SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણ આગમની પ્રાપ્તિ અંગે ભતૃહરિએ કેટલાંક મહત્તવનાં વિધાન કર્યા છે. મૂળ ગ્રંથોના અભ્યાસ તરફ ઉપેક્ષાવાળા અને સંક્ષેપમાં રુચિવાળા વૈયાકરણ અભ્યાસીએ રૂપે મળ્યા હોવાથી સંગ્રહ મહાગ્રંથ અસ્ત પામ્યો. ત્યાર પછી જુદા જુદા આગમવિશેના સૂક્ષ્મ જ્ઞાતા પતંજલિ ગુરુએ બધા અર્થદર્શક નિયમોના મૂળ સમું મહાભા રચ્યું. ગાંભીર્યને કારણે અગાધ અને છતાં શૈલીના સૌષ્ઠવને કારણે અત્યંત વિશદ એવા આ મહાભાષ્યમાંના સિદ્ધાન્તાથ અંગે અપબુદ્ધિવાળાઓને નિશ્ચય થતો ન હતો. શુષ્ક તકને અનુસરનારા વૈજિ, સૌભવ અને હર્યક્ષે સંગ્રહગ્રંથના સારરૂપ પતંજલિગ્રંથને વિછિન્ન કર્યો. સમય જતાં વ્યાકરણ આગમ દક્ષિ | ભારતના પ્રદેશમાં જ માત્ર ગ્રંથરૂપે રહ્યો. પર્વત મુનિ પાસેથી આગમને મેળવીને, ભાષ્યવચનને અનુસરીને ચન્દ્રાચાર્ય વગેરેએ તેને અનેક શાખાઓમાં વિસ્તાર્યો. જુદા જુદા શાસ્ત્રીય સિદ્ધાંતો અને વ્યાકરણદર્શનનો અભ્યાસ કરીને અમારા ગુરુએ આ આગમસંગ્રહ એ. અહીં બે કાંડમાં કેટલાક સિદ્ધાન્તાના મૂળ રૂપને રજૂ કરવામાં આવ્યું છે. ત્રીજા કાંડમાં સૂક્ષ્મતાથી વિચાર થશે. જધા જ દા આગમો અને દર્શને વડે પ્રજ્ઞાને વારંવાર વિશદતા પ્રાપ્ત થાય છે. માત્ર પિતાના સિદ્ધાંતને જ અનુસરતા અભ્યાસ વડે અન્ય પક્ષના ખંડન દ્વારા કેટલા ઉત્કર્ષ સાધી શકાય ? પોતાના જ તર્કને અનુસરનારા અને પ્રાચીન આર્યોના મના અભ્યાસ રૂપી સેવા નહિ કરનારાઓને વિદ્યાની અતિપ્રસન્નતા મળતી નથી, (૪૮૧-૪૯૦) પદકાપડ જાતિસમુદ્રેશ : વાકષપદયનું તૃતીય કારડ પદકાંડ અથવા પ્રકીર્ણકાંડ અથવા પ્રકીર્ણક એવા નામે જાણીતું છે. તેમાં ચૌદ વિભાગો અર્થાત સમુદંશે છે. પહેલો સમુદેશ જાતિસમુદેશને નામે જાણીતો છે. પદને ચાર પ્રકારે અથવા પાંચ પ્રકારે જ સમજવામાં આવ્યું છે. નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત એવા ચાર પ્રકારો ઉપરાંત પાંચમે કર્મ પ્રવચનીય પ્રકાર પણ સમજવામાં આવે છે. પદનો અર્થ જાતિ અથવા દ્રવ્ય સમજવામાં આવ્યું છે. શબ્દ, પહેલાં શબ્દજાતિનું અભિધાન કરે છે; ત્યાર પછી અર્થ જાતિનાં સ્વરૂપમાં તેને આરેપ કરવામાં આવે છે. બધા જાતિ, ગુણ, ક્રિયા, અને સંજ્ઞા શબ્દ જાતિનું જ અભિધાન કરે છે. નવીન ઉત્પન થનાર કર્મમાં, વિધિમાં કે પ્રતિષેધમાં અને સંખ્યામાં પણ જાતિ રહેલી છે, જેની જાતિ ન હોય તેવું કશ ઉત્પન્ન થતું નથી. જાતિ પિતાને આશ્રયે રહેલાં કારણોની પ્રાજક બને છે. પ્રત્યેક પદાર્થમાં સત્યરૂપ જાતિ અને અસત્યરૂ૫ વ્યક્તિ રહેલાં છે. પદાર્થોની ભિન્નતા પ્રમાણે ભિન્ન સમજાતી મહાસત્તા જ જાતિ છે, તેને જ પ્રાતિ પદિકનો અર્થ અને ધાવર્થ કહે છે. તે નિત્ય છે, મહાન આત્મા છે, તેને જ , ત૬ વગેરે પ્રત્યય લાગે છે. ક્રમ પ્રાપ્ત કરનારી તેને ક્રિયા કહે છે અને ક્રિયારૂપ અદષ્ટ થતાં જાતિને દ્રવ્ય કહે છે. તે જાતિરૂપ સત્તા ભાવવિકારોની છ અવસ્થાએ પ્રાપ્ત કરે છે. બધા પદાર્થોમાં જાતિઓ રહેલી છે તેમ બધાં જ્ઞાનોમાં પણ જાતિઓ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy