SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ ભૂપેદ્રવ્યસમુદેશ : | શબ્દો અને અર્થોના સંસર્ગરૂ૫ વાકક્ષાર્થમાંથી ઉત્પન્ન થયેલા, વ્યાકરણશાસ્ત્રમાં પ્રકૃતિ અને પ્રત્યયની જેમ જુદા પાડવામાં આવેલા, અને શબ્દસાધુત્વ અંગે નિમિતરૂપ એવા કેટલાક દ્રવ્ય, ગુણ, સંખ્યા, વિંગ વગેરે પદાર્થોને આ તૃતીયાકાંડમાં ચર્ચવામાં આવ્યા છે. આ અત્યંત નાના સમુદેશમાં દ્રવ્યની શાસ્ત્રીય વ્યાખ્યા રજુ કરવામાં આવી છે. જેને અંગે પદાથમાત્રનું અભિધાન કરનારુ સર્વનામ પ્રયોજાય છે તે અર્થને દ્રવ્ય કહે છે. તે વિશિષ્ટરૂપે વિવક્ષિત હેય છે. ગુણસમુદેશઃ આશ્રય સાથે સંસર્ગવાળું, તેને જુદું સમજાવનારું અને તેના જેવા વ્યાપારવાળું જે સમજાય છે તેને વ્યાકરણશાસ્ત્રમાં ગુણ કહે છે. બધા પ્રકૃષ્ટ અથવા નિકૃષ્ટ પદાર્થો, તેમની સાથે સંસર્ગવાળા પ્રકૃષ્ટ અથવા નિકૃષ્ટ ગુણરૂપ નિમિત્તને આધારે, નિયત પ્રકર્ષને હંમેશાં દર્શાવે છે. પોતાના પ્રકર્ષ માટે કારણરૂપ ગુણ, દ્રવ્યના પ્રક માટે કાર્ય બનીને, તે દ્રવ્યને પોતાના પ્રકર્ષ સાથે જીને, બીજા દ્રવ્યથી જુદું જાહેર કરે છે. દિમુદેશઃ દિફ શક્તિરૂપ છે, દ્રવ્યરૂપ નથી. “આનાથી' એવી અવધિ અને ‘આ’ એવા અવધિમાન વચ્ચેના અર્થભેદનું કારણ, “સીધું એવી સપષ્ટતા કરનાર, ક્રિયાના જાતિભેદની અભિવ્યક્તિ માટે જવાબદાર અને પિતાની ઉપાધિઓને કારણે ભિન્ન રૂપે સમજતી શક્તિને, કહેવાય છે. આકાશના તેના પ્રદેશ સાથેના અને બીજા ઘટાદિ દ્રવ્યોના વિભાગ સાથેના પરસ્પર સંયોગ અને વિભાગ માટે તે (દિફ) આધારરૂપ બને છે. વિભાગો વિનાના પરમાણમાં દિકને કારણે વિભાગોની કલપના થાય છે. દિકને જ વિભાગે ક૯૫વા માટેની પહેલી શક્તિ કહે છે. પદાર્થો દેશ વિનાના, ભાગ વિનાના, ક્રમ વિનાના અને ઉપાધિ વિનાના છે. પરંતુ તેમની સાથે સંસર્ગવાળાં દ્રવ્યોને કારણે દિગરૂપ શક્તિભેદ સમજવામાં આવે છે. દિગ વિભુ છે. જગતમાં દઢપણે સ્થાપિત થયેલી દિકની કપનાને અસ્વીકાર થાય તે લોકવ્યવહારમાં અવ્યવસ્થા થશે. સાધનસમુદેશ : પિતાના અને બીજા આશ્રયો સાથે સમવાયમાં રહેલી અને ક્રિયાઓની સિદ્ધિ માટે જવાબદાર પદાર્થ શક્તિને સાધન કહે છે. કર્તા, કર્મ વગેરે સાધને અંગેને વ્યવહાર વક્તાની બુદ્ધિમાં પ્રાપ્ત થનારી વિવક્ષારૂપ અવસ્થા ઉપર આધાર રાખે છે. બુદ્ધિની પ્રવૃત્તિઓના સ્વરૂપને પદાર્થોમાં આરોપીને જુદી જુદી શક્તિઓની કલ્પના કરવામાં આવે છે. ક્રિયાની સિદ્ધિ માટેનું કર્તુત્વ બધાં કારકામાં હોય છે. જુદા જુદા વ્યાપારોની અપેક્ષા હોય ત્યારે કરણ વગેરે કારકે સંભવે છે. કારક સામાન્યરૂપ છે. તેના કમ વગેરે જુદાં નામથી ઓળખાતા છ ભેદો અને સાતમે શેષ નામનો ભેદ છે. ઈસિતતમ કર્મને નિર્વર્ય, વિકાર્ય અને પ્રાપ્ય એમ ત્રણ પ્રકારે સમજવામાં આવ્યું છે. અનીસિત કર્મના, ઔદાસી પ્રાપ્ત, કર્તાને અનીસિત, સંજ્ઞાઓ જેને લાગુ પડતી ન હોય અર્થાત્ અકથિત અને બીજી સંજ્ઞાવાળું, એમ ચાર વિભાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy