________________
૩૧
મહાભાષ્યમાં અનેક સ્થળે એ પ્રાપ્ત થતા જાતિ અંગેના ઉલ્લેખોની મદદથી તેમ જ વૈદિક ઉદાહરણોની મદદથી જાતિસમુદેશના વિયયને સમજાવવામાં આવ્યો છે. આકૃતિ અને સામાન્યને પણ કોઈક વાર જાતિના પય તરીકે ભર્તુહરિ વાપરે છે. જાતિને મહાસત્તા અને શાબ્દતત્ત્વ માનીને અદ્વૈતવિચાર તરફનો અભિગમ ભર્તુહરિએ દર્શાવ્યો છે.
દ્રશ્યસ મુદ્દેશ :
જાતિ અંગેની ચર્ચા પછી બીજા સમુદેશમાં દ્રવ્યની ચર્ચા પ્રાપ્ત થાય છે. અત્યંત સંક્ષેપમાં દ્રવ્યને ફરીવાર ઉલ્લેખ ચોથા સમુદેશમાં કરવામાં આવ્યો છે; આ સમુદ્દેશમાં જાતિની જેમ દ્રવ્યને નિત્ય અને એકતમ માનવામાં આવ્યું છે.
દર્શનોના ભેદ પ્રમાણે દ્રવ્યને, આત્મા, વસ્તુ, સ્વભાવ, શરીર અને તત્વ(સમુદાય) કહેવામાં આવે છે. સત્યરૂપ દ્રવ્યનો તેને અસત્ય આકાર વડે સત્ય બોધ થાય છે. સદ્ અને અસદ એવા ભેદ નથી. દ્રવ્ય સદ છે. તેમાં બાહ્ય ધર્મો અને કાલ વગેરે વિકટ ન હોવા છતાં વિકલ્પને આભાસ સમજવામાં આવે છે. આકૃતિનો નાશ થતાં જે અંતિમ રૂ૫ રહે છે, જેને માટે નથી”, “છે', ‘એક છે', “અનેક છે', 'પૃથફ છે', “સસૃષ્ટ' છે, “અસંસૃષ્ટ' છે, “વિત છે', “અવિકૃત છે, તેમ કહી શકાતું નથી, જે દૃશ્ય, દર્શન અને દ્રષ્ટા તથા દર્શનનું પ્રયોજન છે, તે દ્રવ્ય છે અને શબ્દો વડે તે વાચ્ય બને છે.
સંબંધસમુદેશ :
ઉચ્ચરિત શબ્દ વડે વક્તાનો અભિપ્રાય, બાહ્ય અર્થ અને શબ્દનું સ્વરૂપ, એમ ત્રણ બાબતે સમજવામાં આવે છે, તેથી તેમની વચ્ચે સંબંધ નિયત હોય છે. શબ્દ અને અથ વચ્ચેનો વાચવાચકમાવરૂપ સંબંધ ષષ્ઠી વિભક્તિ વડે જણાવાય છે. શબ્દો અને અર્થો વચ્ચે સંયોગ કે સમવાય રૂપી સંબંધ કટપી શકાય નહિ. વયાકરણ શબ્દ અને અર્થો વચ્ચે અનાદિ યોગ્યતા રૂપી સંબંધને સ્વીકારે છે. યોગ્યતાને બોધ સંતને કારણે થાય છે.
શબ્દો દ્વારા પદાર્થોના બંધ માટે ઉપચાર સત્તા અને બાહ્ય સત્તા એમ બે સત્તાઓ જાણીતા છે. તે સત્તાએ પદાર્થોના સ્વરૂપને દર્શાવે છે. ઉપચાર સત્તાને બુદ્ધિનિ કહે છે. પતંજલિ બોદ્ધી સત્તા માટે ભૂતભવિખ્યત્સત્તા શબ્દ અને બાહ્ય સત્તા માટે સંપ્રતિ સત્તા શબ્દ વાપરે છે. બાહ્યસત્તાને ભતૃહરિ મુખ્યસત્તા કહે છે અને બૌદ્ધસત્તાને ઉપચારસત્તા કહે છે. બધા શબ્દોની પ્રવૃત્તિના કારણરૂપ ઔપચારિકી સત્તા છે. બાહ્યસત્તાથી તે જુદી છે અને કોઈ ક્રિયા કે કારકરૂપ પદાર્થ તેને ઉલંઘતો નથી.
સત્તાની ચર્ચાના અનુસંધાનમાં ભર્તુહરિ જણાવે છે કે અર્થ, શબ્દ અને જ્ઞાનને, બાહ્ય આકારની અશુદ્ધિઓના સંદર્ભમાં, ભાવ અને અભાવ રૂપે વ્યવહાર પ્રાપ્ત થાય છે. વયાકરણે અભાવને સ્વીકારતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org