________________
૩૬૮
વાકયોય
क्रियाणां जातिभिन्नानां सादृश्यं नावधार्यते ।
सिद्धेश्च प्रक्रमे साध्य उपमातुं न शक्यते ।।५८।। વિજાતીય ક્રિયાઓ વચ્ચે સાદશ્ય સમજી શકાતું નથી, જે (સાધ્ય) ક્રિયાને (સિદ્ધ) સાધન તરીકે જણાવવામાં આવે તો તેને બીજી ક્રિયા સાથે) સરખાવી શકાય નહિ. (૫૮)
સજાતીય ક્રિયાઓ વચ્ચે ઉપમાનોપમેયભાવ કપી શકાતો નથી, એટલું જ નહિ પણ વિજાતીય ક્રિયાઓ વચ્ચે પણ ઉપમાનોપમેયભાવ કહી શકાતો નથી. વતિ, છતિ એવી ક્રિયાઓ એક બીજાથી એકદમ જુદી છે. તેમની વચ્ચે ઉપમાનોપમેયભાવ સંભવ નથી.
वनं वृक्षा इति यथा भेदाभेदव्यपाश्रयात् ।
अर्थात्मा भिद्यते भावे स बाह्याभ्यन्तरे क्रमः ।।५९।। વૃક્ષોને સમુદાય વન છે. એવી અભેદકલ્પનાથી અને વૃક્ષો વન છે એવી ભેદકપનાથી પ્રાપ્ત થતું અર્થ સ્વરૂપ પરસ્પર જુદું સમજાય છે, તેવી સ્થિતિ બાહ્ય અને આંતર ભાવમાં પ્રાપ્ત થાય છે. (૫૯)
ધાત્વથ, ઘમ વગેરે પ્રત્યયોના અર્થ અને કાલવાચક પ્રત્યયોના અર્થ માટે ભાવ શબ્દ વપરાય છે. તેમની વચ્ચેના તફાવતને વન અને વૃક્ષો વચ્ચેના તફાવતની જેમ સમજી શકાય છે. વૃક્ષોને સમુદાય વન છે એવા પ્રયોગમાં અભિન્નપણે અભિધાન થાય છે. વૃક્ષ વન છે એવા પ્રયોગમાં ભિન્નપણે અભિધાન થાય છે. ધાતુના અર્થરૂપે રહેલે ભાવ આભ્યન્તર છે. તે સાથે ક્રિયા રૂપે રહેલો હોવાથી ઘત્ર વગેરે પ્રત્યય દ્વારા દર્શાવાતા ભાવથી જુદે છે. ઘણ્ પ્રત્યય વડે દર્શાવાતે ભાવ સિદ્ધ હોવાથી તે બાહ્ય છે. ધાત્વર્થ વડે દર્શાવવામાં આવતા ભાવમાં લિંગ અને સંખ્યાને કારણે પ્રાપ્ત થતા ભેદ નથી, માત્ર જુદાં જુદાં સાધનોને કારણે ક્રિયારૂપ ભાવમાં ભેદ સમજાય છે, ક્રિયારૂપ ભાવ કાલ અને પુરુષના અર્થ સાથે જોડાય છે. ઘણ્ પ્રત્યયવાય ભાવને કાલ સાથે સંબંધ નથી. તેને સંખ્યા અને લિંગ સાથે સંબંધ છે. શતે દીકર્સ વગેરેમાં ભાવ ક્રિયારૂપે છે. તેને કર્તા સાથે સંબંધ છે. આમ ભાવ આવ્યંતર અર્થાત ધાત્વથરૂપે અને બાહ્ય અર્થાત્ ઘમ્ પ્રત્યય વડે વાચ્ય તથા કાલ પ્રત્યય વડે વાચ એમ બે રૂપે સમજાય છે.
सामान्ये भाव इत्यत्र यल्लिङ्गमुपलभ्यते ।
भेदानामनुमेयत्वान्न तत्तेषु विवक्ष्यते ॥६॥ મા (Trખૂ. રૂ.રૂ.૨૮) સૂત્રમાંના (ક્રિયા) સામાન્યનો અર્થ દર્શાવતા મરે પદમાં, જે પુલિંગ પ્રાપ્ત થાય છે, તે (નિયમ તરીકે) વિવક્ષિત નથી, કારણ કે તે(પ્રકારના નિર્દેશે)માં લિંગ, સંખ્યા વગેરેના ભેદનું અનુમાન કરવામાં આવે છે (૬)
મા (.. રૂ.૩.૧૮, ભાવ અર્થમાં ધાતુને ઘમ્ પ્રત્યય લગાડાય છે)માં પુલિંગ અને એકવચનને નિર્દેશ થયો છે. આવો નિર્દેશ અતઅર્થાત અવિવક્ષિત છે. ભાવને કોઈ પણ સંખ્યા કે લિંગ દ્વારા જણાવી શકાય છે. આખરે તો નિર્દેશ માટે કઈક લિંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org