાર નિવૃત્ત થતાં કમ, પિતાના અગાઉના કર્તાનું પ્રયોજક બને છે. કર્તાના વ્યાપારથી જુદા વ્યાપાર સાથે સંબંધમાં આવતાં પ્રેરક પ્રયોગ વડે, તે આત્મને પદ દ્વારા જણાવાય છે. ઋતિ' 41 સૂત્ર ૧.૪.૫૧ ઉપરના ભાષ્યનાં વચનોનો ભતૃહરિએ કારિકા ૬૮થી ૮૦ સુધીમાં અવતાર કર્યો છે. ક્રિયાના પ્રોજક કમને પ્રધાન કર્મ કહ્યું છે. પ્રધાનકર્મની સિદ્ધિ માટે ક્રિયા સાથે સંબદ્ધ, બીજ કર્મને, અકથિત કર્મ કહ્યું છે. પરિપૂર્ણ થયેલા આશ્રયવાળા, કોઈક વિશેષની આવશ્યક્તા વિનાના, અને ભક્ષણ વગેરે ક્રિયાઓના વિષય રૂપે હોવાથી જુદા સમજાવતા કર્મને ઇસિત કર્મ કહે છે. જ્યારે ધાતુ તેના અર્થથી જુદા અર્થમાં વપરાયો હોય, જ્યારે કર્મ ધાતુના અર્થમાં સમાઈ તું હેય, જ્યારે કમ પ્રસિદ્ધ હોય અને જ્યારે તે કર્મની વિવેક્ષા ન હોય ત્યારે ધાતુ વડે દર્શાવાતી ક્રિયા અકર્મક કહેવાય છે. જે કારના વ્યાપાર પછી જ્યારે ક્રિયાની સમાપ્તિ જણાવાય છે ત્યારે તેને કરણ સમજવામાં આવે છે. કોઈ પણ પદાર્થ કરણ રૂપે નિશ્ચિત નથી. કર્તાએ સ્વતંત્ર હોવા છતાં ક્રિયાસિદ્ધિ માટે દૂરથી જ તે ઉપકારક બને છે. તલવાર જ્યારે કર્તા હોય છે ત્યારે તીક્ષણતા કરણ રૂપે સમજાય છે. પરંતુ તીક્ષ્ણતા જ્યારે સ્વતંત્ર કર્તા હોય ત્યારે તેમને બે સ્વરૂપે સમજવામાં આવે છે. જેમ પદાર્થની હાજરીથી કરણત્વ સમજાય છે તેમ તેની ગેરહાજરીથી પણ સમજાય છે. કત સ્વતંત્ર કહેવાય છે કારણ કે બીજા કારકોની પ્રવૃત્તિ પહેલાં તે શક્તિ પ્રાપ્ત કરે છે, બીજા કારકોને ગૌણ બનાવે છે, બીજા કારની પ્રવૃત્તિ તેને અધીન છે, બીજા કારકાને તે અટકાવી શકે છે, તેનો કોઈ પ્રતિનિધિ નથી અને તે એકલો પણ પ્રવૃત્તિ કરે છે. આજ્ઞા અથવા વિનંતીને કારણે પ્રયોજય ક્રિયાને અનુકુળ કાર્યો કરતો કર્તા હેતુ કહેવાય છે. ક્રિયાનું પ્રેરક કર્મ છે. હેતુ કર્તાને પ્રયોજક છે, કારણ કે ઉત્પત્તિ, વિકૃતિ અને પ્રાપ્તિ વડે ઉપકારક બનતી ક્રિયા કમને અર્થે છે. ત્યાગ કરનારને નિષેધ ન હોવાને લીધે, તેની વિનંતીને કારણે અને તેની સંમતિને કારણે, ત્યાગરૂપી કમ વડે કર્તાને ઈષ્ટ એવા ત્યાગના નિમિત્ત બનનારને સંપ્રદાન કહે છે, - જ્યાં અપાયરૂપી વિષયને સ્પષ્ટ જણાવવામાં આવ્યો હોય, જ્યાં તેને અન્તભૂત ગો હેય અને જ્યાં અપાયની ક્રિયાની વિવક્ષા હેય, એમ ત્રણ પ્રકારે અપાદાનને જણાવવામાં આવે છે. ભિન્નતા દર્શાવનારા નિશ્ચયના અર્થમાં અને ભય પામવું વગેરે અર્થના ધાતુઓના સંબંધમાં અપાદાનનું વિધાન, અપાયના નિર્દેશ અને અપાયની અપેક્ષાના સંદર્ભમાં જ થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy