SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ બીજુ કાંડ प्रकृतिः साधनानां सा प्रथमं तच्च कारकम् । व्यापाराणां ततोऽन्यत्त्वमपरैरुपवर्ण्यते ॥३९॥ તે (પ્રવૃત્તિ) બધાં સાધનોની પ્રકૃતિ છે; તે આદ્ય કારક છે. બધા વ્યાપારો તેનાથી જુદા છે એમ બીજા(કેટલાક) આચાર્યો જાહેર કરે છે. (૩૮) ક્રિયા અથવા નિત્યપ્રવૃત્તિ સાધનોની પ્રકૃતિ છે કારણ કે સાધનને તેના વડે શક્તિ પ્રાપ્ત થાય છે. સાધનોની પ્રવર્તક હોવાથી તે પ્રવાહરૂપ છે. તે નિત્ય હોવાથી બીજાં સાધન વડે સાધ્ય બનતી નથી. તેથી તેને આદ્ય સાધન અર્થાત સાધનોની પણ સાધન કહી છે. પ્રવૃત્તિ જુદાં જુદાં સાધનને કારણે વિશિષ્ટ ક્રિયાઓવાળી છે એ એક મત છે. બીજા મત પ્રમાણે વિશિષ્ટ ક્રિયા સ્વભાવવાળા વ્યાપારે તેનાથી જુદા સમજવામાં આવ્યા છે. ત્રનાં સંમડનાં શનિદેવોપાળિઃ संसर्गे कश्चिदेषां तु प्राधान्येन प्रतीयते ॥४०॥ જયારે (આખ્યાતના) ઘણું અર્થો શક્ય હોય અને તેમને સંબંધ પ્રાપ્ત થત હોય ત્યારે કેટલાક ગૌણ હોય છે, તેમાંનો કઈ એક મુખ્ય તરીકે સમજાય છે. (૪૦) એક પદના જ્યારે ઘણું અર્થે શક્ય હોય ત્યારે એક અથ મુખ્ય હોય છે અને બીજા ગૌણ હોય છે. આખ્યાતનો તે અર્થો સાથે સંબંધ હોવાથી આમ બને છે. આખ્યાત પદમાંથી સાધન, સંખ્યા, કાલ, પુરુષ, ઉપગ્રહ વગેરે અર્થે ગૌણ અર્થો તરીકે સમજાય છે અને ક્રિયારૂપ અથ મુખ્ય અર્થ તરીકે લેવાય છે. साध्यत्वात्तत्र चाख्यातापाराः सिद्धसाधनाः । प्राधान्येनाभिधीयन्ते फलेनापि प्रवर्तिताः ॥४१॥ અંતિમ ફળવડે પ્રવર્તાવેલા હોવા છતાં, સિદ્ધ સાધવાળા (ક્રિયારૂપ) વ્યાપાર, સાધ્યરૂપે હોવાથી, ક્રિયાપદો વડે મુખ્યપણે જણાવવામાં આવે છે. (૪૧) આખ્યાત શબ્દ મુખ્યપણે ક્રિયા દર્શાવે છે કારણકે ક્રિયા સાધ્ય છે અને સાધનો અર્થાત કારકે સિદ્ધ છે. ક્રિયા ફળને દર્શાવતી હોવા છતાં, આખ્યાત પદ ક્રિયાને જ દર્શાવે છે. વેદોમાં વિધિ અર્થાત્ ક્રિયાનું પ્રાધાન્ય છે, ફલનું નહિ. પુરુષ, કાલ અને ઉપગ્રહ, ક્રિયાના સંદર્ભમાં ગૌણ છે ( સરખા હેલારાજ : સાપુૌ સાધનાધારzવ્યધર્મરવાतसाधनद्वारेण क्रियामुपकुर्वन्तौ गुणभूतौ । तत्र कालोपग्रहो तु साक्षादेव क्रियोपकारितया गुणभूतौ ।) एकत्वावृत्तिभावाभ्यां भेदाभेदसमन्वये । सङ्ख्यास्तत्रोपलभ्यन्ते सङ्ख्येयावयवक्रियाः ॥४२॥ ક્રિયાના એકત્વ અને તેનાં જુદાં જુદાં આવર્તનને કારણે ભેદ અને અભેદ સાથે તેનો સબંધ પ્રાપ્ત થતાં (જુદી) ગણતરી કરી શકાય તેવા અવયવાળી સંખ્યા પ્રાપ્ત થાય છે. (૪૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004628
Book TitleVakyapadiyam
Original Sutra AuthorBhartuhari
AuthorJaydev M Shukla
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages770
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Grammar, & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy