________________
વાકયષીય
आचार्यो मातुलश्चेति यथैको व्यपदिश्यते ।
सम्बन्धिभेदादर्थात्मा स विधिः पक्तिभावयोः ॥६४।। જેમ એક જ અથ (દર્શાવતી વ્યક્તિ) જુદા જુદા સંબંધીઓ સાથે આચાર્ય અથવા મામા તરીકે જુદી જુદી રીતે) એાળખવામાં આવે છે, તેવી જ સ્થિતિ પક્તિ' અને “ભાવ” (વડે જણાવાતા અર્થો) અંગે છે. (૬૪).
જેમ એક જ વ્યક્તિ જુદા જુદા સંબંધીઓ સાથે જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે, તેમ પક્તિ અને ભાવ એવાં પદ સાથે જોડાયેલો (પચન અને ક્રિયા)ને અર્થ જુદો જુદો સમજાય છે. એક અર્થ સામાનરૂપે અને વિશેષરૂપે એમ જુદી જુદી રીતે સમજાય છે. જુદી જુદી પચનક્રિયાઓમાં પચનસામાન્ય, સામાન્યરૂપે રહેલું છે. ભાવના સંદર્ભમાં પચન વિશેષરૂપે રહેલું છે.
इति क्रियासमुदेशः । આ પ્રમાણે ક્રિયાસમુદેશ પૂરે થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org