________________
૩૧
ત્રીજુ કાંડ
नैवास्ति नैव नास्तीति वस्तुनो ग्रहणाद्विना ।
कल्पते पररूपेण वस्त्वन्यदनुगम्यते ॥३२॥ વસ્તુ છે અને (વસ્તુ) નથી એવો વાકયપ્રયોગ પ્રદાથના ગ્રહણ વિના કલપી શકાતું નથી. (પદાર્થના) બીજા રૂપ વડે કઈક બીજે પદાર્થ સમજવામાં આવે છે. (૩૨)
भावाभावी घटादीनामस्पृशन्नपि पाणिना ।
कश्चिद् वेदाप्रकाशेऽपि प्रकाशे तत एव वा ॥३३॥ (પરંતુ) હાથવડે અડક્યા વિના, ઘડે વગેરેના અસ્તિત્વ અથવા અભાવને કોઈ વ્યક્તિ અજવાળામાં જાણે છે. તેમ અંધકારમાં પણ તે પ્રમાણે (જ) જાણે છે.(૩૩)
પૂર્વપક્ષી એમ કહે કે સ્પર્શ વડે અંધારામાં પણ પદાર્થના અભાવને જાણી શકાય છે, તો તેના જવાબમાં કહેવામાં આવે છે કે અંધકારમાં કશું જોઈ શકાતું નથી કે સ્પર્શી શકાતું નથી, પરંતુ અજવાળામાં પદાર્થને જે અભાવ આપણે સમજ્યા હતા તેના સ્મરણ થી અંધારામાં પણ અભાવને સમજીએ છીએ.
व्यापि सौक्ष्म्यं क्वचिद्याति क्वचित्संहन्यते पुनः ।।
अकुर्वाणोऽथ वा किञ्चित् स्वशक्त्यैवं प्रकाशते ॥३४॥ વ્યાપક (પ્રકૃતિરૂપ) તત્ત્વ કોઈવાર સૂક્ષ્મત્વ ધારણ કરે છે અને કોઈ વાર ફરી સંઘાતરૂપ બને છે. અથવા આ પ્રમાણે કશું કર્યા વિના તે પિતાની શક્તિ વડે પ્રગટ થાય છે. (૩૪)
સાંખ્યદર્શન અને તેના જેવા સમજાતા નિરુક્તકારના મતને અનુસરીને જન્મ અને નાશને હવે સમજાવવામાં આવે છે.
પ્રધાનરૂપ વસ્તુ કઈ કાલ અથવા કોઈ દેશના સંદર્ભમાં સૂક્ષ્મરૂપ ધારણ કરે છે. તેની આ અવસ્થાને તિભાવ અથવા નાશ કહે છે. વિનશ્યતિ એવા ક્રિયારૂપવડે અને વિનાશ એવા નામરૂ૫ વડે તે સમજાય છે. બીજા કાલ અને દેશના સંદર્ભમાં તે સંઘાતરૂપ બને છે. તેની આ અવસ્થાને અવિર્ભાવ કહે છે તે ગમે એવા નામપદવડે અને નાયસે એવા ક્રિયારૂ વડે સમજાય છે. આ બંને અવસ્થાએ ક્રિયા સામાન્ય દર્શાવતી હોવાથી યાસ્કે નોંધેલા છ ભાવવિકારો પણ ક્રિયા સામાન્ય સમજવા જોઈએ.
सर्वरूपस्य तत्त्वस्य यत्क्रमेणेव दर्शनम् ।
भागैरिव प्रक्लूप्तिश्च तां क्रियामपरे विदुः ॥३५।। બધાં સ્વરૂપવાળા (પરમતત્ત્વના, જાણે ક્રમવાન હોય તેવા દેખાતા આવિર્ભાવને અને તે (તત્વ)માં વિભાગે હોય તેવી કલ્પનાને બીજ (આચાર્યો, ક્રિયા કહે છે. (૩૫) વા-૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org