________________
R
વાકયપદીય
પરમ તત્તમાં બધી શક્તિઓનો અને બધાં રૂપોનો સમાવેશ થયો છે. કાલ નામે સ્વાતંત્ર્યશક્તિને કારણે તેનામાં ક્રમને ભાસ થાય છે. આવા ક્રમના આવિર્ભાવને ક્રિયા કહે છે. પરમતવ વાસ્તવમાં અક્રમ અને અવિભક્ત હોવા છતાં ક્રમવાન અને વિભક્ત હોય તેમ જણાય છે. જન્મ અને વિનાશ આ પરમતત્તવની ક્રિયારૂપે છે, અગાઉની કારિકામાં ક્રિયાને બ્રહ્મનું પરિણામ કહી હતી. આ કારિકામાં તેને બ્રહ્મના વિવર્તરૂપે જણાવવામાં આવી છે.
सत्ता स्वशक्तियोगेन सर्वरूपा व्यवस्थिता ।
साध्या च साधन चैव फलं भोक्ता फलस्य च ॥३६।। (પરમતત્તવરૂપ) સત્તા, પિતાની શક્તિઓ સાથેના સંબંધને કારણે બધાં સ્વરૂપને પ્રાપ્ત કરનારી માનવામાં આવી છે. તે સાધ્ય છે, સાધન છે, ફલ છે અને ફલની ભોક્તા છે. (૩૬)
આ કારિકામાં અસમત પ્રમાણે સદ્વિતને ઉલેખ થયો છે. સત્તા અર્થત મહાસામાન્ય, સર્વસ્વરૂપ અને સર્વગત હોવાથી પ્રાતિપદિક અને ધાતુવડે વ્યક્ત થાય છે. તે સાધ્ય તેમજ સાધનરૂપે તથા ફલરૂપે અને ફલના તારૂપે પ્રગટ થાય છે.
क्रियामन्ये तु मन्यन्ते क्वचिदप्यनपाश्रिताम् ।
साधनैकार्थकारित्वे प्रवृत्तिमनपायिनीम् ॥३७॥ બીજા કેટલાક (આચાર્યો) કયાંય પણ આશ્રય નહિ કરનારી અને સાધન (શક્તિ)ની સાથે રહીને (સાધ્યરૂ૫) કાર્ય કરનારી નિત્ય પ્રવૃત્તિને ક્રિયા માને છે. (૩૭)
તાત્રિકો ઉપર આરોપવામાં આવતા મતના જેવા આ મતમાં નિત્ય પ્રવૃત્તિને ક્રિયા સમજવામાં આવી છે. તે કોઈ એક પદાર્થમાં આશ્રય કરતી નથી સાધનાની શક્તિઓની સાથે રહીને તે ફલરૂપ કાયને સિદ્ધ કરે છે.
सामान्यभूता सा पूर्व भागशः प्रविभज्यते ।
ततो व्यापाररूपेण साध्येव व्यवतिष्ठते ।।३८॥ પહેલાં તે સામાન્યરૂપે હોય છે. (પછી) વિભાગોમાં વહેંચાય છે અને ત્યાર પછી પ્રવૃત્તિરૂપે તે જાણે સિદ્ધ થવાની ક્રિયા) હોય તેમ જણાય છે. (૩૮)
નિત્ય પ્રવૃત્તિરૂપ ક્રિયામાં સાથત્વ કેવી રીતે પ્રાપ્ત થાય તે હવે અહીં જણાવવામાં આવે છે. શક્તિરૂ૫ ક્રિયા તેની પ્રથમ અવસ્થામાં ક્રિયા સામાન્યરૂપે હોય છે. ત્યાર પછી સાધનોની ક્રિયાને કારણે તેનામાં વિભાગ ઉત્પન્ન થાય છે ત્યારે તે વ્યાપારરૂપ બને છે. આ અવસ્થામાં તેને પ્રવૃત્તિ કહે છે. જુદાં જુદાં સાધનો સાથે સંબંધમાં આવતાં પ્રવૃત્તિ સાક્રિયારૂપે પ્રગટ થાય છે. તેથી જ ભાષ્યમાં કહ્યું છે કે રજાનાં પ્રકૃત્તિવિશેષઃ ક્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org